Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરૂરી સમાચાર - મિલાવટી હળદરથી થયુ નવવધુનુ મોત, હળદર ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન

વેબ દુનિયા ફીચર ટીમ
ગુરુવાર, 18 જૂન 2026 (16:27 IST)
fake turmeric test
મઘ્યપ્રદેશના ખરગોનમાં ભેળસેળવાળી હળદર સાથે ચોંકાવનારો મામલો આવ્યો સામે, જેમા દુલ્હનનુ થયુ મોત, જાણો નકલી હળદરની ઓળખવાના સહેલા ઘરેલુ ઉપાય 
 
આજના સમયમાં ભેળસેળ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને ખાવ પીવાની વસ્તુમાં ભેળસેળના સમાચાર સામે આવતા રહે છે. આ જ રીતે મઘ્યપ્રદેશના ખરગોન જીલ્લામાંથી ભેળસેળવાળી હળદરનો એક ગંભીર મામલો સામે આવ્યો. ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી અને પીઠી ચોળાઈ રહી હતી.  પણ થોડી જવારમાં નવવધુ અને વરરાજાની તબિયત અચાનક બગડવા માંડી જેનાથી આખા પરિવારમાં હડકંપ મચી ગયો. 
 
 ભેળસેળવાળી હળદરનો ઉપયોગ કરવાથી નવવધુ અને વરરાજા બંનેની હાલત ખરાબ થવા માંડી. તેમના શરીર પર લાલ ચકતા પડવા માંડ્યા. સોજો આવી ગયો અને શ્વાસ લેવામાં પણ તકલીફ થવા માંડી. પરિસ્થિતિ ગંભીર થતા જ બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. પણ સારવાર દરમિયાન નવવધુનુ મોત થઈ ગયુ. 
 
આ ઘટનાને જોઈને મોટો સવાલ એ છે કે ક્યાક આપણ પણ અજાણતા ભેળસેળવાળી હળદરનો ઉપયોગ તો નથી કરી રહ્યા. જરૂરી છે કે આપણે આવી નકલી વસ્તુઓને ઓળખતા શીખીએ. જેથી આપણા અને આપણા પરિવારના આરોગ્યને સુરક્ષિત રાખી શકાય. આ સવાલને ધ્યાનમાં રાખતા નકલી હળદરના કેટલાક ઘરેલુ ટેસ્ટ બતાવ્યા છે. જેની મદદથી તમે અસલી અને નકલી હળદરમાં ફરક જોઈ શકો છો. આવો જાણીએ આ ટેસ્ટસ વિશે...  
fake turmeric test
 

નકલી હળદર કેવી રીતે ઓળખવી?

 
ડો. સમીર ભાટીએ ઘરે ભેળસેળવાળી હળદર ઓળખવાની એક સરળ પદ્ધતિ શેર કરી છે.
 
બે પારદર્શક ગ્લાસ લો.
 
હવે દરેક ગ્લાસમાં થોડી હળદર પાવડર ઉમેરો.
 
આ પછી, બંને ગ્લાસમાં સમાન માત્રામાં પાણી રેડો અને થોડીવાર ધ્યાનથી જુઓ.
 
જો હળદર અસલી હશે, તો તેનો રંગ ધીમે ધીમે આછો થશે અને તળિયે સ્થિર થશે, પાણી ખૂબ ઘેરો પીળો નહીં થાય. જોકે, જો હળદર ભેળસેળવાળી હશે, તો પાણીનો રંગ તરત જ ખૂબ જ ઘેરો પીળો અથવા નારંગી થઈ જશે અને લાંબા સમય સુધી તે રીતે રહેશે.

વધુ જુઓ..

2026 ના 7 બેસ્ટ ઈલેક્ટ્રિક સ્કુટર, લાંબી રેંજ, દમદાર ફીચર્સ અને શાનદાર પરફોર્મેંસ, ખરીદતા પહેલા જુઓ આખુ List

વિયેતનામમા ભારતીય પર્યટકોને લઈ જઈ રહેલી નાવડી ડૂબી, કુલ 36 લોકો હતા સવાર, હેલ્પલાઈન નંબર જાહેર

ભારતમાં સ્કેમ અને પેપર લીક, પણ મંત્રીઓના સંતાનો કેમ જાય છે વિદેશ? સોશિયલ મીડિયા પર લોકોનો ફૂટ્યો ગુસ્સો!

સ્વદેશી સ્ટેલ્થ ફ્રિગેટ INS મહેન્દ્રગિરિ ભારતીય નૌસેનામાં સામેલ, રાજનાથ સિંહ બોલ્યા - આત્મનિર્ભર ભારતની તાકતનુ પ્રતિક

TAT-HS મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર: બોર્ડ ટૂંક સમયમાં જાહેર કરશે હોલ ટિકિટ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments