Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી નિબંધ - શું છે વેક્સીન કેવી રીતે મળે છે ફાયદા

Gujarati Essay on Vaccine

Updated: શુક્રવાર, 24 સપ્ટેમ્બર 2021 (11:39 IST)
વેક્સીન તમારા શરીરને કોઈ સંક્રમણથી બચાવે છે. વાયરસ, ગંભીર રોગ કે પેઢી દર પેઢી ચાલી આવી રહ્યા રોગોથી લડવામાં મદદ કરે છે. તેને લગાવવાથી રોગ પ્રતિકારક ક્ષમતા વધી જાય છે. તેનાથી તમે રોગોથી લડવામાં સફળ થાઓ છો. વેક્સીન લગાવવાથી ઈમ્યુન સિસ્ટમ સંક્રમણને ઓળખવા બૂસ્ટ કરે છે. તેની સામે શરીરમાં એંટીબૉડી બને છે જે બાહરી રોગોથી લડવામાં અમારા શરીરની મદદ કરે છે અને અમે રોગોની ચપેટમાં આવવાથી બચી જાય છે. 
 
અમેરિકાના સેંટર ઑફ ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશનના મુજબ વેક્સીન ખૂબ પ્રભાવશાળી હોય છે. પણ આ કોઈ રોગોની સારવાર નહી કરે છે. પણ તેને થવાથી રોકે છે. વેક્સીન કોઈ પણ રોગોથી લડવા માટે તમારા શરીરના ઈમ્યુનિટી લેવલને બૂસ્ટ કરે છે. 
 
કેવી રીતે બને છે વેક્સીન 
વેક્સીનમાં મૃત બેક્ટીરિયા, કેટલાક પ્રોટેમ અને વાયરસ હોય છે જેને બૉડીમાં નખાય છે. ત્યારબાદ બૉડીને લાગે છે કે સાચુ વિરોધી આવી ગયુ છે તો તે એંટીબૉડી બનાવી લે છે. પછી જ્યારે પણ અસલી બેક્ટીરિયા આવે છે તો એંટી બૉડી તમારા બૉડીમાં પહેલાથી જ હોય છે. જ્યારે નાના બાળકોને રસી લગાવાય છે ત્યારે તેને હળવું તાવ આવે છે. તેનો અર્થ થાય કે રસી તેમનો કામ કરી રહ્યો છે અને એંટી બૉડી બનાવી રહ્યો છે. વેક્સીનનો કામ હોય છે લોકોને રોગોથી બચાવવું. આ રોગો થયા પછી દવા કે સારવાર નહી છે. 
 
જેમ નિમોનિયા, પોલિયોના વેક્સીન પણ બાળકોને પહેલાથી જ લગાવાય છે. 
વેક્સીન સુરક્ષિત હોય છે?
ચીનમાં 1786માં એક પરીક્ષન કરાયુ હતુ. ત્યારબાદ વેક્સીન શબ્દનો પ્રચલન થયું. વેક્સીનને આજના સમયે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાય છે. WHO ના મુજબ વેક્સીનથી એક વર્ષમાં આશરે 30 લાખ લોકોનો જીવ બચી જાય છે. તે વેક્સીન ત્યારે બજારમાં આવે છે જ્યારે તેને સ્થાનીય દવા નિયામકોની પરવાનગી મળે છે. ચેચક જેવા રોગોને આજ સુધી રસીથી જ મ્હાત આપી છે અને આ રોગને મૂળથી ખત્મ કરી નાખે. પણ ઘણીવાર વેક્સીનેશનના પ્રયોગ કરવામાં વર્ષોઅ લાગી જાય છે. 
 
કોરોના વાયરસને લઈને આખી દુનિયામાં શોધ ચાલૂ છે. વર્તમાન સ્થિતિ મુજબ વૈજ્ઞાનિકો પણ દાવા નહી કરી શકતા છે કે આ રોગ ક્યારે અને કેવી રીતે ખત્મ થશે. તેની પૂરતી વેક્સીન શોધવામાં મહીના કે વર્ષો પણ લાગી શકે છે. 
 
