Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્ન પછી હનીમૂન કેમ જાય છે કપલ્સ

Updated: સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (16:31 IST)
લગ્નના બંધનમાં બંધાયા પછી પતિ-પત્ની આખી આયુ માટે એકબીજાના થઈ જાય છે. પરસ્પર સમજ અને પ્રેમ જ બંનેની લાઈફને ખુશહાલ બનાવે છે પણ આ માટે સંબંધોની શરૂઆત સારી થવી ખૂબ જરૂરી છે. 
 
કદાચ એ જ કારણ છે કે લગ્ન પછી નવપરિણિત જોડી હનીમૂન મનાવવા માટે જતુ રહે છે. આજકાલ તો લોકો લગ્ન પહેલા જ ફરવા માટે સારામાં સારા સ્થાનની શોધ કરી લે છે અને બુકિંગ પણ કરાવી લે છે જેથી નવા સ્થાન પર તેમને કોઈ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે.  ગામના લોકો હોય કે પછી શહેરમાં રહેનારા મોર્ડન જમાનાના લોકો દરેક હનીમૂન પર તો જરૂર જાય છે.  લગ્ન પછી હનીમૂન મનાવવા પાછળ આ ઉપરાંત પણ અનેક કારણ છે. 
 
 
નિકટથી જાણવાની તક 
 
લગ્ન પહેલા યુવક યુવતી ભલે એકબીજાને કેટલાય જાણતા હોય પણ હનીમૂન જ એક એવુ સ્થાન છે જ્યા તેઓ ખુલ્લા મનથી એકબીજા સાથે વાત કરી શકે છે.  શારીરિક સંબંધ હનીમૂનનુ માધ્યમ   નથી.  આ પરસ્પર વિચાર શેયર કરવાનુ માધ્યમ છે.   
 
થાક દૂર કરવા 
 
લગ્નના રિવાજો ખૂબ લાંબા હોય છે અને તેમા સૌથી મહત્વનો રોલ વર વધુનો હોય છે. આ દરમિયાન બંનેને થાક થવો એ પણ દેખીતુ છે.  થોડીવાર માટે સંબંધીઓ પાસેથી રજા લઈને હનીમૂન દ્વારા રજા વિતાવવાની આ સૌથી સારી તક છે. જેથી તમે પરત આવીને તમારી જવાબદારીઓ આરામથી નિભાવી શકો. 
 
સાથે વિતાવેલો સમય યાદગાર બની જાય છે 
 
લગ્ન પછી પાર્ટનર સાથે વિતાવેલ હનીમૂનના ક્ષણ આખી ઉમર બંને દિલમાં સોનેરી યાદો બનાવે છે. આ ક્ષણને સાચવીને મુકવા માટે થોડો સમય સાથે વિતાવવો જરૂરી છે.  તમારા લગ્ન પણ હાલ જ થયા હોય કે થવાના હોય તો તમે હનીમૂન જવાનુ પ્લાનિંગ જરૂર કરો. 
પરંતુ કેટલાક લોકો એમ માને છે, કે હનીમૂન એટલે બહાર જવું અને શારિરીક સંબંધોની સ્થાપના કરવી જ છે. પરંતુ લોકોની આ માન્યતા એકદમ ખોટી છે. તમે જાણતા નહિ હોઈ પણ કેટલાક યુગલો એવા પણ છે જે હનીમૂન દરમિયાન કનેક્શન બનાવતા જ નથી. કેટલાક યુગલો દ્વારા આ કબૂલેલું છે. હનીમૂન વિવાહિત જીવન શરૂ કરતા પહેલાં હૂંફાળું કામ કરે છે, જેની યાદગીરીઓ તમારા હૃદયમાં હંમેશાં જીવંત રહેવાના છે.
 
ઘણા લોકો માટે હનીમૂન એ રોમેન્ટિક વેકેશન છે પણ ઘણા લોકો માટે લગ્ન પછી રિલેક્સ થવા માટે નું વેકેશન છે. પણ ખરેખર સાચા અર્થમાં  હનીમૂનએ મેરીડ કપલ ની જિંદગી નો સૌથી રોમેન્ટિક એન્ડ મહત્વપૂર્ણ પીરીયડ છે.
હનીમૂન પર કપલ બંને પરિવારની જવાબદારીઓથી થોડા સમય માટે દૂર રહે છે. એટલે કે તેમને ડિસ્ટર્બ કરવાવાળું કોઇ હોય નહી. આજ સમય હોય છે કે બંને એકબીજાને સમજી શકે છે. લગ્ન પછીનો શરૂઆતનો સમય મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સમયને ખાસ બનાવવા માટે હનીમૂન જરૂરી છે. આ સાથે જ હનીમૂન પર જવાથી સેક્સુયલ રિલેશન પણ સ્ટ્રોંગ બને છે. 
 
પણ ઘણા લોકો લગ્ન ની તૈયારીમાં એટલી મેહનત કરી હોઈ છે એ થાક ને દૂર કરવા માટે હનીમૂનમાં જતા હોઈ છે. પણ એમાં બધા ની વિચારસણી અલગ હોઈ છે. પરંતુ હનીમૂન માંથી બધા કપલ એવા મોમેન્ટ્સ સાથે લઇ ને આવે છે કે જે ઝીંદગી ભર યાદ રહેતા હોઈ છે. એટલા માટે જ હનીમૂન ની એક અલગ જ ક્રેઝ છે. તેથી જો તમારા લગ્ન હમણાં જ થયા હોઈ અથવા થવાના હોઈ, તો પછી હનીમૂન માટે યોગ્ય સ્થાન ગોતી લો.

વધુ જુઓ..

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments