Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભોજન કરતા જ શૌચ જવાની સમસ્યાના શું છે કારણ જાણો તેનાથી છુટાકારો મેળવવાના ઘરેલૂ ઉપાય

Updated: રવિવાર, 16 મે 2021 (10:12 IST)
વિચારો તમે કોઈ પાર્ટીમાં ગયા છો ત્યાં તમારી પસંદની ઘણી પ્રકારની વાનગી રાખી છે પણ આ ડિશેજને ખાવાથી ગભરાઈ રહ્યા છો. તેનો કારણ છે કે ભોજન કરવાના થોડીવાર પછી જ તમને ટૉયલેટ તરફ 
ભાગવાની સમસ્યા છે. આ સત્યતા તે લોકો માટે ખૂબ ભયાવહ છે જે આ સમસ્યાથી પસાર થઈ રહ્યા છે. ભોજન કરતા તરત જ પૉટી લાગવાની સમસ્યને ગેસ્ટ્રો-કૉલિક રિફ્લક્સ કહે છે. જોવાયુ છે કે આ સમસ્યા તે 
લોકોને વધારે આવે છે જે શરૂઆતમાં લાંબા સમય સુધી શૌચને રોકીને રાખે છે. 
 
ઘરેલૂ ઉપચાર 
- મીઠા કેરીનો રસ 50 ગ્રામમાં મીઠો દહીં 10-20 ગ્રામ અને આદુંનો રસ 1 ચમચી ભરી દરરોજ દિવસમાં 2 વાર થોડા દિવસો દર્દીને પીવડાવતા રહેવાથી લાભ થવા લાગે છે. 
- આમલી છાલટાનો ચૂર્ણ 1 થી 6 ગ્રામ સુધી સુધી 20 ગ્રામ તાજા દહીમાં મિક્સ કરી દિવસમાં 2 વાર(સવારે અને સાંજે) ચટાવવાથી બાળકોને આ સમસ્યાથી છુટકારો મળે છે. 
- ઈસબગોળ 4 ગ્રામને 40 ગ્રામ ગરમ જળમાં પલાળી દો. ઠંડુ થતા પર તેમાં 10 ગ્રામ ઓરેંજ કે દાડમનો શરબત મિક્સ કરી થોડા દિવસોમાં આ સમસ્યા દૂર થઈ જાય છે. 
- પિપળી, ભાંગ અને સૂંઠના સમભાગ ચૂર્ણને મધની સાથે સેવન કરતા રહેવાથી ભયંકર સંગ્રહણીમાં પણ લાભ થઈ જાય છે. 
- બેલ ના કાચા ફળને અગ્નિમાં શેકીને પલ્પ કાઢી થોડી ખાંડ મિક્સ કરી સેવન કરતા રહેવાથી રાહત મળે છે. 
-ત્રણ ગ્રામ કેરીના ફૂલનો ચૂર્ણ બારીક વાટીને વાસી જળની સાથે સેવન કરવાથી લાભ હોય છે. 
- ભાંગ 2 ગ્રામ શેકીને 3 ગ્રામ મધમાં મિક્સ કરી ચાટવાથી આરામ મળે છે. 
 
આ ઉપાયોને અજમાવો 
- ભોજન સારી રીતે ચાવીને ખાવો 
- ફાઈબરવાળા ભોજનનો કરો સેવન 
- 3-4 વારમાં થોડુ-થોડું ભોજન કરો. 
 
ભોજનમાં શામેલ કરો આ વસ્તુઓ 
આ સમસ્યાથી બચવા માટે ફાઈબર યુક્ત ખાદ્ય પદાર્થોને તમારા ભોજનમાં શામેલ કરવી. ફાઈબરથી ભરપૂર ખાદ્ય પદાર્થોમાં નાશપાતી, સફરજન, વટાણા, બ્રોકલી, આખા અન્ન, સેમ અને દાળ શામેલ છે. સાથે જ ભોજનમાં દહીં, કાચુ સલાદ, આદું, પાઈનાપલ, જામફળ વગેરે શામેલ કરવું. તે સિવાય કેળા, કેરી, પાલક, ટમેટા, નટસ અને શતાવરી વગેરે ભોજનમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે તેથી આ ભોજન પણ ફાયદાકારી છે. 

વધુ જુઓ..

કેન્દ્રીય મંત્રી આઠવલેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની VHPની માંગનો વિરોધ કર્યો અને તેનું કારણ સમજાવ્યું.

દારૂ પીધેલા પુરુષોને ખુલ્લામાં પેશાબ કરતા રોકવા બદલ એક વેપારીને માર મારીને હત્યા કરવામાં આવી.

ઓડિશાના જંગલમાં પાંચ વિદેશી ઓરંગુટાન મળી આવ્યા: વન વિભાગે તેમને બચાવ્યા. આ જીવો ભારતમાં કેવી રીતે પહોંચ્યા?

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

પીએમ મોદીના 25 વર્ષના પ્રવાસ પર ભાજપનો મોટો પ્રચાર, નીતિન નવીને સંપૂર્ણ કાર્યક્રમ જણાવ્યો

વધુ જુઓ..

Ganesh Chaturthi 2026- ભગવાન ગણેશની પૂજા માટે પૂજા સામગ્રીની યાદી

Pithori Amavasya 2026 Date: 9 કે 10 સપ્ટેમ્બર ક્યારે છે પિઠોરી અમાવસ્યા ? નોંઘી લો સ્નાન દાન અને તર્પણનુ શુભ મુહૂર્ત

Pithori Amavasya 2026 : જાણો પિઠોરી અમાવસ્યાની વ્રતકથા, પૂજા વિધિ અને મહત્વ

Ganeshay Dheemahi - એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયાય ધીમહિ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments