Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રીસશક્તિકરણની માત્ર વાતો? 26 બેઠકો માટે નિમેલા 78 પ્રભારી-ઈન્ચાર્જ-સહ ઈન્ચાર્જમાં એક પણ મહિલાને સ્થાન નહીં

Updated: શુક્રવાર, 2 નવેમ્બર 2018 (15:31 IST)
દેશમાં ત્રણ રાજ્યોમાં ચૂંટણીના ઢોલ પીટાઈ રહ્યાં છે. ત્યારે સૌની નજર ગુજરાત પર છે. ગત લોકસભામાં ગુજરાતની 26 બેઠકો જીતીને ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યાં હતાં. પરંતું હવે ભાજપે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત છતાં હારને ફરીથી ભવ્ય જીતમાં તબદીલ કરવા માટે ભાજપે પણ તૈયારીઓ આરંભી છે. તેના ભાગરૂપે ભાજપે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો જીતવા કમર કસી છે. આ માટે તમામ લોકસભા બેઠકો માટે 26 પ્રભારીઓની નિમણૂંક કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની 26 લોકસભા બેઠક માટે એક પ્રભારી ઉપરાંત ઈન્ચાર્જ અને સહ ઈન્ચાર્જની પણ નિમણૂક કરવામાં આવી છે. આ તમામ બેઠક પર નેતાઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. ભાજપે જેમને પણ જવાબદારી આપી છે, તેઓ ભાજપને જીત અપાવવા માટે અત્યારથી જ કામગીરી શરૂ કરી દેશે તેવો વાઘાણીએ વિશ્વાસ દાખવ્યો હતો. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરીને રાજ્યની તમામ 26 બેઠકો પર જીત મેળવીને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યાં હતાં. જો કે મજાની વાત એ છે કે, ભાજપે 26 લોકસભા બેઠકો માટે 26 પ્રભારી, 26 ઈન્ચાર્જ અને 26 સહ-ઈન્ચાર્જ નિમ્યા તેમાં એક પણ મહિલા નથી. ભાજપ મહિલા સશક્તિકરણની વાતો કરે છે પણ જવાબદારી આપવાની વાત આવે ત્યારે તેને મહિલાઓ યાદ નથી આવતી તેનો આ પુરાવો છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - તું ભણતો કેમ નથી

કોણ હતી સુંદર અભિનેત્રી અનન્યા રાજ ? 27 વર્ષઁઁમં થયુ મોત, વિક્રમ ભટ્ટની ભૂતિયા ફિલ્મથી મળી હતી ઓળખ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

આગળનો લેખ
Show comments