Webdunia - Bharat's app for daily news and videos

Install App

9મા મહીનામાં ક્યારે હોય છે ચિંતાની વાત અને શું છે સંકેત નાર્મલ

ગુરુવાર, 3 નવેમ્બર 2022 (12:22 IST)
પ્રેગ્નેંસીનો 9મો મહીનો જ્યારે બાળક જન્મ લેવા તૈયાર થઈ જાય છે પણ તેનો વજન અને મગજ અત્યારે પણ વિકાસ કરી રહ્યા હોય છે. ખોપડીના સિવાય શરીરની બધા હાડકાઓ કઠણ થઈ જાય છે. મગજના હાડકા કઠણ નથી થાય જેથી જન્મના સમય તે બર્થ કેનાલથી સરળતાથી બહાર નિકળી શકે. ડિલીવરીનો સમય પાસ હોય છે તેથી ગર્ભવતી મહિલાના મનમાં ડર પણ હોય છે અને ઉત્સુકતા પણ. આ મહીના ખૂબ ફેરફાર શરીરમાં આવે છે. મહિલાનો વજન 11 થી 16 કિલો વધી જાય છે તેથી એને ખુરશીથી ઉઠવાથી લઈને રાત્રે સૂવામાં પરેશાની થાય છે. ઘણી મહિલાઓ કેટલાક ફેરફારને જોઈને ડરી જાય છે. 
 
 
ચાલો તમને જણાવીએ કે નવમા મહીનામાં જોવાય છે સામાન્ય સંકેત 
1. અંતિમ મહીનો છે તો યોનિ સ્ત્રાવ વધારે ગુલાબી અને ભૂરા રંગનો હોઈ શકે છે. સ્તનથી કોલોસ્ટ્રમનો ડિસ્ચાર્જ થઈ શકે છે. 
2. બેક્સટન હિક્સ સંકોચન આ મહીનામાં સામાન્ય હોય છે. આવુ થતા મહિનાને ઘણી વાર લાગે છે કે તેને લેબર પેન શરૂ થઈ ગયા છે જ્યારે આવુ થતુ નથી પણ હો દુખાવો 
 
વધારે હોય તો ડાક્ટરી તપાસ જરૂર કરાવવી. 
3. પીઠમા સતત દુખાવો થઈ શકે છે. 
4. બાળકના વિકાસ પૂર્ણ રીતે થઈ જાય છે. તેથી શ્રોણિ ભાગ પર તેનો દબાણ વધારે થઈ જાય છે જેના કારણે વાર-વાર યુરિન થઈ જાય છે. 
5. ડિલીવરના થોડા અઠવાડિયા પહેલા ગર્ભવતીની છાતીમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી પરેશાનીઓથી રાહત મળી જાય છે. કારણ કે બાળક નીચે તેમની 
 
પોજીશનમાં આવી જાય છે. 
6. બાળકની ગતિવિધિઓમાં ફેરફાર આવી જાય છે. તે પહેલાની રીતે વધારે હલી નહી શકતો કારણકે આખરે દિવસોમાં તેનો વિકાસ પૂરી રીતે થઈ જાય છે.
 
આ મહીના ગર્ભવતીને શું કરવુ જરૂરી છે. 
દર મહીનાની રીતે ગર્ભવતી આ મહીના પણ હેલ્દી ખાઈ અને પોતાને હાઈડ્રેટેડ રાખે. ગર્ભવતી શું ખાય છે, શુ પીએ છે અને તેમની જીવનશૈલી કેવી છે તેનો સીધો અસર 
 
થનારા બાળક પર પડે છે. 
 
 ગર્ભાવસ્થાના નવમા મહીનામાં શું ખાવુ 
ફાઈબર યુક્ત ભોજન ખાવુ જેમકે- લીલા શાકભાજી, ફળો, આખા અનાજ, ઓટ્સ અને કઠોળ
આયર યુક્ત આહાર ખાવું- પાલક, સફરજન, બ્રોકોલી અને ખજૂર વગેરે. જો તમે માંસાહારી છો, તો તમે ચિકન અને માંસ પણ ખાઈ શકો છો.
કેલ્શિયમયુક્ત આહાર લોઃ કેલ્શિયમ માટે દૂધ, દહીંનું સેવન કરો
શરીરમાં આયરનને અવશોષિત કરવા માટે વિટામિન સીથી ભરપૂર ભોજન કરવું. તેના માટે તમે લીંબૂ, સંતરા, સ્ટ્રાબેરી અને ટમેટા જેવી વસ્તુઓનો સેવન કરી શકો છો. ફોલેટ યુક્ત ભોજન જરૂર ખાવુ કારણ કે તેની ઉણપથી કરોડરજ્જુના હાડકા અને મગજ સંબંધી વિકાર થવાનો ખતરો રહે છે. તેના માટે લીલા પાંદડાવાળા શાકભાજી અને કઠોળનું સેવન
 
કરવું જોઈએ.
 
ગર્ભાવસ્થાના નવમા મહીનામાં શું ન ખાવુ
ઑફી, ચા કે ચોકલેટથી પરેજ કરવું. દિવસમાં 1 કે 2 કપથી વધારે સેવન તો કદાચ ન કરવું. 
આર્ટિફિશિયલ શુગરની વસ્તુઓનો સેવન ન કરવું. તાજા ફળ કે જ્યુસ કે ઘરમાં બનેલી મીઠી કેંડી ખાઈ શકો છો. 
જંક ફૂડ ખાવાથી બચવું. પારાની માછલી, કાચું માંસ અને કાચા ઈંડા ન ખાઓ
 
ગર્ભાવસ્થના નવમા મહીના માટે કસરત 
સવાર સાંજે આંટા મારવા અને શ્વાસ સંબંધી કસરત જેમ કે યોગ આસનો કરી શકો છો પરંતુ આવા કોઈ નથી
 
કસરત ન કરો જેનાથી પેટ પર દબાણ આવે.
 
 
શું ન કરવું 
પ્રેગ્નેંસીના દરમિયાન તણાવ કદાચ ન લેવું. પેટના સહારે નીચેની તરફ ન નમવું અને ભારે સામાન કદાચ ન ઉપાડવું. વધારે મોડે સુધી ઉભા ન રહેવું. તેનાથી તમને થાક થઈ શકે છે. પીઠના પડખે ન સોવું. તેનાથી ગર્ભાશયનો ભાર કરોડરજ્જુ પર પડે છે. આ દરમિયાન પ્રસવ ક્યારે પણ થઈ શકે છે. પહેલીવાર મા બનતી મહિલા માટે આ દર્દને સમજવુ મુશ્કેલ થઈ શકે છે તેથી ઘરના વડીલને તમારી સમસ્યા જરૂર જણાવવી. જો પાણીથી કોથળી ફાટી જાય તો તરત જ ડાક્ટરથી સંપર્ક કરી સલાહ લેવીૢ ક્યારે ક્યારે ડાક્ટર પોતે પ્રસવ દરમિયાન પાણીથી કોથળી તોડવાનો ફેસલો કરે છે. વધારેપણ્ય આવુ ત્યારે હોય છે જ્યારે ગર્ભવતીને અપ્રાકૃતિક રીતે પ્રસવ પીડા શરૂ કરાય છે. હવે તો તમે સમજી ગયા હશો કે નવમા મહીનામાં તમને કઈ પરેશાનીઓથી પસાર થવુ પડશે. તેથી વગર ડર ખુશી-ખુશી સમય પસાર કરવું. 

વધુ જુઓ..

શુભમન ગિલ સામે એક સાથે ત્રણ મોટા કારનામા કરવાની તક, CSK સાથેની મેચમાં મેળવી શકે છે મોટી ઉપલબ્ધિ

KKR Qualification Scenario: કલકત્તાએ કર્યુ શાનદાર કમબેક, પણ પ્લેઓફ માટે કરવી પડશે સખત મહેનત

ગુજરાતના ગંજ બજારના ભાવ - Gujarat Mandi Bhav

PM Kisan Yojana: ક્યાક અટકી ન જાય પીએમ કિસાન યોજનાનો 23 મો હપ્તો, પૈસા આવતા પહેલા કરી લો આ કામ

ઇબોલા વાયરસ અંગે એડવાઇઝરી જારી, દેશના તમામ પ્રવેશ સ્થળો પર સ્ક્રીનીંગ કરવામાં આવશે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 મે 2026

Guruwar Astro Tips: ગુરુવારે કપડાં અને વાળ કેમ ન ધોવા જોઈએ? જ્યોતિષ શું કહે છે તે જાણો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

આગળનો લેખ