Dharma Sangrah

પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન

Updated: ગુરુવાર, 12 માર્ચ 2026 (00:29 IST)
ભાત એ માત્ર ખોરાક નથી, પરંતુ ભારતીય થાળીનો એક જરૂરી ભાગ છે. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ભાતનો વપરાશ થાય છે. ભારતમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં સૌથી વધુ વપરાશમાં આવે છે. ભાત વિશે ઘણી માન્યતાઓ છે. કેટલાક કહે છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે, જ્યારે કેટલાક કહે છે કે ભાત શુગરનું સ્તર વધારે છે. લોકોના મનમાં બીજો પ્રશ્ન રહે છે કે પ્રેશર કૂકરમાં રાંધેલા અથવા તપેલીમાં બાફેલા કયા ભાતમાં સૌથી વધુ પોષણ હોય છે. જો તમે પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે કયો ભાત સારો છે: પ્રેશર કૂકરમાં રાંધેલા કે તપેલીમાં બાફેલા ક્યા ન્યૂટ્રીશનથી ભરપૂર છે. 
 

1. પ્રેશર કુકરમાં બાફેલા ભાત 

 
જ્યારે પ્રેશર કુકરમાં ચોખા રાંધવામાં આવે છે, ત્યારે બધુ પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય છે.
 
પોષણ: પાણી બહાર નીકળતું ન હોવાથી, બધા પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ, જેમ કે વિટામિન બી કોમ્પ્લેક્સ, અને ખનિજો, ચોખામાં રહે છે.
 
ફાયદો: પોષક તત્વોને સાચવવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
 
નુકશાન : તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જે કેલરીની સંખ્યામાં થોડો વધારો કરે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ ચિંતાનો વિષય બની શકે છે.
 

2. તપેલામાં બાફેલા ભાત

 
આમાં ચોખાને મોટી માત્રામાં પાણીમાં ઉકાળવામાં આવે છે અને પછી સ્ટાર્ચ કાઢી લેવામાં આવે છે.
 
ન્યૂટ્રીશન - પાણી  કાઢી લેવામાં આવતું હોવાથી ચોખાના ઘણા વિટામિન અને ખનિજો પણ દૂર થાય છે. પોષણની દ્રષ્ટિએ, આ ભાત રાંધેલા ભાત કરતાં થોડા ઓછા પૌષ્ટિક છે.
 
ફાયદા: તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વધારાનો સ્ટાર્ચ અને આર્સેનિક જેવી અશુદ્ધિઓને દૂર કરે છે. તે પચવામાં હલકું અને કેલરી ઓછું હોય છે.
 
નુકશાન : વિટામીન ની ઉણપ થાય છે 
 

તમારા માટે કયા ભાત સારા ?

 
જો તમે વજન વધારવા માંગતા હો, તો પ્રેશર કૂકર ભાત વધુ સારા છે કારણ કે તે સંપૂર્ણ પોષણ પૂરું પાડે છે.
 
જો તમે ડાયાબિટીસના દર્દી છો અથવા વજન ઓછું કરવા માંગો છો, તો તેને ખાતા પહેલા એક તપેલીમાં ઉકાળીને પાણી ગાળી લેવું વધુ સારું છે, કારણ કે આનાથી સ્ટાર્ચ દૂર થાય છે જે શુગર વધારે છે.
 

વધુ જુઓ..

Pakistan Fuel Crisis- પાકિસ્તાનમાં રાત્રે 8 વાગ્યા પછી ‘સ્માર્ટ લોકડાઉન’, રસ્તાઓ પર છવાશે સન્નાટો

ગોવા જેની સાથે જોડાયુ છે પીએમ મોદી નુ લક ફેક્ટર - 2004 માં રાજુનામુ નામંજૂર, 2013 માં કૈપેન કમિટિના બન્યા ચેયરમેન, બંનેવાર રાજનાથ સિંહની રહી મોટી ભૂમિકા

Happy Birthday PM Narendra Modi - પીએમ મોદીને જન્મદિવસ પર આપો આ ખાસ મેસેજીસ દ્વારા જન્મદિવસની શુભેચ્છા

23 દિવસ, અન્ન છોડીને ફક્ત લીંબુ પાણી પર રહ્યા ... ઈમરજેંસી પછી PM નરેન્દ્ર મોદી દ્વારા ''સંઘર્ષ મા ગુજરાત" પુસ્તક લખવાની પાછળની સ્ટોરી

ચોમાસુ વિદાય લે તે પહેલા ઘણા રાજ્યોમાં વરસાદ, આજે દિલ્હીથી આસામ સુધી હવામાનની આગાહી; IMD નું લેટેસ્ટ અપડેટ!

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી - Sukh Karta Dukh Harta

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments