Festival Posters

વીનેશ ફોગાટના ઑલિમ્પિકમાંથી બહાર થવા પર શું બોલ્યા અમિત શાહ અને સાક્ષી મલિક

બુધવાર, 7 ઑગસ્ટ 2024 (15:36 IST)
પેરિસ ઑલિમ્પિકના ફાઇનલ મુકાબલામાંથી બહાર થવા મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રતિક્રિયા આપી છે.
 
અમિત શાહે ટ્વીટ કર્યું, “ઑલિમ્પિકમાં વીનેશ ફોગાટના બહાર જવાથી નિશ્ચિતરૂપે લાખો ભારતીયોની આશા તૂટી છે.”
 
અમિત શાહે વધુમાં લખ્યું, “તેમની રમત શાનદાર રહી છે. જેમાં તેમણે વિશ્વ ચૅમ્પિયનને હરાવવાનું ગૌરવ મેળવ્યું છે. આ દુર્ભાગ્ય એક અપવાદ છે. મને આશા છે કે તેઓ ફરીથી જીત હાંસલ કરશે અને હંમેશાની માફક વિજેતા બનશે.”
 
 
વીનેશ ફોગાટના અયોગ્ય જાહેર થવા પર શું બોલ્યાં સાક્ષી મલિક
વીનેશ ફોગાટના પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી ઇવેન્ટમાં અયોગ્ય જાહેર થવા મામલે પ્રતિક્રિયાઓ આવવાની ચાલુ જ છે.
 
વીનેશ ફોગાટના બહાર જવા પર સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને લખ્યું, “મારું હ્રદય ગભરાયેલું છે અને પરેશાન છે.”
 
તેમણે કહ્યું કે વીનેશ માટે જે થયું છે તે કલ્પનાથી બહાર છે. આ કદાચ ઑલિમ્પિકમાં કોઈ પણ ભારતીય ખેલાડી સાથે થયેલી સૌથી વિનાશકારી ઘટના છે.
 
તેમણે વધુમાં કહ્યું, “આપણે વિચારી પણ ન શકીએ કે તેઓ કયા સમયમાંથી પસાર થઈ રહ્યાં છે. જો સંભવ હોત તો હું મારો ચંદ્રક તેમને આપી દેત.”
 
 

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

આગળનો લેખ
Show comments