Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઋષિ પંચમીની પૂજાવિધિ

સોમવાર, 2 સપ્ટેમ્બર 2019 (13:09 IST)
ઋષિ પંચમી Rishi panchami ભાદ્રપદ શુક્લ પક્ષની પંચમીને આવે છે. ઋષિ પંચમીને ભાઈ પંચમીના નામથી પણ ઓળખાય છે. માહેશ્વરી સમાજમાં આ દિવસે રાખડી બંધાય છે. 
 
તે સિવાય મહિલાઓ આ દિવસે સાત ઋષિયોની પૂજા કરે છે. ઋષિ પંચમી વ્રતની કથા સાંભળે છે. આ વ્રત પાપને નાશ કરનાર અને શ્રેષ્ઠ ફળદાયી ગણાય છે. 
 
ઋષિ પંચમી વ્રત 
આ વ્રતને કરવાથી જો રજસ્વલા દોષ હોય તો એ પણ મટી જાય છે. માહવારી કે માસિકધર્મ પૂરા થતા ઋષિ પંચમી વ્રતનો ઉદ્યાપન કરાય છે. 
ALSO READ: Video Rishi Panchami Vrat Katha - ઋષિ પંચમી વ્રત કથા સાંભળો
રજસ્વલા દોષ 
હિંદું ધર્મમાં કોઈ સ્ત્રીને રજસ્વલા (માહવારી કે માસિકધર્મ, પીરિયડ)થતાં પર રસોડામાં જવાનું, રસોઈ કરવી, પાણી ભરવું અને ધાર્મિક કાર્યમાં શામેલ થવું અને તેનાથી સંબંધિત વસ્તુઓને અડવું વર્જિત ગણાય છે. જો ભૂલથી આ અવસ્થામાં એવું થઈ જાય તો તેનાથી રજસ્વલા દોષ હોય છે. 
આ રજસ્વલા દોષને દૂર કરવા માટે ઋષિ પંચમીનો વ્રત Rishi panchmi vrat કરાય છે. કેટલા લોકો કેવડાત્રીજ કે હરતાલિકા ત્રીજથી ત્રણ દિવસ ઋષિ પંચમી સુધી કરે છે. 
 
ઋષિ પંચમી પૂજાનની વિધિ 
વસંત પંચમી વ્રત કેવી રીતે કરવું
સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા
ત્યાર પછી ઘરમાં જ કોઇ પવિત્ર જગ્યાએ હળદરથી ચોરસ કરવું.
તેની પર સાત ઋષિઓની સ્થાપના કરવી.
ત્યાર પછી સાતેય ઋષિઓનું વિવિધ ઉપચારો વડે પુજન કરવું અને નૈવેધ અર્પણ કરવું.
ત્યાર પછી વ્રત કથા પ્રમાણે આરતી અને પ્રસાદ વિતરણ કરવો.
દિવસ દરમ્યાન માત્ર ફળાહાર ગ્રહણ કરવો. 
આ પ્રમાણે સાત વર્ષ વ્રત કરીને આઠમાં વર્ષે તેની પૂર્ણાહુતિ કરવી.
છેલ્લે સાત બ્રાહ્મણ પતિ-પત્નિઓને ભોજન કરાવી,દક્ષિણા આપીને વિદાય કરવાં.
આ વ્રત કરતી વખતે બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે.
 
ઋષિ પંચમીના દિવાસે કંદમૂળને બદલે વાડાના શાક ખાવામાં આવે છે. ખડધાનમાં સામો ઉપરાંત વાડાના તમામ શાક પણ પાંચમના પર્વે ખવાય છે. જેમાં દુધી, તૂરીયા, ચીભડુ, ગલકા વગરેનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તમામ પ્રકારના ફ્રુટ પણ ખાઇ શકાય છે. આ પર્વે કંદમૂળના ભોજનનો નિષેધ હોવાથી સૂરણ કે બટાકાનો ખાવામાં ઉપયોગ કરવો જોઈએ નહીં.

વધુ જુઓ..

World Malaria Day - મલેરિયા કેટલા દિવસમાં ઠીક થનારી બીમારી છે ?

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

વધુ જુઓ..

હનુમાન આરતી

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Garud Puran: 4 આદતો મૃત્યુ પછી બચાવશે યમલોકની યાતનાઓથી, ગરુડ પુરાણમાં છે આનું વર્ણન

Aaj Nu panchang- આજનુ પંચાગ -25 એપ્રિલ

આગળનો લેખ
Show comments