Webdunia - Bharat's app for daily news and videos

Install App

Papmochani Ekadashi 2024: પાપમોચિની અગિયારસનુ વ્રત ક્યારે રાખવામાં આવશે. અહી જાણો તિથિ, શુભ મુહુર્ત અને પારણાનો સમય

બુધવાર, 27 માર્ચ 2024 (00:38 IST)
Papmochani Ekadashi 2024: હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે એકાદશીના દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. દરેક મહિનામાં આવતી એકાદશીનું નામ અલગ-અલગ છે. તેવી જ રીતે ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની તિથિએ આવતી એકાદશીને પાપમોચિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો જાણીએ કે કયા દિવસે પાપમોચિની એકાદશીનું વ્રત કરવામાં આવશે અને  શુભમુહુર્ત તેમજ પારણનો સમય કયો રહેશે.
 
પાપમોચિની એકાદશી 2024નો શુભ મુહુર્ત અને પારણાનો સમય
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ શરૂ  - 4 એપ્રિલ સાંજે 04:16 થી
ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ સમાપ્ત  - શુક્રવાર, 5 એપ્રિલ રાત્રે 01:28 કલાકે
પાપામોચિની એકાદશી તારીખ- 5 એપ્રિલ 2024
 
ભગવાન વિષ્ણુની પૂજા માટેનો શુભ સમય - સવારે 7.41 થી 10.49 સુધી
પાપામોચિની એકાદશી ઉપવાસનો સમય - 6 એપ્રિલ સવારે 6:05 થી 08:37 વચ્ચે
 
પાપમોચિની એકાદશી વ્રતનું મહત્વ
ધાર્મિક માન્યતાઓ અનુસાર પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ નષ્ટ થઈ જાય છે. પાપમોચિની એકાદશીના દિવસે ઉપવાસની સાથે લક્ષ્મીનારાયણની પૂજા પદ્ધતિસર કરવી જોઈએ. એકાદશીના વ્રતની કથા પણ સાંભળો. આમ કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને તેનું ઘર હંમેશા ધન અને સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે.

વધુ જુઓ..

ચા સાથે મીઠી નારિયેળની રોટલી સ્વાદ એવો છે કે મનને ખુશ કરી દેશે.

આ 5 ઉપાયોથી એક સાથે કંટ્રોલ થશે તમારુ High BP અને Cholesterol, ડોક્ટરનો આ ઉપાય બચાવી લેશે તમારો જીવ

કાશ્મીરી યખની રેસીપી

સાસુ સાથે કેવી રીતે રહેવું ? સંબંધોમાં કડવાશ ઘટાડવા માટે તમે શું કરી શકો છો?

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

વધુ જુઓ..

Aaj Nu Panchang - આજનુ પંચાગ -3 મે 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -2 મે 2026

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

Buddh Purnima 2026: બુદ્ધ પૂર્ણિમા આજે, જાણો નિયમ, દાન અને વૈશાખ પૂર્ણિમાનુ મહત્વ

આગળનો લેખ
Show comments