Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે સોમનાથ મંદિરના સાનિધ્યમાં કરી શકાશે લગ્ન, જાણો શું છે પેકેજ

ગુરુવાર, 8 એપ્રિલ 2021 (09:13 IST)
ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરે પોતાના દરવાજા લગ્ન કરવાની ઇચ્છા ધરાવનાર યુગલો માટે પણ ખોલી દીધા છે. ભગવાન શિવના આ મંદિરના વ્યવસ્થા કરનાર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્રારા આ જાહેરાત કરવામાં આવી હતે તે પોતાના નવા જીવનની શરૂઆત સોમનાથ મંદિરના આંગણમાં કરવાની ઇચ્છા ધરાવનાર માટે મદદ કરશે. મંદિર ટ્રસ્ટે કહ્યું કે તે લગ્ન માટે તમામ વ્યવસ્થા કરીને આપશે. 
 
ટ્રસ્ટ દ્રારા કહેવામાં આવ્યું છે કે તમામ લગ્ન હિંદુ વિધિ વિધાનો અનુસાર કરશે. આ ઉપરાંત લગ્ન માટે પંડિતથી માંડીને વીડિયો આલબમ સુધીની તમામ સુવિધા પુરી પાડશે. જેના માટે 11 હજાર ચાર્જ ચૂકવવો પડશે. તેના માટે ટ્રસ્ટએ એક મોટો હોલ પણ બનાવ્યો છે. જ્યાં મહેમાનોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્રારા નગર પાલિકા સંચાલિત મેરેજ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. 
 
ટ્રસ્ટ દ્રારા કહેવામાં આવ્યું છે કે તેમને જોયું કે હવે મોટાભાગના યુવાનો ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું પસંદ કરે છે. એટલા માટે પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે સોમનાથ મંદિરને વિકસિત કરી રહ્યા છે. સૂત્રો દ્રારા જાણવા મળ્યું છે કે લગ્ન માટે જે ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે તે મધ્યમ અને ગરીબ વર્ગને ધ્યાનમાં રાખતાં કરવામાં આવ્યોછે. જેથી તેમનું સપનું પણ પૂર્ણ થઇ શકે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

ગુજરાતી રમૂજી જોક્સ

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments