Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટુકડા-ટુકડા કરી અંદર જ મુકી છે લાશ...ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યા કરનારા ભાડૂઆતની કબૂલાત

ગુરુવાર, 18 ડિસેમ્બર 2025 (16:54 IST)
ghaziabad murder case
મે ચૂંદડીથી તેનુ ગળુ દબાવ્યુ અને પછી ટુકડે ટુકડા કરી નાખ્યા.. લાશ અંદર જ રૂમમાં સૂટકેસમાં પડેલી છે. ગાજિયાબાદમાં મકાન માલિકની હત્યાના મામલે ગુપ્તા દંપતિની ધરપકડ કરવામાં આવી છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા બંને પોતાનો ગુન્હો કબૂલ કરતા જોવા મળી રહ્યા છે.  પતિનુ કહેવુ છે કે માલિકિને તેને ખૂબ પ્રતાડિત કર્યો. તેમનુ બહાર નીકળવુ પણ મુશ્કેલ થઈ રહ્યુ હતુ. સાંજે હુ ઘરે આવી તો મે ચુંદડીથી ગળુ દબાવીને મારી નાખી. ત્યારબાદ પતિને એ કહેતા સાંભળ્યુ કે મે જ તેને મારી છે. પછી પત્નીએ કહ્યુ કે નહી મારો પણ રોલ છે. હુ સાથે હતી. અમે બંને મળીને મારી.. લાશ અંદર જ મુકી છે. ઉલ્લેખનીય છે કે બંને પતિ પત્નીએ શેઠાણીના ટુકડે ટુકડા કરી બેગમાં લાશને ભરી અને બેડમાં છિપાવી દીધી.  
 
 
6 મહિનાનુ ભાડુ હતુ બાકી 
અજય ગુપ્તા ભાડુઆત અને તેમની પત્નીએ તેમના પતિને કૉલ કર્યો કે ભાડુ લેવા આવી જાવ. લગભગ 6 મહિનાનુ લગભગ 90 હજાર રૂપિયા ભાડુ બાકી હતુ. આ વાતને લઈને વિવાદ પણ રહેતો હતો. દીપશિખાના પતિએ કહ્યુ કે તેઓ ફરીદાબાદ છે પત્નીને ભાડુ લેવા મોકલી રહ્યા છે. દીપશિખા પોતાના ઘરે કહીને આવી હતી કે તે ભાડુ લઈને આવી રહી છે.  પણ જ્યારે રાત સુધી તે પરત ન આવી તો પછી સીસીટીવી ફુટેજમાં જોવામાં આવી. ત્યારબાદ સોસાયટીના લોકો ગુપ્તા દંપતિના ઘરે પહોચે છે અને પછી બંને કબુલ કરે છે કે તેમણે દીપશિખાની હત્યા કરી નાખી છે. 
 
લાશને કાપીને સુટકેસમાં ભરેલી હતી.
ભાડૂઆતએ કહ્યું, "તેણીએ અમારા માટે ફરવાનું મુશ્કેલ બનાવ્યું હતું. અમે ખૂબ માનસિક દબાણ હેઠળ હતા. આજે સાંજે, ભારે તકલીફમાં, મેં તેને મારી નાખી. હું કબૂલ કરું છું કે મેં તેને મારી નાખી. હવે, કૃપા કરીને મારી પત્નીને હેરાન ન કરો. મેં તેનું સ્કાર્ફથી ગળું દબાવી દીધું. અમે અમારો ગુનો કબૂલ કરીએ છીએ, અને હવે અમે પોલીસ સમક્ષ કબૂલાત કરીશું. તેણીએ અમને ખૂબ ત્રાસ આપ્યો. મારા હાથ પણ કાપથી ઢંકાયેલા છે." જ્યારે લાશ ક્યાં છે તેવું પૂછવામાં આવ્યું, ત્યારે તેણે જવાબ આપ્યો, "લાશ અહીં રૂમની અંદર પડેલી છે. તેને કાપીને સુટકેસમાં ભરેલી છે."
 
જ્યારે પોલીસે તેમની કડક પૂછપરછ કરી, ત્યારે તેઓએ કબૂલ્યું કે તેણી ભાડા માટે તેમને હેરાન કરતી હતી, તેથી તેઓએ તેની હત્યા કરી. અજય બીમાર હતો, તેથી તે ભાડું ચૂકવી શક્યો ન હતો, અને ગુસ્સામાં તેણે દીપશિખાની હત્યા કરી. પોલીસે હાલમાં બંનેની ધરપકડ કરી છે અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

કેમ કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો ? કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

ગુજરાતી રમૂજી જોક્સ

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

આગળનો લેખ
Show comments