Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની ફોર્મ્યુલા કોને તારશે અને કોની વિકેટ ડાઉન કરશે?

મંગળવાર, 8 સપ્ટેમ્બર 2020 (13:51 IST)
ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પક્ષના કાર્યકરો અને આગેવાનોની ફરિયાદ અને રજૂઆતો બંધ કવરમાં મંગાવી રહ્યા છે. આ બંધ કવર આગામી દિવસોમાં કેટલાક ચોક્કસ નેતાઓ અને આગેવાનો માટે જોખમી સાબિત થઈ શકે છે. ગુજરાતનો કોઈ પણ કાર્યકર પોતાની રજૂઆત, ફરિયાદ ભાજપ કાર્યાલય કમલમમાં પણ બંધ કવરમાં આપી શકે છે.  ભાજપના આ નવા પ્રદેશ પ્રમુખની બંધ કવરની ફોર્મ્યુલાથી છેલ્લા કેટલાક વર્ષોથી જૂથવાદ અને પોતાના લોકોને સત્તા અને હોદ્દો આપનારા નેતાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આવા નેતાઓ પોતાનાથી નારાજ થયેલા કાર્યકરોને સમજાવવા અને પ્રદેશ પ્રમુખ સુધી ફરિયાદો ન કરવા માટેની રમતો રમી રહ્યા છે.  સૌ પ્રથમ મુખ્યમંત્રીના મત વિસ્તાર રાજકોટમાં જ અનેક નેતાઓની ‘કુંડળી’ બંધ કવરોમાં ભાજપના પ્રદેશ પ્રમુખના હાથમાં આવી હોવાનું મનાય રહ્યું છે. સાથે સાથે નવા સંગઠનની રચના તેમજ મહાનગરપાલિકા, નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ટિકિટો આપતી વખતે આ ‘કુંડળી’નો ઉપયોગ કરી શકશે. ગુજરાત ભાજપમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદની જડ પકડવા માટે ભાજપના પ્રદેશ પ્રમુખે ‘બંધ કવર’નો આઈડિયા અજમાવ્યો છે. ગુજરાત ભાજપમાં તાલુકા અને જિલ્લા સ્તરે ચાલતા જૂથવાદથી સી.આર.પાટીલ વાકેફ છે . પક્ષમાં વ્યકિતગત તથા પક્ષના વફાદારોને અલગ તારવી પક્ષને વફાદાર હોય તેવા કાર્યકરોને આગળ વધારવાનો તેમનો એજન્ડા છે.

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

ગુજરાતી જોક્સ - હુ કાર ચોરી લઉ તો

Parashuram Jayanti - ભગવાન પરશુરામના કેટલાક મુખ્ય પ્રાચીન મંદિરો

આગળનો લેખ
Show comments