Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારી લાઈફ સ્ટાઈલમાં આ વસ્તુઓને કરશો સામેલ તો ક્યારેય નહીં આવે હાર્ટ એટેક, દિલ પણ રહેશે હેલ્ધી

ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2024 (00:12 IST)
આ દિવસોમાં દેશ અને દુનિયામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકના કેસ ઝડપથી વધી રહ્યા છે. જ્યાં પહેલા હાર્ટ એટેક 50 વર્ષની ઉંમર પછી જ લોકોને આવતો હતો, હવે લોકો નાની ઉંમરે જ તેનો શિકાર બનવા લાગ્યા છે. હાર્ટ એટેકના કિસ્સાઓ હવે એટલા સામાન્ય થઈ ગયા છે કે લોકોમાં આ રોગ વિશે હંમેશા ડર રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હાર્ટ એટેક શા માટે આવે છે? સ્વસ્થ દેખાતી વ્યક્તિ કેવી રીતે હાર્ટ એટેકનો શિકાર બને છે? તો ચાલો તમને જણાવી દઈએ કે, આ એવી સ્થિતિ નથી જે એક દિવસમાં થઈ જાય. આ ભયંકર પરિસ્થિતિ માટે તમે પોતે જ જવાબદાર છો.
 
ઉલ્લેખનિય છે કે, અનિયમિત લાઈફસ્ટાઈલ, ખરાબ પોષણ, એક્સરસાઈઝનો અભાવ, જંક ફૂડનું સેવન અને સ્ટ્રેસ લેવાની આદત તમને આ બીમારી તરફ એક ડગલું આગળ ધકેલશે. કહેવાનો અર્થ એ છે કે હાર્ટ એટેક પાછળનું કારણ તમારી બગડેલી લાઈફસ્ટાઈલ છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં આ કેટલીક વસ્તુઓનો સમાવેશ કરો તો તમારું હૃદય કાયમ માટે સ્વસ્થ રહી શકે છે. આવો જાણીએ કે સ્વસ્થ હાર્ટ  માટે તમારે તમારી લાઈફસ્ટાઈલમાં શું ફેરફાર કરવા પડશે?
 
હાર્ટના સારા સ્વાસ્થ્ય માટે તમારી લાઈફસ્ટાઈલમાં આ વસ્તુઓનો સમાવેશ કરો.
 
ખૂબ ચાલો: સૌ પ્રથમ, તમારી લાઈફસ્ટાઈલમાં ચાલવાની ટેવને સામેલ કરો. જો તમે હેવી અથવા પુષ્કળ વર્કઆઉટ્સ ન કરો તો કોઈ વાંધો નથી. પરંતુ જો તમે દિવસમાં ઓછામાં ઓછા 8 થી 9 હજાર પગલાં ન ચાલો તો તે તમારા હાર્ટની હેલ્થને બગાડી શકે છે. સાથે જ નિયમિત ચાલવાથી વજન તો ઘટે છે સાથે સાથે દિલનો રોગ, સ્ટ્રોક, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ પણ નિયંત્રણમાં રહે છે.
 
વજન કરો મેઈનટેન : વધતું વજન માત્ર એક નહીં પરંતુ સો રોગોનું જડ છે. સ્થૂળતા ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ તમારા શરીર પર હુમલો કરે છે. તેથી વજન જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને આજકાલ જે રીતે બાળકોનું વજન વધી રહ્યું છે તેના કારણે ભવિષ્યમાં તેઓ આ ગંભીર સમસ્યાઓનો શિકાર બની શકે તેવી દહેશત છે.
 
મેડિટેશન કરોઃ સ્ટ્રેસ અને સ્ટ્રેસફુલ લાઈફ પણ હાર્ટ એટેક પાછળનું કારણ છે. વધુ પડતા સ્ટ્રેસ લેવાથી મગજ સહિત શરીરના અન્ય ભાગો પર નકારાત્મક અસર પડે છે. જેના કારણે લોકોને ઊંઘ આવતી નથી. તેથી, તમારી લાઈફસ્ટાઈલમાં ધ્યાનનો સમાવેશ કરો. આનાથી તમને માનસિક શાંતિ તો મળશે જ પરંતુ તણાવ ઓછો થશે અને ઊંઘ પણ સુધરશે.
 
પ્રોસેસ્ડ ફૂડ ટાળો: તમે જેટલું બહારનું ખોરાક ખાશો, તમારા હાર્ટની તંદુરસ્તી એટલી જ ખરાબ થશે. તળેલા ખોરાક, સોસેજ, માખણ અને કેક જેવા ચરબીયુક્ત ખોરાક LDL કોલેસ્ટ્રોલનું સ્તર ઝડપથી વધારે છે, જે હૃદયના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. 
 
બ્રેક લો  : તમારી જાતને હંમેશા કામમાં વ્યસ્ત ન રાખો. રજાઓ લો, ટ્રાવેલિંગ કરો અને તમને ગમતી વસ્તુઓ કરો. આમ કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને હાર્ટ  સ્વસ્થ બને છે.

વધુ જુઓ..

ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન સ્પેનને મળ્યા 481 કરોડ રૂપિયા, આર્જેન્ટિના હારવા છતાં થયું માલામાલ

અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ, લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી મુલાકાત

જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં એક ઘર પર ભૂસ્ખલન થયું, જેમાં એક પરિવારના સાત સભ્યોના મોત થયા.

બાંકે બિહારી મંદિરમાં એક ભક્તને માર મારવાનો વીડિયો વાયરલ; એક મહિલા કોન્સ્ટેબલે 25 સેકન્ડમાં 8 વાર થપ્પડ મારી

પોલીસે અભિજીત દિપકેની અટકાયત કરી નથી; સીજેપી ચીફ જંતર મંતર પર જ રહે છે

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments