Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે ગરમ પાણીમાં એક ચમચી આ વસ્તુ ભેળવીને પી લો, સવારે આપમેળે જ નીકળી જશે પેટની બધી ગંદકી

Updated: મંગળવાર, 22 જુલાઈ 2025 (16:00 IST)
ghee with warm water
Ghee With Warm Water Benefits: પેટ સાફ ન થવુ એ એક સામાન્ય સમસ્યા છે. જે આજકાલના ખાનપાન અને લાઈફસ્ટાઈલને કારણે ખૂબ સામાન્ય થઈ ગઈ છે. પેટની ગંદકી સાફ ન થવાથી અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. તેનાથી પેટ ફુલવુ, એસીડીટી અને અપચાની સમસ્યા પણ થઈ જાય છે. આજકાલ લોકો કબજિયાત માટે દવાની મદદ લે છે. પણ શુ  તમે જાણો છો કે પેટ સાફ કરવા માટે ઘરેલુ ઉપાય પણ રામબાણ છે. જો તમે પણ સવારે ફ્રેશ નથી થઈ શકતા કે જૂની કબજિયાતથી પરેશાન છો તો અહી અમે કેટલાક ઘરેલુ  ઉપાય બતાવી રહ્યા છે.  જેની મદદથી તમે બીજા દિવસે સવારે ફ્રેશ થઈ શકો છો અને પેટની બધી ગંદકી સાફ થઈ શકે છે.  
 
પેટ સાફ કરવા માટે અસરદાર ઘરેલુ ઉપાય  (Pet Saaf Karva mate Kargar Gharelu Upay)
ઘી અને ગરમ પાણીનુ સેવન 
 
-પ્રાકૃતિક લુબ્રિકેંટ - દેશી ઘી આંતરડાને ચિકાશ આપે છે જેનાથી મલ સહેલાઈથી બહાર નીકળે છે.  
- બ્યુટિરિક એસિડથી ભરપૂર - આ તત્વ આંતરડાના સોજાને ઓછો કરે છે ને પાચન સુધારે છે.  
-ટોક્સિન્સની સફાઈ - રાત્રે સેવન કરવાથી શરીરમાં જમા ગંદકી સવારે મળ સાથે બહાર નીકળી જાય છે.  
- મેટાબોલિજ્મ બૂસ્ટ - ઘી અને ગરમ પાણીનુ મિશ્રણ શરીરની ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવે છે. 
- ઉંઘમાં સુધાર - આ ઉપાય માનસિક શાંતિ આપે છે જેનાથી ઉંઘ સારી આવે છે.   
 
કેવી રીતે કરશો સેવન   ?
- રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ કુણા પાણીમાં 1 ચમચી દેશી ઘી મિક્સ કરો 
- તેને ધીરે ધીરે પી લો અને તરત સૂઈ જવાથી બચો 
- તમે ચાહો તો સવારે ખાલી પેટ પણ તેનુ સેવન કરી શકો છો. પણ રાત્રે તેને લેવી વધુ અસરદાર માનવામાં આવે છે. 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
- ઘી ની માત્રા સિમિત રાખો, વધુ સેવન કરવાથી ઉંઘી અસર થઈ શકે છે 
- ડાયાબિટીસ કે ફૈટી લિવરવાળા લોકો ડોક્ટરની સલાહ લઈને જ તેનુ સેવન કરે 
-  નિયમિતતા જરૂરી છે. અઠવાડિયામા ઓછામાં ઓછા 4 વાર અપનાવો  
 
કબજિયાતથી છુટકારો મેળવવાના અન્ય ઘરેલુ ઉપાય 
- કુણુ પાણી અને લીંબુનો રસ 
- અજમાનુ પાણી 
- ત્રિફળા ચૂરણ  
- ઈસબગોલની ભૂસી 
- સફરજનનો સિરકા 
- મઘ અને ગરમ પાણી 
- અળસીના બીજનુ પાણી 
 
જો તમે પેટની સફાઈ માટે દવાઓ પર નિર્ભર છો તો આ ઘરેલુ ઉપાય એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. ગરમ પાણી અને ઘી નુ મિશ્રણ ફક્ત કબજિયાતથી જ  રાહત નથી આપતુ પણ તે શરીરને અંદરથી પણ ડિટોક્સ કરે છે અને દિવસની શરૂઆતને હળવી અને એનર્જેટિક બનાવે છે.   

વધુ જુઓ..

કર્ણાટકમાં ચિકનની દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ બાદ KFCના આઉટલેટ પર દરોડા પાડવામાં આવ્યા, વેરહાઉસ સીલ કરવામાં આવ્યું

5 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી, આજે 16 રાજ્યો માટે ચેતવણી. આ અઠવાડિયે હવામાન કેવું રહેશે તે જાણો

ચંબલ નદી પાર કરી રહેલા મુસાફરોને લઈ જતી એક સ્ટીમર જોરદાર પ્રવાહ વચ્ચે તૂટી પડી, જેના કારણે 100 થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા

'મિત્રો' મોરને ખવડાવતા અને ગાયોને ખવડાવતા; પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસનો ખાસ વીડિયો શેર કર્યો

અમિત શાહે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું, "સ્વતંત્રતા દિવસે વંદે માતરમનું અપમાન થયું હતું; તેમણે જનતા પાસે માફી માંગવી જોઈએ."

વધુ જુઓ..

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments