Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરરોજ સવારે તુલસીની ચા પીવાના ફાયદા,જાણો તેને બનાવવાની રીત

રવિવાર, 16 મે 2021 (17:09 IST)
કોરોનાથી બચાવ માટે જ નહી પણ ઘણા રોગોથી બચાવ અને ઈમ્યુનિટી વધારવા માટે તુલસી ખૂબ ફાયદાકારી છે. દરરોજ તુલસીની ચાના સેવનથી ઘણી મોસમી રોગોથી તમે દૂર રહો છો. તેથી જો તમે દરરોજ 
સામાન્ય ચા કરતા તુલસીની ચા પીવો છો તો તેનાથી તમે હેલ્દી રહો છો. 
તુલસીમાં યૂજિનૉલ નામનો તત્વ હોય છે જે શરીરમાં રહેલ સ્ટ્રેસ હાર્મોન કાર્ટિસોલના લેવલને ઓછું કરી તનાવ દૂર કરવામાં મદદ કરે છે તુલસી ઘણા વર્ષોથી આયુર્વેદિક દવાઓનો પણ મુખ્ય ભાગ છે. 
ખાલી પેટ તુલસી ખાવાના ફાયદા 
સવારે ખાલી પેટ તુલસીનો પાન ચાવવુ સૌથી લાભકારી હોય છે. તેનાથી તમારી ઈમ્યુનિટી સ્ટ્રાંગ હોય છે અને તમે રોગોથી બચ્યા રહો છો. પણ જો તમે તુલસીના પાન ચાવીને નહી ખાઈ શકો તો તેની ચા પી લો. 
 
 જી હા સવારે-સવારે દૂધ વાળી ચા પીવાની જગ્યા તુલસીની ચા પીવાના ઘણા ફાયદા છે. તુલસીના પાનમાં એંટીઑક્સીડેંટસ હોય છે જે શરીરને ફ્રી રેડિક્લસથી થતા નુકશાનથી બચાવીને રાખે છે. સાથે જ તુલસીની 
ચા સોજા ઓછા કરવા અને તનાવ દૂર કરવામાં મદદ કરે છે. 
 
તુલસીની ચા બનાવવાની રીત 
તુલસીની ચામાં દૂધ કે ખાંડ ન નાખો નહી તો તેના ફાયદા ઓછા થઈ જાય છે. તેથી તુલસીની ચા બનાવવા માટે સૌથી પહેલા પાણી ઉકાળો અને તેમાં તુલસીની 8-10 પાનને ધોઈને નાખી દો. તમે ઈચ્છો તો તેમાં 
થોડી આદું અને ઈલાયચી પાઉડર પણ નાખી શકો છો. આશરે 10 મિનિટ સુધી તેને ઉકળવા માટે મૂકી દો. જ્યારે ચા સારી રીતે ઉકળી જાય તો તેને ગાળી લો. તેમાં તમે સ્વાદના મુજબ મધ કે લીંબૂનો રસ નાખો. 
 
તુલસીની ચા પીવાના ફાયદા
- તેને પીવાથી કફ, ખાંસી, અસ્થમા અને અકડન જેવી તકલીફથી રાહત મળે છે. 
- તુલસીની ચા શરીરમાં સ્ટ્રેસ હાર્મોન એટલે કે હાર્મોન સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તેથી આ ચિડચિડાપન, તનાવ અને ડિપ્રેશનને દૂર કરવામાં સહાયક હોય છે. 
- નિયમિત રૂપથી તુલસીની ચા પીવાથી શરીરમાં શુગરનો સ્તર ચમત્કારી રૂપથી ઓછું થઈ જાય છે. 
- તુલસીમાં એંટીમાઈક્રોબિયલ ગુણ હોય છે જે કારણે આ દાંત અને મોઢાના કીટાણુઓને ખત્મ કરવામાં મદદ કરે છે. સાથે જ શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં સહાયક હોય છે. 
- તેને પીવો આર્થરાઈટિસના દર્દીઓ માટે રામબાણ છે. તેનો એંટી ઈંફ્લેમેટરી ગુણ સાંધાના દુખાવા માટે એક નિવારકનો કામ કરે છે. 

વધુ જુઓ..

1 લિટર ઇથેનોલ બનાવવા માટે કેટલું પાણી વપરાય છે? કેન્દ્ર સરકારે સત્ય જાહેર કર્યું અને આ દાવાઓને ફગાવી દીધા.

કેતન હત્યા કેસમાં આરોપી સિયા અને ચેતનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

1 જુલાઈથી 6 મુખ્ય નિયમો બદલાયા: આધાર, પાસપોર્ટથી લઈને ક્રેડિટ કાર્ડ સુધી, તમારા ખિસ્સા પર સીધી અસર.

Explainer: રામ મંદિર ટ્રસ્ટમાં કોણ કોણ સામેલ છે ? જાણો બધા સભ્યોના નામ અને તેમના અધિકાર

ઈ-રિક્ષા બંધ કરાવનાર BAT-BMS એપ સામે સરકારે કડક કાર્યવાહી કરી, તેને દૂર કરવાના આદેશ, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

Krishnapingala Sankashti Chaturthi: આજે કૃષ્ણપિંગલ સંકષ્ટી ચતુર્થીનાં દિવસે કરો આ ઉપાય, જીવનના બધા અવરોધ થશે દૂર

આગળનો લેખ
Show comments