Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Updated: શનિવાર, 21 ફેબ્રુઆરી 2026 (13:27 IST)
આ દિવસોમાં દેશ અને દુનિયામાં સ્થૂળતા રોગચાળાની જેમ ફેલાઈ રહી છે. લોકો વધુને વધુ મેદસ્વી બની રહ્યા છે. વજન વધવાને કારણે આપણું શરીર હાઈ બીપી, કોલેસ્ટ્રોલ, શુગર વગેરે જેવી અનેક ગંભીર બીમારીઓનું ઘર બની જાય છે. ખાસ કરીને, ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ખૂબ જ ઝડપથી વધે છે, તેથી જો તમારે સ્વસ્થ રહેવું હોય તો સૌથી પહેલા સ્થૂળતા ઓછી કરો. જેવો વધેલા વજનમાં ઘટાડો થશે (how to reduce obesity ), અડધી બીમારીઓ તો આપમેળે જ ગાયબ થઈ જશે.  આવી સ્થિતિમાં, વજન ઘટાડવા માટે, ઉત્તમ આહાર અને કસરતની સાથે, જીરા અને મેથીનો આ વર્ષો જૂનો દેશી ઘરેલું ઉપાય  જરૂર અજમાવો.
 

કેવી રીતે  કરશો જીરા અને મેથીનો ઉપાય ? 
 

5 ચમચી જીરું, 5 ચમચી મેથી, 5 ચમચી વરિયાળી અને તજનો ટુકડો લો. જીરા, મેથીની સાથે વરિયાળી અને તજ વજન ઘટાડવામાં ફાયદાકારક છે. જીરામાં એવા કમ્પાઉન્ડ હોય છે જે પાચનક્રિયાને ઝડપી બનાવે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર મેથી સ્થૂળતા તેમજ શુગરને નિયંત્રિત કરે છે. વરિયાળીનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે. એટલે કે આ મસાલા માત્ર વજન જ ઓછું નથી કરતા પણ બીજી ઘણી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે.
 

જીરા-મેથીનો પાઉડર કેવી રીતે બનાવશો?
 

જીરું, મેથી, વરિયાળી અને તજના ટુકડા લો. હવે આ મસાલાને એક પેનમાં નાખીને ધીમી આંચ પર એકસાથે શેકી લો. આ મસાલો હળવો શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેમને મિક્સરમાં બારીકવાટીને પાવડર બનાવી લો.
 

વજન ઘટાડવામાં આ પાણી ફાયદાકારક છે
 

દરરોજ એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી આ પાવડર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં એક લીંબુનો રસ ઉમેરો. તમારું વજન ઘટાડવાનું પાણી તૈયાર છે આ પાણીને એક મહિના સુધી પીવાથી તમારું વજન ઝડપથી ઘટશે.
 

આ સમસ્યાઓમાં પણ છે અસરકારક 
 

જો બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી ગયું હોય તો આ પાણી જરૂર પીવો, તેનાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહેશે. તેમજ હાર્ટની તબિયત સારી રહેશે.

વધુ જુઓ..

કેનેડામાં ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ, 140 મિલિયન ડોલરના નાર્કોટિક્સ જપ્ત

Neet Paper Leak- પેપર લીક પર નવા કાયદા અંગે મોટા સમાચાર, 3 મહિનામાં નિર્ણય લેવાશે, 10 વર્ષની જેલ, 10 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ - સ્ત્રોતો

મુંબઈ-ગુજરાત હાઇવે પર 40 કિમી લાંબો ટ્રાફિક જામ, વરસાદને કારણે 72 કલાકથી હજારો વાહનો અટવાયા

નવસારીમાં પૂરનો હાહાકાર: ૨૫૦થી વધુ રસ્તા ઠપ્પ અને તબાહીના મંજરની એક્સક્લુઝિવ તસવીરો

વૈભવ સૂર્યવંશીએ પોતાના ખાસ સેલિબ્રેશન સ્ટાઈલની પાછળનુ ખોલ્યુ રહસ્ય, કહ્યુ - હુ કોઈપણ વસ્તુને હળવાશથી નથી લેતો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 જુલાઈ 2026

એકાદશીના દિવસે, તુલસી પાસે દીવો પ્રગટાવીને કરો આ મંત્રોનો જાપ, દુઃખ અને દરીદ્રતાથી મળશે મુક્તિ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

આગળનો લેખ
Show comments