Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: જો તમારા હાથમાં નથી ટકતા પૈસા તો આજે જ અપનાવી લો આ વાસ્તુ ટિપ્સ, નહી તો ખાલી થઈ જશે તમારી તિજોરી

Updated: સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (12:56 IST)
money for vastu
Vastu Tips: વાસ્ત શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ કેટલાક ઉપાયો વિશે, જેને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો. અનેકવાર ખૂબ મહેનત કરવા છતા પૈસા ટકતા નથી, આવી કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ આવુ થઈ શકે છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઉત્તર-પૂર્વ દિશા ઘન આગમનની દિશા હોય છે અને જો આ દિશામાં તમે ભારે સામાન મુક્યો હોય કે આ દિશા ખૂબ ગંદી રહેતી હોય તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં ધનના આગમનની ગતિ ધીમી થઈ જાય છે. આ જ રીતે ઉત્તર પૂર્વ દિશામાં જો દરેક સમયે અંધારુ રહેતુ હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા અજવાળુ રહેવુ જોઈએ. આ જ રીતે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો  કે તિજોરી રાખવી પૈસા અને વયની હાનિ કરનારો હોય છે. 
 
વાસ્તુમાં આ વાતોનુ પણ રાખો ધ્યાન 
- સૌ પહેલા તો જો ઘર કે દુકાનમાં હંમેશા કરોળિયાના જાળા રહે છે તો તેને તરત જ હટાવી દો અને આગળથી સાફ સફાઈનુ પુરુ ધ્યાન રાખો. 
- સાથે જ જો ઘર કે દુકાનની દિવાલ પર નિશાન પડી ગયા છે કે તેની પોપડી ઉતરવા લાગી છે તો તેને જલ્દી ઠીક કરાવી લો. તેનાથી તમારી ધન સાથે જોડાયેલ પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
-  ઘર-દુકાનમાં લાગેલા છોડ પર જો સુકા પાન જોવા મળે તો તેને તરત જ કાપી નાખો. નહી તો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે.  
- આ ઉપરાંત ઘર કે દુકાનમાં કે આસપાસ ક્યાક પણ ચામાચીડિયાએ ઘર બનાવ્યુ છે તો તે ખૂબ અશુભ કહેવાય છે. આ ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનુ કારણ બને છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

આજે 15 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી, દિલ્હી-NCRમાં હવામાન કેવું રહેશે?

ઝારખંડના વિદ્યાર્થીઓની માંગણીઓ ક્યારે પૂર્ણ થશે? ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતાની તબિયત બગડી; આજે વાતચીત ફરી શરૂ થશે.

મધ્યાહન ભોજન ખાધા પછી 60 થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચ્યા, જેમાં તેમને મૃત ગરોળી મળી!

મહારાષ્ટ્રના જાલનામાં દુ:ખદ અકસ્માત: અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહેલી બે મહિલાઓના મોત; કુવામાં પડી ગયા બાદ 13 કલાક પછી કાર બહાર આવી

વોલ્વો બસ ટ્રક સાથે અથડાઈ, બંને વાહનો કાબુ ગુમાવતા પુલ પરથી નીચે પડી ગયા, 40 મુસાફરો ઘાયલ, 10 ગંભીર - વિડિઓ

આગળનો લેખ
Show comments