Webdunia - Bharat's app for daily news and videos

Install App

Be careful આ ફળ ખાવાથી તમારુ વજન વધશે

શનિવાર, 4 ઑગસ્ટ 2018 (10:50 IST)
ઘણીવાર આપણે કોઇ ફળના ફાયદા વિષે જાણ્યા પહેલા જ તેને ખાવાનું શરૂ કરી દે છે. આપણને લાગે છે કે ફળ ખાવા આપણા માટે સુરક્ષિત છે અને તેનાથી વજન વધતું નથી એમ માનીને ફળ ખાવાને બદલે તેનું જ્યુસ પીવાનું શરૂ કરી દઇએ છીએ. પણ આ એક ભ્રમ છે કે ફળો ખાવાથી વજન વધતું નથી. આપણને માલુમ હોવું જોઇએ કે કયું ફળ ખાવાથી તેમાંથી કયા પોષકતત્વો મળશે. કેટલાક ફળો એવા પણ છે જે વધુ ખાવાથી વજન વધવાની અને સ્થૂળ થઇ જવાની સમસ્યા સર્જાઇ શકે છે. જાણીએ વિવિધ ફળો વિષે...

કેળા દૂધ સાથે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે. કારણ કે દૂધમાંથી તમને પ્રોટીન અને કેળામાંથી શુગર મળે છે જે વજન વધારે છે. કેળું ખાવાથી વધુ માત્રામાં કેલરી મળે છે સાથે કેલરીનો ક્ષય પણ ઓછો થવા લાગે છે.

ડ્રાય એપ્રિકો ટ( જરદાળુ) - સૂકા જરદાળુ કેન્ડી જેવા હોય છે તેને લોકો હરતા-ફરતા પુષ્કળ માત્રામાં ખઆઇ લે છે. પણ તેઓ ભૂલી જાય છે કે તેમાં ફ્રૂકટોઝ હોય છે જે વજન વધારનારું તત્વ છે. તે ખાવાથી વજન વધવાની સંભાવના પણ વધી જાય છે.

દ્રાક્ષ  -  દ્રાક્ષ એક તરફ જ્યાં ફાયદાકારક હોય છે ત્યાં બીજી તરફ તેના વધુ પડતા સેવનથી તમારું વજન વધી શકે છે. કારણ કે તેમાં કાર્બોહાઇડ્રેટ વધુ માત્રામાં હોય છે માટે તે ખાવાથી વજન વધવાની સમસ્યા સર્જાઇ શકે છે.

અનાનસ -  જે લોકો અનાનસનું સેવન કરે છે તેમના માટે અનાનસ વજન વધવાનું કારણ બની શકે છે કારણ કે તેમાં કેલરીની માત્રા વધુ હોય છે.

એવોકેડો ઝ( avocados) -  આ ફળમાં વધુ માત્રામાં ફેટ અને કેલરી હોય છે જે ખાવાથી તમારું વજન વધી શકે છે.

ડ્રાયફ્રુટ્સ -  ડ્રાયફ્રુટ્સ જેવા કે કિશમિશ, બદામ વગેરેમાં મોટી માત્રામાં કેલરી હોય છે જે ખાવાથી વજન વધે છે.

ફળોનું જ્યુ સ -  ફળોના જ્યુસમાં પણ કેલરીની માત્રા વધુ હોય છે જેના વધુ સેવનથી વજન વધવાની સમસ્યા સર્જાઇ શકે છે. 

નારિયે ળ -  તેમાં પ્રોટીનની માત્ર ઘણી હોય છે જે ખાવાથી વજન વધે છે અને તમે સ્થૂળતાનો શિકાર બની શકો છો.

વધુ જુઓ..

IND vs PAK: FIH Pro League 2026 ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને 4-3 થી હરાવ્યું

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડનારા બળવાખોર સાંસદ ઓમરાજે નિમ્બાલકરે બતાવ્યું પક્ષ બદલવાનું કારણ, . જાણો તેમણે શું કહ્યું.

મંગેતર સિયા અને તેના પ્રેમીએ કેતનની હત્યા કેવી રીતે કરી? પોલીસે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કર્યો છે, વધુ જાણો અહીં.

1 જુલાઈથી, ટિકિટ વિના મુસાફરી કરવી મોંઘી પડશે, 500 દંડ સાથે; બીજાની ટિકિટ પર મુસાફરી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે

દિલ્હી-એનસીઆરમાં ધૂળની વાવાઝોડાએ જોરદાર ગરમીથી થોડી રાહત આપી

વધુ જુઓ..

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

Nirjala ekadashi wishes in Gujarati - નિર્જલા એકાદશી શુભકામના સંદેશ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -24 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

આગળનો લેખ
Show comments