Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharashtra Floor Test Live Updates: એકનાથ શિંદેએ વિધાનસભામાં મેળવ્યો બહુમત, સમર્થનમાં કુલ 164 વોટ પડ્યા

સોમવાર, 4 જુલાઈ 2022 (13:31 IST)
Maharashtra Floor Test Live Updates : મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે(Eknath Shinde)  સરકારે વિધાનસભામાં બહુમતી મેળવી છે. એકનાથ શિંદેના સમર્થનમાં કુલ 164 મત પડ્યા હતા. અગાઉ વિધાનસભાની કાર્યવાહી શરૂ થયા બાદ સુધીર મુનગંટીવારે બહુમત સાબિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. વિપક્ષે વોઈસ વોટ દ્વારા બહુમતી પરીક્ષણનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ બહુમત પરીક્ષણ હેડ કાઉન્ટ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શિંદે સરકારના સમર્થનમાં કુલ 164 વોટ મળ્યા હતા. દરમિયાન, ઉદ્ધવ ઠાકરે જૂથ (Uddhav Thackeray)ને મોટો ઝટકો લાગ્યો છે. અન્ય ધારાસભ્ય સંતોષ બાંગર એકનાથ શિંદેના જૂથમાં જોડાયા છે. બીજી તરફ, સ્પીકર તરીકે ચૂંટાયા પછી, રાહુલ નાર્વેકરે મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેના વિધાનમંડળ પક્ષના નેતા અને મુખ્ય દંડક તરીકે અજય ચૌધરી અને સુનીલ પ્રભુની નિમણૂક રદ કરી હતી. બીજી તરફ શિવસેનાએ સ્પીકરના આ નિર્ણય સામે કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ-શિંદે ગઠબંધનની તરફેણમાં 164 વોટ મળ્યા હતા. મહારાષ્ટ્રના રાજકારણ સાથે જોડાયેલા દરેક સમાચાર માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
 
શિવસેનાના બળવાખોરો ફરીવાર જીતીને આવ્યા નથી -  અજિત પવાર
તમે શિંદેને સતત શિવસૈનિક કહો છો. છેવટે, તમારે દરેક વખતે શિંદે શિવસૈનિક હોવાનું શા માટે કહેવું પડે છે? જો એકનાથ શિંદે આટલા સક્ષમ હતા તો ફડણવીસ સાહેબ, જ્યારે તમે સીએમ હતા ત્યારે તમે તેમને વધુ મંત્રાલય કેમ ન આપ્યું. રાજ્યપાલ હવે ઘણા એક્શન મોડમાં છે. જ્યારે પણ બાળ ઠાકરેની શિવસેનાને તોડવાની કોશિશ કરવામાં આવી, ત્યારપછી એવો ઈતિહાસ છે કે એક પણ બળવાખોર ધારાસભ્ય જીતીને ફરી આવ્યો નથી.

શિવસેનાના બળવાખોરો ફરીવાર જીતીને આવ્યા નથી -  અજિત પવાર
તમે શિંદેને સતત શિવસૈનિક કહો છો. છેવટે, તમારે દરેક વખતે શિંદે શિવસૈનિક હોવાનું શા માટે કહેવું પડે છે? જો એકનાથ શિંદે આટલા સક્ષમ હતા તો ફડણવીસ સાહેબ, જ્યારે તમે સીએમ હતા ત્યારે તમે તેમને વધુ મંત્રાલય કેમ ન આપ્યું. રાજ્યપાલ હવે ઘણા એક્શન મોડમાં છે. જ્યારે પણ બાળ ઠાકરેની શિવસેનાને તોડવાની કોશિશ કરવામાં આવી, ત્યારપછી એવો ઈતિહાસ છે કે એક પણ બળવાખોર ધારાસભ્ય જીતીને ફરી આવ્યા નથી.
 
સત્તાનો ઘમંડ ન હોવો જોઈએઃ ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે સત્તાનો ઘમંડ ન હોવો જોઈએ, બદલાની ભાવનાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં અને યોગ્યતાના આધારે નિર્ણય લેવામાં આવશે.
 
હા, આ EDની સરકાર છે, એકનાથ-દેવેન્દ્રની સરકાર છેઃ ફડણવીસ
આજે હું તમને કહું છું કે આ સરકારમાં ક્યારેય સત્તા સંઘર્ષ નહીં થાય અને અમે હંમેશા સહકાર આપીશું. લોકો ટોણા મારી રહ્યા છે કે આ EDની સરકાર છે. હા, આ EDની સરકાર છે, એકનાથ દેવેન્દ્રની સરકાર છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - વહુની પહેલી રસોઈ

ગુજરાતી જોક્સ - મૂડમાં

ગુજરાતી જોક્સ - તુ જેલમાં જઈશ બીજુ શુ

ગુજરાતી જોક્સ - તમે પરિણીત છો

શાહરૂખ ખાને હિંદુ રીતિ રીવાજો મુજબ કરી પૂજા, બાળકો પણ જોવા મળ્યા તલ્લીન, ઈન્ટરનેટ પર છવાયો વિડીયો, ફેંસ થયા ગદ્દગદ્દ બોલ્યા - અસલી સુપરસ્ટાર

આગળનો લેખ
Show comments