Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન

ગુરુવાર, 12 માર્ચ 2026 (00:26 IST)
ભાત એ માત્ર ખોરાક નથી, પરંતુ ભારતીય થાળીનો એક જરૂરી ભાગ છે. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ભાતનો વપરાશ થાય છે. ભારતમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં સૌથી વધુ વપરાશમાં આવે છે. ભાત વિશે ઘણી માન્યતાઓ છે. કેટલાક કહે છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે, જ્યારે કેટલાક કહે છે કે ભાત શુગરનું સ્તર વધારે છે. લોકોના મનમાં બીજો પ્રશ્ન રહે છે કે પ્રેશર કૂકરમાં રાંધેલા અથવા તપેલીમાં બાફેલા કયા ભાતમાં સૌથી વધુ પોષણ હોય છે. જો તમે પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે કયો ભાત સારો છે: પ્રેશર કૂકરમાં રાંધેલા કે તપેલીમાં બાફેલા ક્યા ન્યૂટ્રીશનથી ભરપૂર છે. 
 

1. પ્રેશર કુકરમાં બાફેલા ભાત 

 
જ્યારે પ્રેશર કુકરમાં ચોખા રાંધવામાં આવે છે, ત્યારે બધુ પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય છે.
 
પોષણ: પાણી બહાર નીકળતું ન હોવાથી, બધા પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ, જેમ કે વિટામિન બી કોમ્પ્લેક્સ, અને ખનિજો, ચોખામાં રહે છે.
 
ફાયદો: પોષક તત્વોને સાચવવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
 
નુકશાન : તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જે કેલરીની સંખ્યામાં થોડો વધારો કરે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ ચિંતાનો વિષય બની શકે છે.
 

2. તપેલામાં બાફેલા ભાત

 
આમાં ચોખાને મોટી માત્રામાં પાણીમાં ઉકાળવામાં આવે છે અને પછી સ્ટાર્ચ કાઢી લેવામાં આવે છે.
 
ન્યૂટ્રીશન - પાણી  કાઢી લેવામાં આવતું હોવાથી ચોખાના ઘણા વિટામિન અને ખનિજો પણ દૂર થાય છે. પોષણની દ્રષ્ટિએ, આ ભાત રાંધેલા ભાત કરતાં થોડા ઓછા પૌષ્ટિક છે.
 
ફાયદા: તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વધારાનો સ્ટાર્ચ અને આર્સેનિક જેવી અશુદ્ધિઓને દૂર કરે છે. તે પચવામાં હલકું અને કેલરી ઓછું હોય છે.
 
નુકશાન : વિટામીન ની ઉણપ થાય છે 
 

તમારા માટે કયા ભાત સારા ?

 
જો તમે વજન વધારવા માંગતા હો, તો પ્રેશર કૂકર ભાત વધુ સારા છે કારણ કે તે સંપૂર્ણ પોષણ પૂરું પાડે છે.
 
જો તમે ડાયાબિટીસના દર્દી છો અથવા વજન ઓછું કરવા માંગો છો, તો તેને ખાતા પહેલા એક તપેલીમાં ઉકાળીને પાણી ગાળી લેવું વધુ સારું છે, કારણ કે આનાથી સ્ટાર્ચ દૂર થાય છે જે શુગર વધારે છે.
 

વધુ જુઓ..

KKR vs GT: કેકેઆર એ ગુજરાતને 29 રને હરાવ્યું, સુનીલ નરેને બોલિંગમાં બતાવી કમાલ

ભારતના આ રાજ્યમાં અનોખી સરકારી યોજના - ત્રીજા બાળકના જન્મ પર 30,000 રૂપિયા અને ચોથા બાળક જન્મ પર મળશે 40,000 રૂપિયા

PM Modi 5 Nation Tour: - PM મોદીની 5 દેશોની આ યાત્રા કેમ મહત્વપૂર્ણ છે ? ઉર્જા સંકટ વચ્ચે ક્યા છે ભારતનુ નિશાન

કેમ PM મોદી ઈચ્છે છે કે એક વર્ષ સુધી સોનુ ન ખરીદે ભારતના લોકો ? કોઈ નહી બતાવે અસલી કહાની

આકાશ સિંહના ચિટ સેલિબ્રેશન પર ભડક્યા દિગ્ગજ, ડેલ સ્ટેન અને અંબાતી રાયડૂએ લગાવી ફટકાર

વધુ જુઓ..

Aaj Nu panchang- આજનુ પંચાગ - 17 મે 2026

Shani Jayanti Upay: 13 વર્ષ પછી, શનિવારે શનિ જયંતિનો અદ્ભુત સંયોગ, ફક્ત એક દીવો અને આ 5 ઉપાયો તમારું ભાગ્ય બદલી શકે છે.

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 મે 2026

Shani Jayanti Wishes in Gujarati - શનિ જયંતિની શુભેચ્છા

આગળનો લેખ
Show comments