Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Sparrow Day - શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઇ ગઇ

શુક્રવાર, 20 માર્ચ 2026 (11:05 IST)
મધુર અવાજ દ્વારા સમગ્ર માહોલને ગૂંજવતી ચકલીઓની વસતિ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ઘટી રહી છે. ચકલીઓનું અસ્તિત્વ ટકાવવા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેના માટે છેલ્લા કેટલાક વર્ષથી ૨૦ માર્ચની ઉજવણી 'વર્લ્ડ સ્પેરો ડે'  તરીકે કરવામાં આવે છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો હવે માંડ ૧૦ ટકા ચકલીઓનું અસ્તિત્વ છે. જેમાં પણ અનેક શહેરોમાંથી ચકલીઓ જોવા જ મળતી નથી. પ

દર વર્ષે 20 માર્ચે વિશ્વભરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે.
 
પર્યાવરણવિદેના મતે સમગ્ર દેશમાંથી છેલ્લા ૨૫ વર્ષમાં ચકલીઓની ૫૨% વસતિ ઘટી ગઇ છે. ચકલીઓની ઘટતી જતી વસતિ અંગે એનવાર્યમેન્ટલિસ્ટ જગત કિનખાબવાલાએ જણાવ્યું હતું કે 'ચકલીઓ લુપ્ત થઇ રહી છે એટલે જ વર્લ્ડ સ્પેરો ડે ઉજવવો પડી રહ્યો છે. શા માટે વર્લ્ડ પેરટ ડે કે વર્લ્ડ પીકોક ડે નથી ઉજવાતો? કેમકે, તેઓની વસતિ પર હજુ સુધી ચકલી જેમ જોખમ સર્જાયું નથી. ચકલીઓની સંખ્યા ઘટી રહી છે તેના માટે એક નહીં અનેક કારણ જવાબદાર છે. જેમાં સૌપ્રથમ એ છે કે શહેરોમાં એવી ઊંચી ઇમારતો થઇ ગઇ છે કે ચકલીઓ માટે માળો બાંધવા જગ્યા જ બચી નથી. આ ઉપરાંત આજનો માનવી પોતાના પરિવાર-મિત્રો-ટીવી-સ્માર્ટ ફોન એમ ચાર દિવાલમાં કેદ થઇ ગયો છે અને પ્રકૃત્તિ માટે સમય ફાળવવાનની તેની પાસે ફૂરસદ નથી. ગામડાઓમાં પણ કેમિકલયુક્ત પાકને લીધે ચકલીઓની વસતિ પર અસર પડી રહી છે. '
 

વધુ જુઓ..

International Labour Day: કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને શું છે આ વર્ષની થીમ?

PBKS vs RR: પંજાબને મળી સીઝનની પહેલી હાર, રાજસ્થાને શાનદાર અંદાજમાં જીત્યો મુકાબલો

મહિલા અનામત અધિકારોને લાગુ કરવામાં કોઈ કસર છોડશે નહીં: પીએમ મોદી

West Bengal Election Voting 2026 LIVE: EVM ખરાબ થવાને કારણે હાવડામાં હોબાળો, છપરામાં TMC-BJP વચ્ચે અથડામણ, અભિષેક બેનર્જી અને મહુઆ મોઇત્રાએ મતદાન કર્યું

Ganga Expressway- પીએમ મોદી આજે ગંગા એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરશે.

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -29 એપ્રિલ

Aaj nu panchang - આજનુ પંચાગ -28 એપ્રિલ

Bhaum Pradosh Vrat 2026 - પ્રદોષ વ્રત પર બની રહ્યો છે ત્રિપુષ્કર યોગનો સંયોગ

Mahabharat yudh- દુર્યોધનનું શરીર લોખંડમાં ફેરવાઈ ગયું—પણ તેના જાંઘ કુદરતી કેવી રીતે રહ્યા?

Mohini Ekadashi: મોહિની એકાદશી પર કરો તુલસી સાથે જોડાયેલ આ 4 ઉપાય, ભગવાન વિષ્ણુ ખુશીઓથી જીવન ભરી દેશે

આગળનો લેખ
Show comments