Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટેકાના ભાવે મગફળી વેચવાની નોંધણી માટે ખેડૂતોની લાંબી લાઇનો લાગી

Updated: ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (12:16 IST)
રાજકોટ માર્કેટ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળીની વેચવા માટેનાં રજીસ્ટ્રેશન સ્થળે નોંધણી માટે ખેડૂતો અધિકારીઓ આવે તેના કલાકો પહેલા જ આવી જાય છે. આ પાછળ કારણ એક જ છે કે તેમને ટોકન મળે. વહેલી સવારથી લાંબી લાંબી લાઇનો લાગી જાય છે. ગઇકાલે 2જી ઓક્ટોબરની રજા હોવા છતાંપણ અહીં આગલી રાતથી જ ખેડૂતો આવી ગયા હતાં. પરંતુ જાહેર રજા હોવાને કારણે તેઓને નિરાશા સાંપડી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમણે જાહેર રજાનું બોર્ડ મારવું જોઇતું હતું કે જેથી અહીં ખેડૂતોનો સમય ન બગડે. આજે પણ ખેડૂતો દૂર દૂરથી વહેલી સવારે અહીં નોંધણી માટે આવી ગયા હતાં. પહેલા દિવસે રજીસ્ટ્રેન માટે 200થી વધારે ખેડૂતો દૂર દૂરથી આવ્યાં હતાં પરંતુ તેમાંથી માત્ર 100 ખેડૂતોને જ ટોકન મળ્યાં હતાં. જેથી પોતાને ટોકન મળે તે માટે ખેડૂતો વહેલી સવારથી જ લાઇનમાં લાગી જાય છે.\

ખેડૂતોનો આક્ષેપ છે કે, ' નોંધણી માટેનાં અધિકારીઓ અમને એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલે છે. અધિકારીઓ પોતાનાં સમય કરતા મોડી આવે છે. ત્યારે અમારે કેટલીય વાર તેમની રાહ જોવી પડે છે.' અન્ય ખેડૂતનું કહેવું છે કે, 'અતિવૃષ્ટિનાં કારણે મગફળીનાં પાકમાં ફુગ આવી ગઇ છે. ખેડૂતો આ વર્ષે સરેરાશ 35થી 50 ટકા પાક આવશે તેવી શકયતા છે. ખેડૂતો રજીસ્ટ્રેશન સ્થળે અધિકારીઓનાં ફોન નંબર તેમજ સ્પષ્ટ સૂચના લખેલી નથી હોતી. બીજી તરફ અધિકારીઓ તમામ માહિતી ટ્વીટર હેન્ડલ પર આપી રહ્યા છે. પરંતુ કાળી મજૂરી કરનારો ખેડૂતને ટ્વિર જોવાનું કઇ રીતે આવડે તે પણ મોટો પ્રશ્ન છે.'
 
 
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments