Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 15 હજારથી વધુ પરપ્રાંતિયો વતનમાં જવા માંગે છે

ગુરુવાર, 30 એપ્રિલ 2020 (13:15 IST)
લોકડાઉનના કારણે અમદાવાદમાં ફસાઇ ગયા હોય તેવા ૧૫,૦૦૦  જેટલા પરપ્રાંતિયોએ  તેમના વતનમાં  પરત જવા માટે કલેક્ટરઅને જે તે મામલતદાર કચેરીમાં જાણ કરીને રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ પરિવારો છેલ્લા એક માસથી અમદાવાદમાં વિવિધ જગ્યાએ  લોકડાઉનના કારણે ફસાઇ ગયા છે. કે જેઓ વતન જઇ શકતા નથી.  અમદાવાદમાં ખાસ કરીને  જીઆઇડીસીઓ સહિતના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા પરપ્રાંતિય મજૂરો 
કોરોનાના કારણે કામધંધો છીનવાઇ જતા હવે  વતન પરત  જવા માંગે છે.  લોકડાઉન લંબાવવાની શક્યાતઓ  અને અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ હોવાથી અહીંયા કમાવવામાં આવેલા લોકો હવે ગમે તેમ કરીને  સહ પરિવાર વતન જવા ઇચ્છી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં વિવિધ બહારના રાજ્યોમાંથી આવેલા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ પણ વતન જવા માંગી રહ્યા છે. આ અંગે કલેક્ટર કચેરીના અધિકારીઓના જણાવ્યા મુજબ  જે લોકો વતન જવા માંગતો હોય તેમનું રજિસ્ટ્રેશન કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જિલ્લા કંટ્રોલરૂમમાં અને જેતે મામલતદાર કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય  છે. અત્યાર સુધીમાં ૧૫,૦૦૦થી વધુ પરપ્રાંતિયોએ વતન જવા વ્યવસ્થા કરી આપવા આજીજી કરી છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ -આજના જોક્સ

ગુજરાતી જોક્સ - પતિ પત્ની ના મજેદાર જોક્સ

ગુજરાતી જોક્સ - કેટલા માર્ક્સ આવ્યા

ગુજરાતી જોક્સ- સૌથી વધુ ખુશ કોણ

ગુજરાતી જોક્સ- પરીક્ષામાં પણ બધા પ્રશ્નો

આગળનો લેખ
Show comments