વેક્સીનના શું છે ફાયદા 
વેક્સીન તમારા બૉડીમાં એંટી બૉડીજ પેદા કરે છે. તેને લગાવવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. તેને રોગોથી ચપેટમાં આવવાથી પહેલા લગાવાય છે. કોરોના વેક્સીન આ વાતનો સૌથી સરસ ઉદાહરણ છે. ડાક્ટર્સ દ્વારા આ સલાહ આપી રહ્યુ છે કે વેક્સીન બધાને લગાવી લેવી જોઈએ. જો તમે કોરોના સંક્રમિત પણ થાઓ તો તમને હૉસ્પીટલમાં એડમિટ થવાની જરૂર નહી પડશે. તમે ઘરે જ ઠીક થઈ શકો છો. તેને લગાવવાથી તમારી રોગ પ્રતિરોધક ક્ષમતા વિકસિત હોય છે. આ રોગની સારવાર નહી કરતો પણ તે રોગને રોકવામાં મદદ કરે છે. 
 
વેક્સીન નિર્યાત પર લગાવી રોક 
ભારતમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ વેક્સીન નિર્મિત કરાઈ રહી છે. પણ કોરોના સંક્રમણનો ખતરો વધારે વધી રહ્યો છે. લોકોને વેક્સીનેશનના પ્રત્યે જાગરૂક કરી વેક્સીન લગાવવાની સલાહ અપાઈ રહી છે. તેથી ભારતમાં વેક્સીનની પૂર્તિ તેજીથી વધી રહી છે. પણ વેક્સીન નિર્યાત કરવાના પ્રભાવ હવે ભારત પર જોવાઈ રહ્યો છે. ઘણા રાજ્યોમાં વેક્સીનની ઉપ્લબ્ધતા ખત્મ થઈ ગઈ હતી. જેને લઈને હવે કેટલાક દિવસો માટે વેક્સીનના નિર્યાત પર પ્રતિબંધ લગાવી દીધું છે. WHO ના મુજબ ભારતમાં 76 દેશોમાં આશરે 6 કરોડ ડોઝ મોકલી દીધા છે. સૂત્રોના ઘરેલૂ માંગને પ્રાથમિકતા રાખતા વેક્સીનના નિર્યાત પર પ્રતિબંધ લગાવવાનો ફેસલો લેવાયુ છે. 
 
ઉપસંહાર- વેક્સીન બાળપણમાં લગાવાતુ હતુ પણ નિમોનિયા જેવા રોગથી બચી શકાય. રસી લગાવાય પછી તમને તાવ આવે છે કારણ કે તમારી બૉડીમાં એંટીબોડી બને છે અને રોગ આવતા પર તે તૈયાર રહે છે. રોગોંર રોકી શકાય છે. તેથી વેક્સીન લગાવી રહ્યો છે વેક્સીન લગાવતા સમયે તમને તાવ પણ આવે છે. આવું બાળકોને રસી લગાવતા પર પણ હોય છે અને વર્તમાનમાં રસી લગાવતા પણ થઈ રહ્યુ છે. તેનો અર્થ છે કે વેક્સીન કામ કરી રહી છે.   
 

વધુ જુઓ..

કૂતરાઓના આતંક સામે અનોખો વિરોધ, નેતાએ નગર પંચાયત અધિકારીની ઓફિસમાં છોડી દીધા કૂતરા

અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની આગાહી!

મહાકાલની નગરીમાં આજે દીવડાઓનો મહાસંગમ, શિપ્રા કિનારે પ્રગટશે 25 લાખ દીવા

પાંચ બાળકોની માતા અને જમાઈ વચ્ચે પ્રેમસંબંધ, લગ્નની જીદ લઈને સાસુ પહોંચી પોલીસ સ્ટેશન

પાગલ કૂતરાનો આતંક, 18 લોકોને કરડતાં અફરાતફરી; ગુસ્સે ભરાયેલા લોકોએ મારી નાખ્યો

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments