Dharma Sangrah

એક સર્વેમાં બહાર આવ્યું કે આટલા ટકા ગુજરાતીઓને કોરોનાની કોઈ ચિંતા જ નથી

મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (14:39 IST)
કોવિડ મહામારીના વધતા આક્રમણ પાછળ કેટલાંક લોકોની બેદરકારી પણ જવાબદાર ગણાવવામાં આવી રહી છે. જ્યારે એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ગુજરાતના 13.75 ટકા લોકો બેફીકર છે અને કોરોના ચેપ લાગવાની કોઇ ચિંતા રાખ્યા વિના છુટથી હરેફરે છે. કોરોના મહામારી, લોકડાઉન અને ત્યારપછીની લોકોની માનસિક-શારીરિક હાલતનો અંદાજ મેળવવા માટે સર્વે અભ્યાસ હાથ ધરવામાં ાવ્યો હતો તેમાં ગુજરાતના 13.75 ટકા લોકોએ એમ કહ્યું કે કોરોનાની કોઇ ચિંતા નથી. રાજ્યમાં 1098 લોકોને આવરી લઇને હાથ ધરાયેલા આ સર્વેમાં 13075 ટકા લોકો કોરોના મામલે એકદમ બેફીકર માલુમ પડ્યા હતા. જ્યારે 52.8 ટકા લોકોએ ચેપ લાગવાની થોડીગણી બીક રહેતી હોવાનું સ્વીકાર્યું હતું. 33 ટકા લોકો ભયભીત માલુમ પડ્યા હતા. નોકરી કે ઓફીસ જતી વખતે કે ઘેર પરત આવતી વખતે અથવા તો લોકોના સંપર્કમાં આવતી વખતે કોરોનાનો ચેપ લાગવાની બહુ જ બીક લાગે છે. સર્વે દરમિયાન જુદા-જુદા પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. 82 ટકા લોકોએ કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન આવશ્યક ચીજવસ્તુઓ મેળવવામાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે માત્ર 17 આ લોકોમાં એમ કહ્યું હતું કે લોકડાઉન સરળ રહ્યું. કોઇ તકલીફ પડી ન હતી. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે અવરજવર બહાર નીકળવા પર પ્રતિબંધ હતો. આર્થિક ગતિવિધિઓ ઠપ્પ બની હતી. એટલે નાણાંકીય સંકટનો સામનો કરવો પડયો હતો. 58 ટકા લોકોએ સ્વીકાર્યું કે બદલાયેલા સંજોગોમાં ખર્ચમાં કાપ મુકવામાં આવ્યો છે. 53 ટકા લોકોએ કહ્યું કે પરિવાર સાથે વધુ સમય પસાર કરવા મળતા પારિવારિક મૂલ્યોમાં વૃધ્ધિ થઇ હતી. સાથોસાથ માનસિક હાલતમાં સુધારો થયો હતો. 40 ટકા લોકોએ શારીરિક હાલત સુધરી હોવાનું કહ્યું હતું. જો કે, 19 ટકા લોકોએ માનસિક-શારીરિક હાલત ખરાબ થયાનું કહ્યું હતું.
 
 

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

આગળનો લેખ
Show comments