Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાને કેટલા સમય સુધી ઉકાળવી જોઈએ? જો આના કરતા વધુ ઉકાળશો તો બની જશે નુકશાનદાયક

Updated: સોમવાર, 15 જુલાઈ 2024 (00:58 IST)
How Long to boil Tea
ભારતમાં મોટાભાગના લોકો કડક ચા પીવાનું પસંદ કરે છે. તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે જો તમે પણ દૂધવાળી ચા પીવી પસંદ કરો છો તો તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. ચા બનાવતી વખતે થોડીક બેદરકારી તમારા સ્વાસ્થ્યને ઘણી હદ સુધી નુકસાન પહોંચાડી શકે છે, તેથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે.
 
ચા ક્યાં સુધી ઉકાળવી ?
જો તમે દૂધની ચા બનાવતા હોય  તો તમારે દૂધ ઉમેર્યા પછી તેને 2 થી 3 મિનિટથી વધુ સમય સુધી ઉકાળવાનું ટાળવું જોઈએ. જો ચામાં ઉમેરવાનું દૂધ પહેલેથી જ ગરમ હોય, તો તમે ઉકળતા સમયને થોડો ઘટાડી શકો છો. જો તમે દૂધ સાથે ચાને ત્રણ મિનિટથી વધુ સમય માટે ઉકાળો છો, તો તમારી ચાનો સ્વાદ કડવો થઈ શકે છે.
 
સ્વાસ્થ્ય માટે હાનિકારક
દૂધની ચા  લાંબા સમય સુધી ઉકાળવાથી તમારા આંતરડાના સ્વાસ્થ્ય પર નેગેટીવ અસર પડી શકે છે. લાંબા સમય સુધી ઉકાળેલી ચા પીવાથી તમને એસિડિટી, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે ચાને ત્રણ મિનિટથી વધુ સમય સુધી ઉકાળવાથી તેમાં રહેલા પોષક તત્વોનો નાશ થઈ શકે છે.
 
ચાને વારંવાર ગરમ ન કરો
તમારે ચા સર્વ કરવાના થોડા જ સમયમાં તેને પીવી જોઈએ. કેટલાક લોકો  જ્યારે તેમની ચા ઠંડી થાય છે તો તેને ફરીથી ગરમ કરે છે અને પીવે છે. પરંતુ ચાને વારંવાર ગરમ કરવાની આદત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. આ રીતે વારંવાર ચા ગરમ કરીને પીવાથી કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. આ ઉપરાંત ચાને ફરીથી ગરમ કરવાથી તેનો સ્વાદ પણ બદલાઈ શકે છે, તેથી ચાને એક જ વારમાં સર્વ કરવી જોઈએ.

વધુ જુઓ..

વાયબ્રન્ટ ગુજરાત માટે ગ્લોબલ મિશન: CM અમેરિકા-કેનેડા તો DyCM હર્ષ સંઘવી જાપાન-યુરોપ ગજવશે

CJP વિરોધ પ્રદર્શન પર SC ની મહત્વપૂર્ણ ટિપ્પણી: યુવાનોને શાંત કરવાની જરૂર છે, એજન્સીઓએ સંયમ રાખવો જોઈએ

22 બાળકોના મોત પછી ચાંદીપુરા વાયરસને લઈને ગુજરાતમાં કેટલો ભય? ગ્રાઉન્ડ રિપોર્ટ

Gold Silver Rate Today- 5 ઓગસ્ટના રોજ સોનું 1.46 લાખ રૂપિયાને પાર, ચાંદી 4,200 રૂપિયા વધી, ખરીદતા પહેલા ભાવ તપાસો

iPhone ખરીદવા માટે આનાથી સારી તક કઈ હોઈ શકે? કિંમતમાં મોટો ઘટાડો, ડીલ્સ અને ઑફર્સની સંપૂર્ણ વિગતો જાણો.

વધુ જુઓ..

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

Dashama Vrat 2026- દશામાં ના વ્રત ક્યારે છે

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

Budhwar Na Upay: બુધવારે કરો આ સહેલો ઉપાય, વેપારમાં થશે વધારો, નેગેટીવ એનર્જી થશે દૂર

આગળનો લેખ
Show comments