Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Sparrow Day - શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઇ ગઇ

શુક્રવાર, 20 માર્ચ 2026 (11:05 IST)
મધુર અવાજ દ્વારા સમગ્ર માહોલને ગૂંજવતી ચકલીઓની વસતિ માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં ઘટી રહી છે. ચકલીઓનું અસ્તિત્વ ટકાવવા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેના માટે છેલ્લા કેટલાક વર્ષથી ૨૦ માર્ચની ઉજવણી 'વર્લ્ડ સ્પેરો ડે'  તરીકે કરવામાં આવે છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો હવે માંડ ૧૦ ટકા ચકલીઓનું અસ્તિત્વ છે. જેમાં પણ અનેક શહેરોમાંથી ચકલીઓ જોવા જ મળતી નથી. પ

દર વર્ષે 20 માર્ચે વિશ્વભરમાં વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે.
 
પર્યાવરણવિદેના મતે સમગ્ર દેશમાંથી છેલ્લા ૨૫ વર્ષમાં ચકલીઓની ૫૨% વસતિ ઘટી ગઇ છે. ચકલીઓની ઘટતી જતી વસતિ અંગે એનવાર્યમેન્ટલિસ્ટ જગત કિનખાબવાલાએ જણાવ્યું હતું કે 'ચકલીઓ લુપ્ત થઇ રહી છે એટલે જ વર્લ્ડ સ્પેરો ડે ઉજવવો પડી રહ્યો છે. શા માટે વર્લ્ડ પેરટ ડે કે વર્લ્ડ પીકોક ડે નથી ઉજવાતો? કેમકે, તેઓની વસતિ પર હજુ સુધી ચકલી જેમ જોખમ સર્જાયું નથી. ચકલીઓની સંખ્યા ઘટી રહી છે તેના માટે એક નહીં અનેક કારણ જવાબદાર છે. જેમાં સૌપ્રથમ એ છે કે શહેરોમાં એવી ઊંચી ઇમારતો થઇ ગઇ છે કે ચકલીઓ માટે માળો બાંધવા જગ્યા જ બચી નથી. આ ઉપરાંત આજનો માનવી પોતાના પરિવાર-મિત્રો-ટીવી-સ્માર્ટ ફોન એમ ચાર દિવાલમાં કેદ થઇ ગયો છે અને પ્રકૃત્તિ માટે સમય ફાળવવાનની તેની પાસે ફૂરસદ નથી. ગામડાઓમાં પણ કેમિકલયુક્ત પાકને લીધે ચકલીઓની વસતિ પર અસર પડી રહી છે. '
 

વધુ જુઓ..

Weather Updates- ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના! હવામાન વિભાગ (IMD) એ આ રાજ્યો માટે ચેતવણી જારી કરી છે.

મને એન્જોય કરાવો...’ કહી ડૉક્ટરે યુવકને સૂમસામ વિસ્તારમાં લઈ જઈ અશ્લીલ હરકતો કરી, લોકોએ જોરદાર ધોલાઈ કરી"

અમદાવાદ જીલ્લામાં સરકારી નોકરીની ઉત્તમ તક, વિરમગામ નગરપાલિકામાં સિટી મેનેજરની પોસ્ટ માટે આજ જ કરો એપ્લાય

વિમાન દુર્ઘટનાના એક વર્ષે મેઘાણીનગર કેમ્પસ માટે રૂ. 547 કરોડના મેગા પ્રોજેક્ટની જાહેરાત, અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટનો થશે કાયાકલ્પ

EL Nino Alert: અલ નિનો ભારતમાં દુષ્કાળનું જોખમ વધારે છે, પીએમ મોદીએ ચેતવણી આપી

વધુ જુઓ..

Shukra Pradosh Vrat Katha: શુક્ર પ્રદોષ વ્રતના દિવસે વાંચો આ પાવન કથા, દરેક દુ:ખ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 જૂન 2026

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments