Webdunia - Bharat's app for daily news and videos

Install App

Papmochani Ekadashi 2024: પાપમોચિની અગિયારસનુ વ્રત ક્યારે રાખવામાં આવશે. અહી જાણો તિથિ, શુભ મુહુર્ત અને પારણાનો સમય

Updated: મંગળવાર, 26 માર્ચ 2024 (17:44 IST)
Papmochani Ekadashi 2024: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. દરેક મહિનામાં આવતી એકાદશીનું નામ અલગ-અલગ છે. તેવી જ રીતે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની તિથિએ આવતી એકાદશીને પાપમોચિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ કે કયા દિવસે પાપમોચિની એકાદશીનું વ્રત કરવામાં આવશે અને  શુભમુહુર્ત તેમજ પારણનો સમય કયો રહેશે.
 
પાપમોચિની એકાદશી 2024નો શુભ મુહુર્ત અને પારણાનો સમય
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શરૂ  - 4 એપ્રિલ સાંજે 04:16 થી
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ સમાપ્ત  - શુક્રવાર, 5 એપ્રિલ રાત્રે 01:28 કલાકે
પાપામોચિની એકાદશી તારીખ- 5 એપ્રિલ 2024
 
ભગવાન વિષ્ણુની પૂજા માટેનો શુભ સમય - સવારે 7.41 થી 10.49 સુધી
પાપામોચિની એકાદશી ઉપવાસનો સમય - 6 એપ્રિલ સવારે 6:05 થી 08:37 વચ્ચે
 
પાપમોચિની એકાદશી વ્રતનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. પાપમોચિની એકાદશીના દિવસે ઉપવાસની સાથે લક્ષ્મીનારાયણની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. એકાદશીના વ્રતની કથા પણ સાંભળો. આમ કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને તેનું ઘર હંમેશા ધન અને સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે.

વધુ જુઓ..

Food to Control Cholesterol - કોલેસ્ટ્રોલ વધે તો આ વસ્તુઓનો તમારા ડાયેટમાં કરો સમાવેશ

ઉપવાસ માટે બનાવો સ્વાદિષ્ટ ‘ગ્રીન સાબુદાણા વડા’, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી

Fiber Food For Vegetarian - ફાઇબરની ઉણપને દૂર કરવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ 10 વસ્તુઓ, શાકાહારીઓ માટે છે બેસ્ટ ફૂડ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

રક્ષાબંધન માટે ખાસ ડિનર પ્લાન : ઘરે બનાવો શાહી અને સ્વાદિષ્ટ થાળી

વધુ જુઓ..

Janmashtami 2026: 3 સપ્ટેમ્બર કે 4 સપ્ટેમ્બર? જાણો ક્યારેકરશો જન્માષ્ટમીનું વ્રત, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ

Aaj Nu Panchang- 29 ઓગસ્ટ , 20226

જીવંતિકા માં ની આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - આજનુ પંચાગ - 28 ઓગસ્ટ 2026

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

આગળનો લેખ
Show comments