ભગવાન રામે જગતને સંદેશ આપ્યો કે દુષ્ટ અને અત્યાચારી કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય પરંતુ શક્તિનો દુરુપયોગ છેવટે તેના જ વિનાશને આમંત્રિત કરે છે. આ તહેવાર આપણા મનમાં વિજયનો ભાવ જગાવે છે અને આપણી જ્ઞાન અને વિવેક રૂપી શક્તિઓનુ જાગરણ કરી આપણા અજ્ઞાન રૂપી અંધરાર અને સ્વભાવિક વિકારો - કામ, ક્રોધ, મદ, લોભ,મોહ, અને માત્સર્ય પર વિજય પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે.