શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જનમ દિવસ
Written By

જનમદિવસ અને જ્યોતિષ -આજે જેમની વર્ષગાંઠ છે (4.05.2017)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 4 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
તારીખ 4 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 4 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ જીદ્દી. કુશાગ્ર બુદ્ધિવાળા અને સાહસી હોય છે. આવા વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનોનો સામનો કરવો પડે છે. જેવી કે તેજ સ્પીડથી આવતી ગાડીને અચાનક બ્રેક લાગી જાય એવુ તેમનુ ભાગ્ય હશે. પણ આ પણ નિશ્ચિત છે કે આ અંકવાળા મોટાભાગે કુલદીપક હોય છે.  તમારુ જીવન સંઘર્ષશીલ હોય છે. તેમની અંદર અભિમાન પણ હોય છે. આ લોકો દિલના કોમળ હોય છે. પણ બહારથી કઠોર દેખાય છે. તેમની નેતૃત્વ ક્ષમતાના લોકો કાયલ હોય છે.  
શુભ તારીખ  : 4,  8,  13,  22,  26,  31
 
શુભ અંક  : 4,  8,18,  22,  45,  57
  
શુભ વર્ષ  : 2015, 2020,  2031,  2040,  2060    
 
ઈષ્ટદેવ  : શ્રી ગણેશ,  શ્રી હનુમાન 
 
શુભ રંગ  : નીલો. કાળો. ભૂરો 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 4 નો સ્વામી રાહુ છે. બીજી બાજુ વર્ષનો મૂલાંક 5 છે. બંને વચ્ચે મિત્રતા છે. આ વર્ષ ગયા વર્ષના દુષ્પ્રભાવોને દૂર કરવામાં સક્ષમ છે. તમને સજગ રહીને કાર્ય કરવુ પડશે. પારિવારિક બાબતોમાં સહયોગ દ્વારા સફળતા મળશે. માન-સન્માનમાં વધારો થશે. બીજી બાજુ મિત્ર વર્ગનો સહયોગ મળશે. નવીન વેપારની યોજના પ્રભાવી થતા સુધી ગુપ્ત જ રાખો. શત્રુ પક્ષ પર પ્રભાવપૂર્ણ સફળતા મળશે. નોકરિયાત પ્રયાસ કરે તો ઉન્નતિના ચાંસ પણ છે. વિવાહ બાબતે આશ્ચર્યજનક પરિણામ આવી શકે છે. 
 
મૂલાંક 4 ના પ્રભાવ વાળા વિશેષ વ્યક્તિ 
 
- જોર્જ વોશિંગટન 
- રિતુ શિવપુરી 
-નમ્રતા શિરોડકર 
-ઉર્મિલા માતોડકર 
- જાવેદ જાફરી