Webdunia - Bharat's app for daily news and videos

Install App

બજારમાં મળી રહ્યુ છે સાવરણીમાંથી બનાવેલ નકલી જીરુ, કેવી રીતે કરશો અસલી-નકલી જીરાની ઓળખ, 3 વાતોનુ જરૂર રાખો ધ્યાન

ગુરુવાર, 16 નવેમ્બર 2023 (15:36 IST)
Original vs Fake Cumin:  મસાલાની યાદીમાં જીરાનું નામ પણ સામેલ છે. રસોઈ બનાવતી વખતે જીરાનો ઉપયોગ એકદમ સામાન્ય છે. ખાવામાં સ્વાદ ઉમેરવા ઉપરાંત જીરું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો કે આજકાલ નકલી જીરું બજારમાં મળે છે. આવી સ્થિતિમાં, જીરું ખરીદતી વખતે, તમે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને અસલી અને નકલી જીરા ની ઓળખ કરી શકો છો.
 
જીરા માં એન્ટી-ઓક્સિડન્ટ્સ, ફાઈબર, આયર્ન, કોપર, પોટેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, ઝિંક, મેગ્નેશિયમ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાથે જ જીરાનું સેવન પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. પરંતુ નકલી જીરું ખાવાથી સ્વાસ્થ્યને અનેક નુકસાન પણ  થઈ શકે છે. તો ચાલો જાણીએ નકલી જીરું ઓળખવાની રીત અને તેને ખાવાના કેટલાક નુકશાન વિશે.
 
નકલી જીરું શું છે અને કેવી રીતે બને છે ?
નકલી જીરું ઘાસના ફૂલોમાંથી બનાવવામાં આવે છે.  તમને જણાવી દઈએ કે નદીઓના કિનારે એક પ્રકારનું ઘાસ ઉગે છે, જેમાંથી ફૂલોની સાવરણી બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો આ ઘાસને પાણીમાં ઉકાળીને ગોળની ચાસણીમાં પકાવી લે છે. આ પછી ઘાસને સૂકવવા માટે મુકવામાં આવે છે. સૂકાયા બાદ ઘાસનો રંગ જીરા જેવો દેખાવા લાગે છે. ત્યાર બાદ તેમાં સ્ટોન અથવા સ્લરી પાવડર મિક્સ કરીને ફિલ્ટર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ ઘાસ બિલકુલ અસલી જીરા જેવું લાગે છે.
 
 
નકલી જીરું ખાવાના નુકશાન 
- સાચા જીરાનું સેવન પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બીજી બાજુ નકલી જીરું ખાવાથી તમને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
- નકલી જીરું ખાવાથી લોકોને પેટમાં દુખાવો અને પેટમાં પથરીની સમસ્યા થઈ શકે છે. 
- આ ઉપરાંત તમને ત્વચા સ્કિન ઈફેક્શનત થવાનો ભય પણ રહે છે. 
- નકલી જીરું ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે.
 
નકલી  જીરાની ઓળખવાની રીત 
અસલી અને નકલી જીરાની ઓળખ કરવા માટે તમે પાણીનો ઉપયોગ કરી શકો છો. આ માટે કે વાડકીમાં પાણી લો. હવે તેમા જીરાના કેટલાક દાણા નાખી દો. આવામાં નકલી જીરુ થોડી જ વારમાં રંગ છોડવા માંડશે. સાથે જ નકલી જીરુ પાણીના સંપર્કમાં આવતા જ તૂટવા પણ માંડે છે. આ ઉપરાંત જીરાને સૂંઘવાથી સુગંધ ન આવે તો સમજી જાવ કે જીરુ નકલી છે. 

વધુ જુઓ..

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments