Webdunia - Bharat's app for daily news and videos

Install App

Child Care - બાળકોને હસાવવા માટે તમે પણ કરો છો ગલીપચી ? તો જાણી લો આવુ કેમ ન કરવુ જોઈએ

ગુરુવાર, 13 જુલાઈ 2023 (19:57 IST)
child care
 બાળકને ખુશ કરવા માટે માતા-પિતા ઘણીવાર ગલીપચી કરતા જોવા મળે છે. તમે પણ નવજાત બાળકને હસાવવા માટે તેને ઘણી વખત ગલીપચી કરી હશે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરીને તમે તમારા બાળકને નુકસાન પહોંચાડી રહ્યા છો? હા આ સાચું છે. જ્યારે બાળક નાનું હોય છે, ત્યારે તેના ચહેરા પર આવનારુ સ્મિત હાસ્યનો સંકેત નથી.  પરંતુ ઘણા માતા-પિતા તેને બાળકોનુ હાસ્ય માને છે અને તેમને વધુ ગલીપચી કરવા લાગે છે, જેના કારણે તેમને વધુ તકલીફ  થવા માંડે છે.
 
ગલીપચી બે પ્રકારની હોય છે. પ્રથમ નિસ્મેસિસ અને બીજું ગાર્ગાલેસિસ. નિસ્મેસિસ ગલીપચી કોઈ વ્યક્તિના હળવા સ્પર્શથી થાય છે. તમને  તેના પર હસુ નહી આવે.  ગાર્ગલેસિસ દરમિયાન વ્યક્તિ મોટેથી હસે છે. યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે બાળકને ગલીપચી થવા પર દુખાવો થઈ શકે છે. અત્યાર સુધી આવી અનેક ઘટનાઓ સામે આવી છે, જેમાં ગલીપચીને કારણે મોત થયા છે.
 
છાતી અને પેટમાં થાય છે દુખાવો 
બાળકો માટે હળવી ગલીપચી નુકસાનકારક નથી.  જો તમે તેને ખૂબ ઝડપથી ગલીપચી કરો છો, તો તે તેને નુકસાન પહોંચાડી શકે છે. તેને પીડા થઈ શકે છે. બાળકો નાના હોવાથી તેઓ તેમની સમસ્યાઓ તમને જણાવી શકતા નથી. જો કે તેમને ગલીપચી દરમિયાન છાતી અને પેટમાં તકલીફ થઈ શકે છે.
 
હેડકી આવવી શરૂ થાય છે 
એટલું જ નહીં, બાળકોને વધુ પડતી ગલીપચી કરવાથી હેડકી પણ આવી શકે છે. જેના કારણે તે ચીડાઈને રડવા લાગે છે. ગલીપચીને કારણે તેના અંગો પર જોરદાર આંચકો લાગે છે. તેમના બાહ્ય અને આંતરિક અવયવોમાં ઇજા થઈ શકે છે. બાળકો તેમની સમસ્યાઓ બોલીને વ્યક્ત કરી શકતા નથી. એટલા માટે માતાપિતાએ તેમની સાથે આવું કરવાનું ટાળવું જોઈએ.

વધુ જુઓ..

VIDEO: અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તબાહી અનેક ગામો પાણીમાં ડૂબી ગયા, હાઇવે પુલ ધોવાઈ ગયા

AMCનું મોટું આયોજન કે ઘોર બેદરકારી? 5 મહિનાના કામ બાદ હવે આખો સુભાષબ્રિજ તોડી પડાશે; અમદાવાદીઓને વેઠવો પડશે ટ્રાફિક જામ

અમદાવાદમાં સરકારી નોકરીની ઉત્તમ તક:ની બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ્સ માટે અરજી કરવાનો મોકો

ચોમાસાએ ગતિ પકડી, IMD એ મુંબઈમાં રેડ એલર્ટ જારી કર્યું! દિલ્હીમાં વાવાઝોડા અને વરસાદ

ICC T20 World Cup 2026: પાકિસ્તાનનો ખેલ પૂરો, ચાર ટીમો T20 વર્લ્ડ કપમાંથી બહાર

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

આગળનો લેખ
Show comments