Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવી રાખવા ભાજપની કવાયત, ૧૦ બેઠકોનું નુકસાન થવાનો ભાજપને ડર

Updated: સોમવાર, 4 જૂન 2018 (12:13 IST)
લોકસભાની ચૂંટણીને આડે હજુ એકાદ વર્ષની વાર છે ત્યારે ગુજરાતમાં ભાજપે અત્યારથી ચૂંટણીલક્ષી તૈયારીઓ શરુ કરી દીધી છે. રવિવારે કમલમમાં ભાજપના નેતા-સાંસદોએ લોકસભાની ચૂંટણીમાં ૨૬ બેઠકો જાળવી રાખવા ચર્ચા કરી હતી. જોકે, પેટ્રોલ-ડિઝલનો ભાવવધારો, મોંઘવારી સહિત અનેક સમસ્યાથી લોકો રોષે ભરાયેલાં છે ત્યારે કયા મુદ્દે પ્રજા સમક્ષ જવુ તેની મથામણ કરવામાં આવી હતી. આ વખતે વિધાનસભામાં કોંગ્રેસનુ સંખ્યાબળ વધ્યુ છે. આ ઉપરાંત એન્ટીઇન્કમ્બ્સીને પગલે ભાજપને લોકસભાની ચૂંટણીમાં માર પડે તેવી શક્યતા રાજકીય પંડિતો જોઇ રહ્યા છે. આ વખતે ભાજપને ૧૦ બેઠકો ગુમાવવી પડે તેવી ભીતિ સતાવી રહી છે. કમલમમાં મળેલી બેઠકમાં ભાજપના નેતા,સાંસદોની બેઠકમાં એવુ નક્કી કરાયુ હતું કે, મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે એનડીએ સરકારની સિધ્ધીઓ પ્રજા સુધી પહોંચાડવી.આ ઉપરાંત રુપાણી સરકારની સફળ યોજનાઓનો પણ ભરપૂર પ્રચાર કરવો. ભાજપને એ ચિંતા પેઠી છેકે, સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ થયુ છે. અત્યારથી રાજકીય પરિસ્થિતી જોતાં દલિતો, પાટીદારો ,ખેડૂતો સરકાર સામે મોરચો માંડીને બેઠા છે. ઘણાં મુદ્દાઓ ઉકેલવમાં મોદી સરકાર-રુપાણી સરકાર નિષ્ફળ નિવડી છે. આ સ્થિતીમાં ભાજપે મનોમંથન શરુ કર્યુ છે. ભાજપના નેતાઓ પણ પૂછતા થયાં છેકે, કયા મુદ્દે લોકો સમક્ષ જવુ જોઇએ. લોકોના પણ શુ પ્રતિભાવ છે તે જાણવુ જોઇઇ. આમ,લોકસભાની બેઠકો જાળવવા કવાયત શરુ કરાઇ છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ડર નથી લાગતો

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

જ્યારે વિજય આનંદે સગી ભાણેજ સાથે કર્યા લગ્ન, ભાઈની કરતૂત પર ભડકી ગયા દેવ આનંદ, બોલ્યા - બધુ ઓશોની દેન

20 વર્ષની વયમાં અસ્ત થયો ચમકતો સ્ટાર, આ ફેમસ અભિનેતાનુ થયુ નિધન

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

આગળનો લેખ
Show comments