Webdunia - Bharat's app for daily news and videos

Install App

Dev Uthani Ekadashi 2022: દેવ ઉઠની એકાદશી, જાણો સાચી તારીખ, મુહુર્ત પારણ સમય અને મહત્વ

શુક્રવાર, 4 નવેમ્બર 2022 (08:04 IST)
Dev Uthani Ekadashi 2022: હિંદુ કેલેંડરના મુજબ કાર્તિક મહીનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ દેવઉઠની એકાદશીના નામથી પ્રસિદ્ધ છે. તેને પ્રબિધિની એકાદશી કે દેબત્થાન એકાદશી પણ કહીએ છે. આ દિવસે ચાતુર્માસનો સમાપન હોય છે કારણ કે આ તિથિને ભગવાન શ્રીહરિ વિષ્ણુ ચાર મહીનાના યોગ નિદ્રાથી બહાર આવે છે.  ચાતુર્માસના સમાપન પર ભગવાન વિષ્ણુ ફરીથી સૃષ્ટિના સંચાલનની જવાબદારી લે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવા અને વ્રત રાખવાના વિધાન છે અને પૂજા અને પારણના સમય શું છે? 
 
દેવઉઠની એકાદશી 2022 તારીખ 
પંચાગ મુજબ કાર્તિક  મહીનાના શુકલ પક્ષની એકાદશી તારીખની શરૂઆત 3 નવેમ્બર ગુરૂવારે સાંજે 7 વાગ્યે 30 મિનિટથી થઈ રહ્યુ છે. આ તારીખને સમાપન બીજા દિવસે 4 ઓક્ટોબર શુક્રવારે સાંજે 6 વાગીને 08 મિનિટ પર થશે. 
દેવઉઠની એકાદશી 2022નું શુભ મુહુર્ત    
 
04 નવેમ્બરે દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પૂજાનુ શુભ મુહુર્ત -  સવારે 06:35 થી 10:42 સુધી. 
આ દિવસે સવારે લાભ ઉન્નતિ મુહૂર્ત - સવારે 07:57 થી 09:20 સુધી અને
અમૃત સર્વોત્તમ મુહુર્ત - સવારે 09:20 થી સવારે 10:42 સુધી 
 
દેવઉઠની એકાદશીનું મહત્વ  
 
માંગલિક કાર્યોની દ્રષ્ટિએ દેવઉઠની એકાદશીનું વિશેષ મહત્વ છે કારણ કે આ તિથિથી લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, સગાઈ વગેરે માંગલિક કાર્યો શરૂ થાય છે. દેવશયની એકાદશીથી દેવઉઠની એકાદશી સુધીના ચાર મહિના સુધી ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહેવાથી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી  દેવઉઠની એકાદશીથી બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે.   
 
દેવઉઠની એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવે છે. તુલસી વિવાહ કરવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ પણ દૂર થાય છે. 
 
આ દિવસે વ્રત રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત જળ અથવા માત્ર જળ પર કરવામાં આવે છે. જો તમે પાણી વિનાનું વ્રત ન કરી શકત આ હોય તો  આ દિવસે ચોખા, ડુંગળી, લસણ, માંસ, દારૂ, વાસી ખોરાક વગેરેનું સેવન ન કરો.  
 
શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ દિવસથી શુભ કાર્યની શરૂઆત થાય છે. આ દિવસે ભગવાનને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખવામાં આવે છે.
 
આ દિવસે વ્રત રાખવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે વ્રત જળ અથવા માત્ર જળ પર રાખવામાં આવે છે. જો તમે પાણી વિનાનું વ્રત ન રાખતા હોવ તો આ દિવસે ચોખા, ડુંગળી, લસણ, માંસ, દારૂ, વાસી ખોરાક વગેરેનું સેવન ન કરો. 
 

વધુ જુઓ..

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહીં?

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

આગળનો લેખ
Show comments