Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રેશર કુકરમાં બાફેલા ભાત કે તપેલીમાં ઉકાળેલા ભાત, કયા ભાતમાં હોય છે વધુ ન્યૂટ્રીશન

ગુરુવાર, 12 માર્ચ 2026 (00:26 IST)
ભાત એ માત્ર ખોરાક નથી, પરંતુ ભારતીય થાળીનો એક જરૂરી ભાગ છે. ભારતમાં વિશ્વમાં સૌથી વધુ ભાતનો વપરાશ થાય છે. ભારતમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં સૌથી વધુ વપરાશમાં આવે છે. ભાત વિશે ઘણી માન્યતાઓ છે. કેટલાક કહે છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે, જ્યારે કેટલાક કહે છે કે ભાત શુગરનું સ્તર વધારે છે. લોકોના મનમાં બીજો પ્રશ્ન રહે છે કે પ્રેશર કૂકરમાં રાંધેલા અથવા તપેલીમાં બાફેલા કયા ભાતમાં સૌથી વધુ પોષણ હોય છે. જો તમે પણ આ પ્રશ્નનો જવાબ શોધી રહ્યા છો, તો અહીં અમે તમને જણાવીશું કે કયો ભાત સારો છે: પ્રેશર કૂકરમાં રાંધેલા કે તપેલીમાં બાફેલા ક્યા ન્યૂટ્રીશનથી ભરપૂર છે. 
 

1. પ્રેશર કુકરમાં બાફેલા ભાત 

 
જ્યારે પ્રેશર કુકરમાં ચોખા રાંધવામાં આવે છે, ત્યારે બધુ પાણી સંપૂર્ણપણે શોષાઈ જાય છે.
 
પોષણ: પાણી બહાર નીકળતું ન હોવાથી, બધા પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ, જેમ કે વિટામિન બી કોમ્પ્લેક્સ, અને ખનિજો, ચોખામાં રહે છે.
 
ફાયદો: પોષક તત્વોને સાચવવા માટે આ પદ્ધતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
 
નુકશાન : તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જે કેલરીની સંખ્યામાં થોડો વધારો કરે છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે આ ચિંતાનો વિષય બની શકે છે.
 

2. તપેલામાં બાફેલા ભાત

 
આમાં ચોખાને મોટી માત્રામાં પાણીમાં ઉકાળવામાં આવે છે અને પછી સ્ટાર્ચ કાઢી લેવામાં આવે છે.
 
ન્યૂટ્રીશન - પાણી  કાઢી લેવામાં આવતું હોવાથી ચોખાના ઘણા વિટામિન અને ખનિજો પણ દૂર થાય છે. પોષણની દ્રષ્ટિએ, આ ભાત રાંધેલા ભાત કરતાં થોડા ઓછા પૌષ્ટિક છે.
 
ફાયદા: તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે વધારાનો સ્ટાર્ચ અને આર્સેનિક જેવી અશુદ્ધિઓને દૂર કરે છે. તે પચવામાં હલકું અને કેલરી ઓછું હોય છે.
 
નુકશાન : વિટામીન ની ઉણપ થાય છે 
 

તમારા માટે કયા ભાત સારા ?

 
જો તમે વજન વધારવા માંગતા હો, તો પ્રેશર કૂકર ભાત વધુ સારા છે કારણ કે તે સંપૂર્ણ પોષણ પૂરું પાડે છે.
 
જો તમે ડાયાબિટીસના દર્દી છો અથવા વજન ઓછું કરવા માંગો છો, તો તેને ખાતા પહેલા એક તપેલીમાં ઉકાળીને પાણી ગાળી લેવું વધુ સારું છે, કારણ કે આનાથી સ્ટાર્ચ દૂર થાય છે જે શુગર વધારે છે.
 

વધુ જુઓ..

ગુજરાતની ભવ્ય સિદ્ધિ: પાટણની 'રાણકી વાવ'ના 3D પ્રોજેક્શન મેપિંગ શોને એશિયા લેવલે મળ્યો 'ગોલ્ડ મેડલ

Electric Scooter Buying Guide 2026 : EV સ્કુટર ખરીદતા પહેલા જાણી લો 10 જરૂરી વાતો, નહી થાય નુકશાન

સાડા છ વર્ષની પૌત્રીને કાર ચલાવવા આપી, સબ-ઇન્સ્પેક્ટરનો વીડિયો વાયરલ થતા લોકો ભડક્યા; કેસ નોંધાયો

માંજલપુર પેટાચૂંટણી: ભાજપ સામે કોંગ્રેસે ભીખાભાઈ રબારીને મેદાનમાં ઉતાર્યા

રામ મંદિરના CEO માટે નોકરીની શરૂઆત; 50 થી 70 વર્ષની ઉંમરના લોકો અરજી કરી શકે છે; હિન્દી અને અંગ્રેજીનું જ્ઞાન જરૂરી

વધુ જુઓ..

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

જુલાઈમાં ગુરુ પૂર્ણિમા ક્યારે ઉજવવામાં આવશે? તેના ધાર્મિક મહત્વ વિશે જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

આગળનો લેખ
Show comments