Webdunia - Bharat's app for daily news and videos

Install App

VFX અને GFX વગર 'રામાયણ' માં કેવી રીતે ઉડ્યુ પુષ્પક વિમાન ? રામાનંદ સાગરે 38 વર્ષ પહેલા લગાવ્યો હતો ગજબનો જુગાડ

ગુરુવાર, 23 એપ્રિલ 2026 (12:06 IST)
pushpak viman
નિતેશ તિવારીની રામાયણ ને લઈને વર્તમાન દિવસોમાં ખૂબ ચર્ચા થઈ રહી છે જે દિવાળી 2026 ના સિનેમાઘરોમાં રજુ થશે. જ્યારથી નિતેશ તિવારીની ફિલ્મનુ એલાન થયુ છે રામાનંદ સાગરની રામાયણની ચર્ચા ફરી થવા માંડી છે. આ દરમિયાન ચાલો જાણીએ 38 વર્ષ પહેલા રામાનંદ સાગરે પુષ્પક વિમાન કેવી રીતે બનાવ્યુ હતુ અને કેવી રીતે ઉડાવ્યુ હતુ ?
 
રણબીર કપૂર સ્ટારર રામાયણ નુ ટીઝર જ્યારથી રજુ થયુ છે તેની ચર્ચા જોરો પર છે.  તાજેતરમાં, એક યુટ્યુબરે પણ આ આગામી મેગા-બજેટ ફિલ્મ વિશે વાત કરી હતી અને દાવો કર્યો હતો કે તે ઓસ્કારમાં જશે. ફિલ્મમાં રણબીર કપૂર રામની ભૂમિકામાં જોવા મળશે, અને સાઈ પલ્લવી સીતાની ભૂમિકા ભજવશે. જ્યારે ફિલ્મનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું ત્યારે એક વાતે બધાનું ધ્યાન ખેંચ્યું તે હતી પુષ્પક વિમાન, જેમાં રાવણની ભૂમિકામાં યશની એક ટૂંકી ઝલક પણ જોવા મળી હતી. ટીઝર રિલીઝ થયા પછી, રામાનંદ સાગરની ટીવી સીરિયલ "રામાયણ" પણ ચર્ચામાં આવી. 38 વર્ષ પહેલાં પ્રસારિત થયેલી આ પૌરાણિક સીરિયલમાં પુષ્પક વિમાન કેવી રીતે બનાવવામાં આવ્યું અને ઉડાવવામાં આવ્યું તે પ્રશ્ન વારંવાર ઉભો થાય છે, કારણ કે રામાનંદ સાગરે તે દિવસોમાં પુષ્પક વિમાન માટે કોઈ VFX કે ગ્રાફિક્સનો ઉપયોગ કર્યો ન હતો.
 
રામાનંદ સાગરે કેવી રીતે તૈયાર કર્યુ પુષ્પક વિમાન ? 
 
રામાનંદ સાગર 1988 માં ટેલિવિઝન પર "રામાયણ" લાવ્યા. તે સમયે ટેકનોલોજી એટલી અદ્યતન નહોતી, અને નિર્માતાઓનું બજેટ પણ એટલું ઉદાર નહોતું. તો, રામાનંદ સાગરે પુષ્પક વિમાન કેવી રીતે બનાવ્યું અને તેને ઉડાન ભરવા માટે તેમણે કઈ યુક્તિઓનો ઉપયોગ કર્યો? આ પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે. સિરિયલમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનિલ લાહિરીએ પુષ્પક વિમાન બનાવવા માટે નિર્માતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિઓ અને તેની સાથે સંબંધિત દ્રશ્યોનો ખુલાસો કર્યો.
 
આર્ટ ડિપાર્ટમેંટ એ તૈયાર કર્યો હતો સ્કેચ 
 
2022 માં ટેલિટોક ઇન્ડિયા સાથે વાત કરતા, સુનિલ લાહિરીએ પુષ્પક વિમાનના નિર્માણ અને ઉડાન વિશે રસપ્રદ વાતો શેર કરી. તેમણે એ પણ સમજાવ્યું કે ટીમે પુષ્પક વિમાન કેવી રીતે ડિઝાઇન અને ઉડાન કર્યું. આ વિશે બોલતા, સુનિલ લાહિરીએ કહ્યું, "પુષ્પક વિમાન ભારતીય સંસ્કૃતિનો એક ભાગ રહ્યું છે. રામાયણમાં રામાનંદ સાગર દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત પુષ્પક વિમાન કાલ્પનિક હતું. કોઈને ખ્યાલ નહોતો કે પુષ્પક વિમાન કેવું દેખાશે. પછી કલા વિભાગે રાવણની છબી પર આધારિત કેટલાક સ્કેચ તૈયાર કર્યા, અને આ રીતે પુષ્પક વિમાન બનાવવામાં આવ્યું."
 
બ્લૂ ક્રોમા પર થયુ શૂટિંગ 
સુનીલ લહેરીએ આગળ એ સીન વિશે વાત કરી જેમા પુષ્પક વિમાનને ઉડતુ બતાવવામાં આવ્યુ હતુ. તેમણે બતાવ્યુ કે પુષ્પક વિમાનને ફક્ત 4 ફીટ ઊંચાઈ પર મુકીને સીતા હરણવાળા સીનનુ શૂટિંગ કરવામાં આવ્યુ હતુ.  આ સીન બ્લૂ  બ્લૂ ક્રોમા પર શૂટ કરવામાં આવ્યુ હતુ.  પછી આઉટડોર શૂટિંગ કરવામાં આવ્યુ અને બંનેને એક સાથે જોડવામાં આવ્યા. સુનીલ લહેરી કહે છે - તૈયાર કરવામાં આવેલ સ્ક્રેચમાંથી એક મૉડલ પસંદ કરવામાં આવ્યો. આના જ આધારે પુષ્પક વિમાન તૈયાર કરવામાં આવ્યુ અને ક્રોમા પર શૂટિંગ કરવામાં આવ્યુ. પુષ્પક વિમાનને ચાર ફીટ ઊંચાઈ પર મુકવામાં આવ્યુ અને શૂટિંગ કરવામાં આવ્યુ. પછી આઉટડોર શૂટિંગ સાથે તેને મર્જ કરવામાં આવ્યુ.  

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

જો તમે 30 દિવસ સુધી એક ચમચી પલાળેલા મેથીના દાણા ખાવાથી શું થાય ? જાણો હેલ્થ પર કેવો થશે જાદુ

વધેલી રોટલીથી એટલો સ્વાદિષ્ટ નાસ્તો બનાવો કે તમારા મહેમાનો રેસીપી માંગશે.

Tanning Home Remedies- હાથ-પગ તડકાને કારણે કાળા થઈ જાય, તો આ દહીંમાં ભેળવીને લગાવો, ટેનિંગ ઓછું થવા લાગશે

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

આગળનો લેખ
Show comments