Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2022- હોળીની રાત્રે કરી લો આ ઉપાય, તમારી દરેક સમસ્યાથી મુક્તિ મળશે

રવિવાર, 13 માર્ચ 2022 (14:21 IST)
આજે અમે આપને બતાવી રહ્યા છે તમારી વિવિધ સમસ્યાઓ માટે હોળીના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે માહિતી.
 
ફાગણ પૂર્ણિમાના દિવસે હોળીનો તહેવાર ઉજવાય છે. આજે હોલિકા દહન થશે. ઉપાયની દ્રષ્ટિથી હોળીનો તહેવાર અત્યાધિક પ્રભાવી ફળ આપનારો છે. હોળી પર કરવામાં આવેલા ઉપાયો શીઘ્ર ફળ આપે છે. વેપાર, નોકરી સુખ સમૃધિ ધન સંબંધી કોઈપણ પ્રકારના સમસ્યાના સમાધાન માટે હોળી અપ્ર આ પ્રકારના ઉપાયો તમે કરી શકો છો.
 
1. હોળીના દિવસથી શઓરો કરીને બંજરંગ બણ કરી 41 દિવસ સુધી નિયમિત પાઠ કરવાથી હનુમાનજીની કૃપાથી દરેક મનોકામના પૂર્ણ થવાન ઓ માર્ગ મોકળો બને છે.
 
2. જો વેપાર કે નોકરીમાં ઉન્નતિ ન થઈ રહી હોય તો 21 ગોમતી ચક્ર લઈને હોળી દહનના દિવસે રાત્રે શિવલિંગ પર ચઢાવી દો.
 
3.હોળીના દિવસે કોઈ ગરીબને ભોજન જરૂર કરાવો. તેનાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થવાનો લાભ પ્રાપ્ત થશે
 
4. હોળીની રાત્રે સરસવના તેલનો ચોમુખી દીવ ઓ પ્રગટાવીને ભગવાનને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો. આ પ્રયોગથી દરેક પ્રકારનો અવરોધ દૂર થશે.
 
5. જો સમય ખરાબ ચાલી રહ્યો હોય તો હોળીના દિવસે પેંડુલમવાળી નવી ઘડિયાળ ઘરના પૂર્વી કે ઉત્તરી દિવાલ પર લગાવો. અનુકૂળ પરિણામ પ્રાપ્ત થશે.
 
6. જો રાહુને લઈને કોઈ પરેશાની છે તો એક નારિયળનો ગોટો લઈને તેમા અળસીનુ તેલ ભરો અને તેમા થોડો ગોળ નાખો પછી એ ગોળાને તમરા શરીરના અંગોને સ્પર્શ કરાવીને સળગતી હોલિકામાં નાખી દો. આ ઉપાયથી આગામી આખુ વર્ષ રાહુ પરેશન નહી કરે.
 
7 . તમારા ઘરને સુરક્ષિત કરવા માટે હોળીના દિવસે એક વાસ્તુ યંત્રને પીળા રંગના વસ્ત્ર પર સ્થાપિત કરી ધૂપ દીપ નૈવેદ્ય અર્પિત કરી પૂજન કરો અને આ મંત્રનો 108 વાર જાપ કરી તમારા ઘરના પાયામાં દબાવી દો. આવુ કરવાથી તમારુ ઘર દરેક રીતે સુરક્ષિત રહેશે.
 
8. આત્મરક્ષા માટે ઘરના દરેક સભ્યને હોલિકા દહનમાં ઘીમાં પલાળેલી બે લવિંગ એક પતશુ અને એક પાનનો પત્તુ જરૂર ચઢાવવુ જોઈએ.
હોળીની અગિયાર પરિક્રમા કરતા હોળીમાં સુકા નારિયળની આહુતિ આપવી જોઈએ.
તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે અને આત્મરક્ષા થાય છે.
 
9. ધનની કમીથી બચવા માટે હોળીની રાત્રે ચંદ્રમાં ઉદય થતા તમારા ઘરની અગાશી પર કે ખુલ્લા મેદાન પર જ્યાથી ચંદ્ર જોવા મળે ત્યા ઉ ભા રહો પછી ચંદ્રમાનુ ધ્યાન સ્મરણ દર્શન કરતા ચાંદેની પ્લેટમાં કિશમિશ અને મખાણા મુકીને શુદ્ધ ઘીના દિવાઅ સાથે ધૂપ અને અગરબત્તી અર્પિત કરો અને કાચા દૂધથી ચંદ્રમાને અર્ધ્ય આપો. અર્ધ્ય આપ્યા પછી સફેદ મીઠાઈ અને કેસર મિશ્રિત સાબુદાણાની ખીર અર્પિત કરો. આ પ્રસાદ બાળકોમાં વહેંચી દો. આવનારી દરેક પૂનમની રાત્રે ચંદ્રમાને દૂધનુ અર્ધ્ય આપો. થોડાક જ દિવસમાં તમે અનુભવ કરશો કે આર્થિક સંકટ દોરો થઈને સમૃદ્ધિ સતત વધી રહી છે.
 
10 સૌભાગ્યશાળી પત્ની મેળવ વા માટે હોળીના દિવસે કોઈ ગરીબને એક પલંગ અને તેના પર પાથરવાની ચાદર દાન કરો. તેનાથી તમને સુર્વગુણ સંપન્ન પત્ની મળશે.

વધુ જુઓ..

હાર્ટ એટેકથી એક મહિના પહેલા શરીર આપે છે આ પ્રકારના સંકેત, નિષ્ણાત પાસેથી જાણો જરૂરી ચેતાવણી

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments