Webdunia - Bharat's app for daily news and videos

Install App

Raksha Bandhan 2025: રક્ષાબંધનની થાળીમાં જરૂર હોવી જોઈએ આ પાંચ વસ્તુઓ.. મળે છે શુભ ફળ

Updated: ગુરુવાર, 7 ઑગસ્ટ 2025 (16:11 IST)
raksha bandhan
Raksha Bandhan Thali Samagri: રક્ષાબંધન, ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનુ પ્રતિક પર્વ છે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના રોજ ઉજવાય છે. આ વર્ષે આ પવિત્ર તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે બહેનો પોતાના ભાઈની લાંબી વય, સુખ સમૃદ્ધિ અને સુરક્ષાની કામ કરતા તેમના કાંડા પર રાખડી બાંધે છે.   
 
રક્ષાબંધનનો તહેવાર ખાસ બનાવવા માટે બહેનો પહેલાથી જ તૈયારીઓમાં લાગી જાય છે. તેમા પૂજાની થાળી સજાવવી એક મહત્વનો ભાગ હોય છે. જો આ થાળીમાં કંઈક વિશેષ વસ્તુઓ યોગ્ય વિધિથી સામેલ કરવામાં આવે તો આ શુભ અને ફળદાયક માનવામાં આવે છે.  આવો જાણીએ રક્ષાબંધનની પૂજા થાળીમાં કંઈ વસ્તુઓનો પ્રયોગ કરવો શુભ હોય છે.  
 
પૂજાની થાળીમાં મુકો આ શુભ વસ્તુઓ 
 
કુમકુમ કે કંકુ - રાખડી બાંધતા પહેલા ભાઈના માથા પર તિલક કરવાની પરંપરાનો મહત્વનો ભાગ છે.  તિલક માટે થાળીમાં કંકુ કે કુમકુમ જરૂર હોવુ જોઈએ. આ દીર્ઘાયુ વિજય અને સમૃદ્ધિનુ પ્રતિક માનવામાં આવે છે.  
 
અક્ષત (ચોખા) 
પૂજામાં ઉપયોગમાં લેવામાં આવતા કાચા ચોખા, જેને અક્ષત કહેવાય છે. એ શુભ્રતાનુ પ્રતિક હોય છે.  તિલક પછી ભાઈના માથા પર અક્ષત લગાવવા એ પૂજા વિધિનો ભાગ છે. 
 
દિપક - આરતી માટે થાળીમા દિવો જરૂર મુકો. રાખડી બાંધ્યા બાદ ભાઈની આરતી ઉતારવી એ ખરાબ નજરથી બચવાનો ઉપાય માનવામાં આવે છે. તેનાથી ભાઈના જીવનમાં સકારાત્મક ઉર્જા કાયમ રહે છે.  
 
મીઠાઈ - ભાઈ-બહેનના સંબંધોની મીઠાશને દર્શાવવા માટે થાળીમાં મીઠાઈ જરૂર મુકવી જોઈએ. રાખડી બાંધ્યા પછી એકબીજાને મીઠાઈ ખવડાવવી શુભ હોય છે અને પ્રેમને વધારે છે.  
 
નારિયળ - (શ્રીફળ) થાળીમાં નારિયળ મુકવુ ખૂબ જ શુભ માનવામાં આવેછે. અનેક સ્થાન પર બહેન તિલક પછી ભાઈને શ્રીફળ અર્પિત કરે છે. તેને માતા લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. તેનાથી ભાઈને પ્રમોશન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.  

વધુ જુઓ..

સાંજની ભૂખ સંતોષવા માટે Garlic સ્વીટ કોર્ન સૂપ બનાવો, તેનો સ્વાદ એવો છે કે તમે તેને વારંવાર બનાવવાનું મન કરશો, રેસીપી નોંધી લો.

શ્રાવણ સ્પેશિયલ: મહિલાઓ માટે ટ્રેન્ડી ડ્રેસ અને મેકઅપ લુક, પૂજાથી લઈને કિટી પાર્ટી સુધી દેખાશો સૌથી સુંદર

બ્લેક કોફી ડિપ્રેશનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, જાણો દરરોજ પીવાના ફાયદા

Nag Panchami Prasad Recipe: નાગ પંચમી પર પ્રસાદ તરીકે આ મીઠાઈઓ ચઢાવો, સરળ રેસીપી નોંધી લો

કોર્ન કટલેટ બનાવવાની રીત

વધુ જુઓ..

શ્રાવણનાં મંગળવારે કરો આ વિશેષ ઉપાય, બજરંગબલી દૂર કરશે જીવનની દરેક પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 ઓગસ્ટ 2026

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

આગળનો લેખ
Show comments