ganesh chaturthi

મોર્નિંગ વોક સો દવાઓ કરતાં વધુ અસરકારક, જાણો કેટલા સમય સુધી અને કઈ ઝડપે ચાલવું જોઈએ ?

Updated: સોમવાર, 7 ઑક્ટોબર 2024 (11:40 IST)
આજકાલ તબીબો ફિટનેસ પર ધ્યાન આપવાની સલાહ આપે છે. દરરોજ થોડી શારીરિક પ્રવૃત્તિ કરવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. આ માટે દરરોજ ચાલવું જોઈએ. ખાસ કરીને મોર્નિંગ વોક માત્ર હૃદય અને દિમાગ માટે જ નહીં પરંતુ સમગ્ર સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. મોર્નિંગ વોક કરવાથી ઘણી ખતરનાક બીમારીઓ દૂર થઈ શકે છે. ઘણા સંશોધનોએ મોર્નિંગ વોકના જબરદસ્ત ફાયદાઓ જાહેર કર્યા છે.
 
જો તમે દરરોજ સવારે 1 કલાક મોર્નિંગ વોક કરો છો તો તમારી સરેરાશ ઉંમર વધે છે. તમારા લાંબા જીવન દરમિયાન ઘણી બીમારીઓ પણ તમારાથી દૂર રહેશે. સવારે ચાલવાથી દિવસભર એનર્જી લેવલ હાઈ રહે છે. આ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વેગ આપે છે અને મગજના કાર્યમાં પણ સુધારો કરે છે. હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવવામાં પણ ચાલવું અસરકારક છે. ચાલો જાણીએ કે દરરોજ સવારે ચાલવાથી શું ફાયદા થાય છે અને કેટલા સમય સુધી ચાલવું જોઈએ?
મોર્નિંગ વોક વિશે શું કહે છે રિસર્ચ ?
 
વેબએમડીના એક અહેવાલ મુજબ, દરરોજ સવારે 1 કલાક ઝડપી ચાલવાથી આયુષ્યમાં 2 કલાકનો વધારો થાય છે. જો તમે 1 કલાક સુધી ચાલી શકતા ન હોવ તો દરરોજ 30 થી 45 મિનિટ અવશ્ય ચાલો. જો કે, ચાલવામાં તમારી ઝડપ પણ મહત્વ ધરાવે છે. તમારે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવું જોઈએ. જો વોક લાઇટ બ્રિસ્ક વોક હોય તો તે વધુ ફાયદાકારક રહેશે.
 
મોર્નિંગ વોકના 5 અદ્ભુત ફાયદા
રોજ સવારે ચાલવાથી જીવનશૈલી સુધરે છે અને ડાયાબિટીસ, હૃદય રોગ, સ્ટ્રોક અને કેટલાક કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ ઓછું થાય છે.
 
જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો દરરોજ સવારે ચોક્કસ વોક કરો. તેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં સરળતા રહેશે.
 
નિયમિતપણે મોર્નિંગ વોક પર જવાથી તમારું એનર્જી લેવલ દિવસભર ઊંચું રહેશે. આનાથી માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે અને યાદશક્તિમાં સુધારો થશે. 
 
ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. એક અભ્યાસ કહે છે કે સવારે 30 મિનિટ ચાલવાથી ઘણી બીમારીઓનું જોખમ 43 ટકા ઓછું થઈ જાય છે.
 
મોર્નિંગ વોક કરવાથી ઘૂંટણ અને સ્નાયુઓની તંદુરસ્તી પણ સુધરે છે. તેના કારણે પગનો દુખાવો પણ ઓછો થાય છે. 
 
મોર્નિંગ વોક મગજને સ્વસ્થ બનાવવા માટે અને તણાવ-ચિંતા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે પણ ફાયદાકારક છે.

વધુ જુઓ..

હવામાનનો કહેર નહીં ઝેલી શકે ભારતના આ શહેરો! દુનિયાના ટોપ 20 ‘ડેન્જર’ શહેરોમાં અમદાવાદનો સમાવેશ

ગંગા નદીમાં ભયાનક પૂર, 150 વર્ષ જૂનું શિવ મંદિર પાણીમાં ગરકાવ; 62 ગામો ડૂબ્યાં

કરોડપતિ પરિવારની વહુ હતી, પણ સસરાનો હતો કંટ્રોલ, કેમેરાથી રાખતો હતો નજર..પુત્રવધુએ જ કરાવ્યુ મર્ડર

મોહલ્લાની પંચાત બની કમાણીનું સાધન, મહિલાએ ગોસિપ વેચીને બનાવી લીધા બે મકાન

એપલ પહેલા Xiaomi એ વાઈડ ડિસ્પ્લે વાળો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો, 6000mAh બેટરી હશે

વધુ જુઓ..

શું આ વખતે કેવડાત્રીજ અને ગણેશ ચતુર્થી એક જ દિવસે છે ? દૂર કરો કનફ્યુજન

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 8 સપ્ટેમ્બર, 2026

જય જય કપિ બળવંતા (હનુમાન દાદાની આરતી)

ઓમ જય એકાદશી માતા

Aja Ekadashi વ્રત કથા - આ અગિયારસ પર કરો વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા થશે આ ફાયદા

આગળનો લેખ
Show comments