Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon Food- દહીંથી દૂરી -પાલકથી પરેજ વરસાદના મૌસમમાં બીમાર કરશે ખાવાની આ 8 વસ્તુઓ

બુધવાર, 30 જૂન 2021 (16:05 IST)
વરસાદના મૌસમ જેટલું રોમાંટિક હોય છે તેમાં રોગો વધવાનો ખતરો પણ તેટલુ જ વધારે હોય છે .આ મૌસમમાં લોકો વાયરલ શરદી-ખાંસી અને ફ્લૂ જેવા રોગોની ચપેટમાં જલ્દી આવી જાય છે. ડાક્ટર્સ કહે છે કે વરસાદના મૌસમમાં દરેક વય્ક્તિને તેમના ખાન-પાનનો ખાસ કાળજી રાખવી જોઈએ. વરસાદના મૌસમમાં ખાવાની કેટલીક વસ્તુઓથી પરહેજ કરવો જોઈએ. 
 
લીલી શાકભાજી 
વરસાદમાં મેથી, બથુઆ, રીંગણા, ફુલાવર જેવી શાકભાજી ખાવાથી પરેજ કરવો જોઈએ. તેના પાછળ વૈજ્ઞાનિક કારણ માનીએ તો વરસાદમાં બેકટીરિયા અને ફંગસ ઈંફેક્શનનો ખતરો વધી જાય છે. લીલી પાંદળાવાળા શાકભાજીના વચ્ચે કીડા લાગી જાય છે તેનો સેવન કરવાથી પેટ ખરાબ થઈ શકે છે. તેથી આ મૌસમમાં આ શાકભાજીથી પરહેજ કરવું. 
 
સ્ટ્રીટ ફૂડ 
માનસૂનનો મોસમ ઘણા રોગોના ડર હોય છે. તેમાં ડેંગૂ અને વાયરલ જેવા રોગો તીવ્રતાથી લોકોની ચપેટમાં લે છે ડાક્ટર્સ મુજબ વરસાદના મૌસમમાં ક્યારે પણ ખુલ્લા ફળ કે કોઈ બીજા ખાવાની વસ્તુઓ આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. તેથી અમે બહારથી મળતા સ્ટ્રીટ ફૂડથી પણ બચવું જોઈએ. 
 
તળેલુ ખાવાથી બચવું 
વરસાદના મૌસમમાં તળેલો ખાવાથી બચવું. આ  પ્રકારના ભોજન શરીરમાં પ્રવેશ કરી પિત્ત વધારે છે. બીજુ આ મૌસમમાં લોકોનો ડાયજેશન પણ ધીમો થઈ જાય છે તેથી ભજીયા, સમોસા કે તળેલી વસ્તુઓ ખાવાથી બચવુ જોઈએ જે ડાયરિયા અને ઈનડાયજેશનની મુશ્કેલીઓ વધારી શકે છે. 
 
ડેયરી પ્રોડક્ટસ 
વરસાદના મૌસમમાં દહીં જેવા ડેયરી પ્રોડક્ટસનો નિયમિત ઉપયોગ કરવાથી બચવું જોઈએ. વરસાદમાં ખાવા-પીવાની વસ્તુઓમાં બેકટીરિયા હોઈ શકે છે. જે માનસૂનમાં ખૂબ વધી જાય છે. તેને ખાવાથી તમને પેટથી સંકળાયેલી તકલીફ થઈ શકે ચે. દહીંમાં પણ બેકટીરિયા હોય છે તેથી વરસાદમાં સેવન ઓછુ કરવુ જોઈએ. 
 
માછલી 
માનસૂનમાં માછલી કે પછી બીજા સમુદ્રી જીવો માટે પ્રજનનનો સમય હોય છે. આ કારણે આ મૌસમમાં માછલી ખાવાથી ફૂડ પ્વાઈજનિંગનો ખતરો વધી શકે છે. તે સિવાય વરસાદના મૌસમમાં પાણી પ્રદૂષિત થવાથી માછલીઓના ઉપર ગંદગી એકત્ર થઈ જાય છે. તેથી આ માછલીઓનો સેવન કરવાથી આરોગ્યને નુકશાન થઈ શકે છે. 
 
મશરૂમ 
ડાક્ટર્સ જણાવે છે કે વરસાદના મૌસમમં મશરૂમના સેવનથી પણ પરહેજ કરવો જોઈએ. સીધા દ્જરતી પર ઉગતી મશરૂમમાં ઈંફેક્શન થવાનો ખતરો વધારે રહે છે. 
 
કાચુ સલાદ 
તમને સાંભળીને હેરાની થઈ રહી હશે કે આરોગ્ય માટે ફાયદાકારી કહેવાતી સલાદને પણ આ મૌસમમાં શા માટે નહી ખાવુ જોઈએ. સલાદ જ નહી પણ વરસાદના મૌસમમાં કોઈ પણ વસ્તુ કાચી ખાવાથી બચવું. તે સિવાય કાપીને રાખેલા ફળ અને શાકભાજીનો પણ સેવન ન કરવું કારણકે તેમાં કીટક થવાનો ખતરો રહે છે. 
 
વધારે નૉનવેજ 
વરસાદના મૌસમમાં અમારી પાચન ક્રિયા  નબળી થઈ જાય છે. તેથી વધારે ભારે ભોજન પચાવવામાં મુશ્કેલી હોય છે તેથે આ મૌસમમાં નૉનવેજ ખાવાથી બચવું.  

વધુ જુઓ..

EV Battery Fire: ચાર્જીંગ દરમિયાન EV ની બેટરી કેવી રીતે બની જાય છે આગનો ગોળો ? જાણો કારણ અને બચવાના ઉપાય

લોર્ડ્સ વનડે રોહિત શર્માની છેલ્લી મેચ નહિ રહે, હીટમેનનાં સંન્યાસને લઈને BCCI તોડ્યું મૌન

હસીની સિયા, સોનમ અને મુસ્કાન કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ, પતિને ભયાનક મોત આપ્યું, જાણો આખી વાર્તા

વિક્રમ-1 શ્રીહરિકોટાથી ઉડાન ભરશે, જે દેશનું પ્રથમ ખાનગી રોકેટ છે અને ઇતિહાસ રચવા માટે તૈયાર છે

ધારમાં શુક્રવારની નમાજ ન થઈ; મુસ્લિમ સમુદાયે વહીવટીતંત્રના પ્રસ્તાવને નકારી કાઢ્યો અને ભોજશાળા સંકુલ પાસે જગ્યાની માંગણી કરી.

વધુ જુઓ..

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

આગળનો લેખ
Show comments