Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉદિત નારાયણ પર લાગ્યો બળજબરીથી ગર્ભાશય કાઢવાનો આરોપ, પહેલી પત્નીએ કર્યો ખુલાસો, ફરિયાદ નોંધાઈ

ગુરુવાર, 12 ફેબ્રુઆરી 2026 (11:35 IST)
બોલીવુડના જાણીતા પ્લેબેક સિંગર ઉદીત નારાયણ એક વાર ફરી વિવાદોમાં ઘેરાય ગયા છે. તેમની પહેલી પત્ની રંજનાએ બિહારના સુપૌલ જીલ્લાના એક મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર આરોપો સાથે ફરિયાદ નોંઘાવી છે.  રંજનાનો દાવો છે કે મેડિકલ સારવારને બહાને તેની માહિતી અને પરમિશન વગર તેનુ યુટ્રસ (ગર્ભાશય) કાઢવામાં આવ્યુ.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રંજના મંગળવારે તેમના વકીલ કરુણાકાંત ઝા સાથે મહિલા પોલીસ સ્ટેશન પહોંચી અને ઔપચારિક અરજી સુપરત કરી. પોતાની ફરિયાદમાં, તેમણે ઉદિત નારાયણ, તેમના બે ભાઈઓ, સંજય કુમાર ઝા અને લલિત નારાયણ ઝા અને તેમની બીજી પત્ની, દીપા નારાયણ પર ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો.
 

લગ્ન અને બીજા લગ્નનો આરોપ 

 
એક રિપોર્ટ મુજબ રંજનાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ કે તે સુપૌલ જીલ્લાના ચંદ્રકાત ઝા ની 61 વર્ષીય પુત્રી છે. તેના મુજબ 7 ડિસેમ્બર 1984 મા તેમણે હિન્દુ રીતી રિવાજોથે ઉદિત નારાયણ સાથે લગ્ન કર્યા હતા. તેમને આરોપ લગાવ્યો કે 1985 માં ઉદિત નારાયણ સિંગિગ કરિયર બનાવવા માટે મુંબઈ જતા રહ્યા.  રંજનાનુ કહેવુ છે કે પછી તેમને મીડિયા રિપોર્ટ્સ દ્વારા માહિતી મળી કે ઉદિતે દીપા નારાયણ સાથે બીજા લગ્ન કરી લીધા છે.  જો કે જ્યારે પણ તેમને આ અંગે ઉદિતને સવાલ કર્યો તો તેમણે ઈનકાર કર્યો કે ગેરમાર્ગે દોર્યા.  
 

સંમતિ વિના સર્જરીના આરોપો

 
રંજનાએ બીજો ગંભીર આરોપ લગાવ્યો, જેમાં તેમણે જણાવ્યું કે 1996 માં ઉદિત નારાયણ અને તેમના ભાઈ તેમને સારવારના બહાને દિલ્હીની એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેમનો દાવો છે કે આ સમય દરમિયાન તેમના જ્ઞાન કે સંમતિ વિના તેમનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું હતું. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે દીપા નારાયણ તે સમયે હોસ્પિટલમાં હાજર હતી. રંજનાના જણાવ્યા અનુસાર, ઘણા વર્ષો પછી જ્યારે તેઓ બીજી તબીબી તપાસ માટે ડૉક્ટર પાસે ગયા ત્યારે તેમને સર્જરી વિશે ખબર પડી. આ ખુલાસાથી તેઓ આઘાતમાં મુકાઈ ગયા અને માનસિક રીતે આઘાત પામ્યા.
 

દુર્વ્યવહાર અને ઉપેક્ષાના આરોપો

 
રંજનાએ એવો પણ આરોપ લગાવ્યો કે 2006  માં જ્યારે તેઓ મુંબઈ ગયા ત્યારે ઉદિત નારાયણ અને દીપાએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું અને તેમને ઘરમાં પ્રવેશવા દીધા નહીં. ત્યારબાદ તેઓ નેપાળમાં તેમના સાસરિયાઓના ઘરે ગયા, જ્યાં તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને તેમને ત્યાંથી પણ પાછા ફરવું પડ્યું. ત્યારથી તેઓ તેમના પિયરમાં રહે છે. તેમણે જણાવ્યું કે તેમણે અગાઉ સુપૌલ ફેમિલી કોર્ટ અને મહિલા આયોગમાં ફરિયાદો નોંધાવી હતી. તેમના મતે, ઉદિત નારાયણે એક સમયે તેણીને પોતાની પત્ની તરીકે સ્વીકારી હતી અને સમાધાનનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં પના વચનો પાળ્યુ નહી અને તેમને કે અન્ય નાણાકીય કે અન્ય કોઈ મદદ કરી નથી. 
 

ઉદિત વચન તોડે છે 

 
મીડિયા સાથે વાત કરતા રંજનાએ કહ્યું, "હું ન્યાયને પાત્ર છું. ઉદિત નારાયણ વારંવાર વચનો આપે છે પરંતુ ક્યારેય તે પાળતા નથી." તેમણે આરોપ લગાવ્યો કે જ્યારે પણ તે ગામ આવે છે, ત્યારે તે નવા વચનો આપે છે અને છોડી દે છે, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે એમ પણ કહ્યું કે તે આ દિવસોમાં સતત બીમાર છે અને તેમને સહાયની જરૂર છે, પરંતુ તેમને કોઈ સહાય મળી રહી નથી.
 

પોલીસ નિવેદન

 
મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અંજુ તિવારીએ ફરિયાદ મળ્યાની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે કથિત ઘટનાઓ લગભગ ત્રણ દાયકા જૂની છે અને કેસની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન બહાર આવનારા તથ્યોના આધારે, FIR નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, આ મામલો તપાસ હેઠળ છે અને બધા પક્ષો બોલ્યા પછી જ પરિસ્થિતિ સ્પષ્ટ થશે.

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

ડુંગળી કાપતી વખતે શું તમારી આંખોમાંથી પણ આંસૂ વહે છે તો અપનાવો કેટલીક હેક્સ, સહેલાઈથી કાપી શકશો, બિલકુલ પણ નહિ થાય પરેશાની

World Malaria Day - મલેરિયા કેટલા દિવસમાં ઠીક થનારી બીમારી છે ?

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

આગળનો લેખ
Show comments