Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે મળી વરીના હુસૈનને ફિલ્મ "લવરાત્રિ"

શુક્રવાર, 10 ઑગસ્ટ 2018 (13:56 IST)
વરીના હુસૈન અને આયુષ શર્મા ફિલ્મ "લવરાત્રિ" માં નજર આવશે. બન્નેની જ આ ડેબ્યૂ ફિલ્મ હશે. અત્યારે જ ફિલ્મ નિર્માતાઓએ ફિલ્મનો ટ્રેલર લાંચ કર્યુ અને બી ટાઉનમાં તેને પસંદ કરાઈ રહ્યું છે. 
 
આયુષ શર્માના વિશે તો બધા જાણે છે. એ સલમાન ખાનના બનેવી છે અને લાંબા સમયથી સારી ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. જે કે હવે તેને ફિલ્મ મળી ગઈ. ત્યાં મૉડેલ એક્ટ્રેસની ફીલ્ડમાં ઉતરી વરીના પણ ખૂબ સમયથી બૉલીવુડમાં એંટ્રી લેવાના પ્રયાસ કરી રહી હતી અને તેને સીધો અવસર મળ્યું સલમાન ખાનથી. 
વરીનાએ તેમના વિશે ઘણી વાત કરી. 
 
તેમના ઑડીશનના દિવસો યાદ કરતા વરીનાએ જણાવ્યું કે મે કેટલીક ફિલ્મોમાં ઑડીશન આપ્યું હતું. ત્યારે મે "બીઈંગ ઈન ટચ" એપ પર એક કાંટેટસ્ટમાં અપ્લાઈ કર્યો હતો. જેના માટે મને આશરે 1 મહીના પછી કૉલ આવ્યું. જ્યારે મને સ્ક્રીપ્ટ મળી ત્યારે તેમાં પ્રોડ્યૂસર કે હીરોના કોઈ નામ નહી હતો. મને લાગ્યું કે આ કોઈ મોટી ફિલ્મ હશે અને મે ઑડીશન આપી દીધું.
આ રીતે સલમાન ખાનની ફિલ્મમાં વરીનાને અવસર મળ્યું અને આયુષ શર્માની સાથે તેને ફિલ્મ "લવરાત્રિ" મળી. ગુજરાતની પૃષ્ઠભૂમિ પર આધારિત આ ફિલ્મ ગરબા અને નવરાત્રિના સાથે એક પ્રેમ સ્ટૉરીને જોડે છે. ફિલ્મના પોસ્ટર્સ અને ટ્રેલરમાં બન્ને નવા કળાકારોની કેમિસ્ટ્રી સારી લાગી રહી છે. ખાસ વાત આ છે કે ફિલ્મનો એસંસ ગરબા છે. તેના માટે બન્ને કળાકારએ ગરબા અને ડાંસની ખૂબ ટ્રેનિંગ લીધી છે. 
ફિલ્મ "લવરાત્રિ"ને નિરેન ભટ્ટએ લખ્યું છે તેને અભિજીત મિનવાળા નિર્દેશિત કરી રહ્યા છે. ત્યા જ તેનો પ્રોડકશન સલમાન ખાન  ફિલ્મસએ ઉઠાવ્યું છે. આ ફિલ્મ 5 ઓક્ટોબર 2018ના રિલીજ થશે. 
 
 
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

આગળનો લેખ
Show comments