Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે ગરમ પાણીમાં એક ચમચી આ વસ્તુ ભેળવીને પી લો, સવારે આપમેળે જ નીકળી જશે પેટની બધી ગંદકી

Updated: મંગળવાર, 22 જુલાઈ 2025 (16:00 IST)
ghee with warm water
Ghee With Warm Water Benefits: પેટ સાફ ન થવુ એ એક સામાન્ય સમસ્યા છે. જે આજકાલના ખાનપાન અને લાઈફસ્ટાઈલને કારણે ખૂબ સામાન્ય થઈ ગઈ છે. પેટની ગંદકી સાફ ન થવાથી અનેક બીમારીઓનો ખતરો વધી જાય છે. તેનાથી પેટ ફુલવુ, એસીડીટી અને અપચાની સમસ્યા પણ થઈ જાય છે. આજકાલ લોકો કબજિયાત માટે દવાની મદદ લે છે. પણ શુ  તમે જાણો છો કે પેટ સાફ કરવા માટે ઘરેલુ ઉપાય પણ રામબાણ છે. જો તમે પણ સવારે ફ્રેશ નથી થઈ શકતા કે જૂની કબજિયાતથી પરેશાન છો તો અહી અમે કેટલાક ઘરેલુ  ઉપાય બતાવી રહ્યા છે.  જેની મદદથી તમે બીજા દિવસે સવારે ફ્રેશ થઈ શકો છો અને પેટની બધી ગંદકી સાફ થઈ શકે છે.  
 
પેટ સાફ કરવા માટે અસરદાર ઘરેલુ ઉપાય  (Pet Saaf Karva mate Kargar Gharelu Upay)
ઘી અને ગરમ પાણીનુ સેવન 
 
-પ્રાકૃતિક લુબ્રિકેંટ - દેશી ઘી આંતરડાને ચિકાશ આપે છે જેનાથી મલ સહેલાઈથી બહાર નીકળે છે.  
- બ્યુટિરિક એસિડથી ભરપૂર - આ તત્વ આંતરડાના સોજાને ઓછો કરે છે ને પાચન સુધારે છે.  
-ટોક્સિન્સની સફાઈ - રાત્રે સેવન કરવાથી શરીરમાં જમા ગંદકી સવારે મળ સાથે બહાર નીકળી જાય છે.  
- મેટાબોલિજ્મ બૂસ્ટ - ઘી અને ગરમ પાણીનુ મિશ્રણ શરીરની ચયાપચયની ક્રિયાને ઝડપી બનાવે છે. 
- ઉંઘમાં સુધાર - આ ઉપાય માનસિક શાંતિ આપે છે જેનાથી ઉંઘ સારી આવે છે.   
 
કેવી રીતે કરશો સેવન   ?
- રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ કુણા પાણીમાં 1 ચમચી દેશી ઘી મિક્સ કરો 
- તેને ધીરે ધીરે પી લો અને તરત સૂઈ જવાથી બચો 
- તમે ચાહો તો સવારે ખાલી પેટ પણ તેનુ સેવન કરી શકો છો. પણ રાત્રે તેને લેવી વધુ અસરદાર માનવામાં આવે છે. 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
- ઘી ની માત્રા સિમિત રાખો, વધુ સેવન કરવાથી ઉંઘી અસર થઈ શકે છે 
- ડાયાબિટીસ કે ફૈટી લિવરવાળા લોકો ડોક્ટરની સલાહ લઈને જ તેનુ સેવન કરે 
-  નિયમિતતા જરૂરી છે. અઠવાડિયામા ઓછામાં ઓછા 4 વાર અપનાવો  
 
કબજિયાતથી છુટકારો મેળવવાના અન્ય ઘરેલુ ઉપાય 
- કુણુ પાણી અને લીંબુનો રસ 
- અજમાનુ પાણી 
- ત્રિફળા ચૂરણ  
- ઈસબગોલની ભૂસી 
- સફરજનનો સિરકા 
- મઘ અને ગરમ પાણી 
- અળસીના બીજનુ પાણી 
 
જો તમે પેટની સફાઈ માટે દવાઓ પર નિર્ભર છો તો આ ઘરેલુ ઉપાય એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. ગરમ પાણી અને ઘી નુ મિશ્રણ ફક્ત કબજિયાતથી જ  રાહત નથી આપતુ પણ તે શરીરને અંદરથી પણ ડિટોક્સ કરે છે અને દિવસની શરૂઆતને હળવી અને એનર્જેટિક બનાવે છે.   

વધુ જુઓ..

સિક્કિમમાં ભૂસ્ખલનથી 10 લોકોના મોત, મિથેન ગેસ વિસ્ફોટથી અકસ્માત, બચાવ કાર્યકરોની તબિયત લથડી

સોનમ વાંગચુક પર હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો, મેદાંતા ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો; સારવાર માટે ડોક્ટરોની ટીમ બનાવાશે

ગુજરાત વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: 28 IAS અધિકારીઓની મોટા પાયે બદલી અને નવી નિમણૂકો જાહેર

વડોદરા-ભરૂચ હાઈવે પર આજથી નવો ટોલ ટેક્સ લાગુ: કાર, બસ અને ટ્રક માટે હવે કેટલો ટેક્સ ચૂકવવો પડશે?

CJP ના પ્રદર્શન દરમિયાન હિંસા, કયા એંગલ પર તપાસ કરી રહી છે દિલ્હી પોલીસ ? સામે આવ્યુ આખુ લિસ્ટ

વધુ જુઓ..

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments