Webdunia - Bharat's app for daily news and videos

Install App

'PM બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ' - શત્રુધ્ન સિન્હાનો મોદી પર કટાક્ષ

શુક્રવાર, 11 મે 2018 (10:31 IST)
કર્ણાટકમાં ચૂંટણીનો પ્રચાર થમી ગયો છે. પણ આ અભિયાનથી બીજેપીના સ્ટાર નેતા શત્રુધ્ન સિન્હાને દૂર મુકવામાં આવ્યા છે. પ્રચાર ખતમ થયા પછી શત્રુધ્ન સિન્હાએ ટ્વિટર દ્વારા પ્રધાનમંત્રી મોદી પર હુમલો બોલ્યો છે. તેમણે ટ્વીટમાં મોદીને ટૈગ કર્યા અને કહ્યુ કે પ્રધાનમંત્રી બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ.  એટલો જ તેમને પ્રચાર દરમિયાન પીએમ મોદીની ભાષા પર પણ સવાલ ઉઠાવ્યો. 
 
શત્રુધ્નએ ટ્વીટ કર્યુ કે કર્ણાટકમાં આજે પ્રચાર થમી ગયો છે. પણ બિહાર-યૂપીની જેમ મને પણ અહી પ્રચાર માટે બોલાવ્યો નથી. કારણ આપણે બધા જાણીએ છીએ. પણ એક જૂના મિત્રની જેમ હુ એટલુ જ કહેવા માંગુ છુ કે તમારે પ્રધાનમંત્રી પદની ગરિમા કાયમ રાખવી જોઈએ. 
 
શત્રુધ્નએ કહ્યુ કે આપણે કોંગ્રેસ પર PPP જેવા કમેંટ કેમ કરી રહ્યા છે. જ્યારે કે પરિણામ તો 15 મે ના રોજ આવવાનુ છે.  પ્રધાનમંત્રી બનવાથી કોઈ બુદ્ધિમાન નથી બની જતુ. કર્ણાટકમાં જનતાને નક્કી કરવા દો. શત્રુધ્ન સિન્હાએ આ બધા ટ્વિટમાં પ્રધાનમંત્રી મોદી સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહને પણ ટૈગ કર્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે શત્રુધ્ન સિન્હા છેલ્લા ઘણા સમયથી પાર્ટી  અને સરકાર વિરુદ્ધ નિવેદનબાજી કરતા આવ્યા છે.  તાજેતરમાં જ અન્ય સીનિયર નેતા યશંવત સિન્હાએ બીજેપીને છોડી દીધી જ્યારબાદ બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ શત્રુધ્ન સિન્હાને પણ પાર્ટી છોડવાની સલાહ આપી હતી. 
 
જો કે શત્રુધ્નએ તેમના પર પલવાર પણ કર્યો. તેમને સુશીલ મોદીને એક નિમ્ન કક્ષાના નેતા ગણાવ્યા.  જેમને બિહારમાં કોઈ ઓળખતુ નથી.  શત્રુધ્નએ કહ્યુ કે સુશીલ મોદી પ્રદેશમાં લોકપ્રિય નથી.  પાર્ટી તેમને કારણે જ 2015માં વિધાનસભા ચૂંટણી હારી હતી. 
 
શત્રુધ્ન સિન્હા છેલ્લા કેટલાક સમયથી અનેક વિપક્ષી નેતાઓ સાથે સતત મુલાકાત કરતા રહ્યા છે. જેમા એમકે સ્ટાલિન, લાલૂ પ્રસાદ યાદવ, સ્વાતિ માલીવાલ, મમતા બેનર્જી જેવા નેતાનો સમાવેશ છે. 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments