Webdunia - Bharat's app for daily news and videos

Install App

Children's Day Special- ઈમોશનલ બાળકોને તેમનો નિર્ણય જાતે જ લેવા દો......

Updated: બુધવાર, 13 નવેમ્બર 2019 (12:27 IST)
આજકાલ કોઈપણ પ્રકારના બાળકોની દેખરેખ કરવી સહેલુ કામ નથી.  ખાસ કરીને ઈમોશનલ બાળકોની દેખરેખ. આવા  બાળકો સાથે તમારે ધૈર્ય રાખીને વાત કરવી પડે છે. કારણ કે આ પ્રકારના બાળકોનો સ્વભાવ ક્યારેક શાંત તો ક્યારેક હિંસક અને પછી ઝગડાલૂ બની જાય છે. તેથી હંમેશા ધ્યાન રાખો કે તમે જ્યારે પણ ઈમોશનલ બાળકો સાથે વાત કરો તો દરેક શબ્દ સમજીને અને માપી તોલીને જ બોલો. આજે અમે તમને કેટલીક એવી વાતો બતાવીશુ જેમા તમે ઈમોશનલ બાળકોની સારી રીતે દેખરેખ કરી શકો છો. 
1. સહનશીલતા - જો તમારા બાળકો ઈમોશનલ છે તો તેમની સાથે ધૈર્ય રાખીને વાત કરવી જોઈએ. આવા બાળકો સાથે વાત કરવા માટે તમારામાં સહનશીલતાનું હોવુ ખૂબ જરૂરી છે. 
 
2. બાળકોની વાત સારી રીતે સાંભળો - તમારે ઈમોશનલ બાળકોની વાતને સારી રીતે સાંભળવી જોઈએ. વાતને સારી રીતે સાંભળીને જ તમે કોઈ પગલું ઉઠાવો. મોટાભાગે એવુ જોવા મળે છે કે તમારુ ધ્યાન તમારી તરફ કરવા માટે બાળકો નખરા પણ કરે છે. છતા પણ તમે તેમની વાત સારી રીતે સાંભળો. 
 
3. બાળકોની ભાવનાઓને સમજો - જો તમે તમારા બાળકોની ભાવનાઓને સારી રીતે સમજો છો તો તે તમને પોતાના દિલની વાત સારી રીતે કરશે. આવુ કરવાથી તે તમારી સાથે જોડાયેલા અનુભવશે અને ખુદને સુરક્ષિત અનુભવશે. 
 
4. બાળકોને મનની વાત કહેવાની તક આપો - તમારા બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા માટે તેમને મનની વાતો કહેવાની તક આપો. આવુ કરવાથી તેમને તેમની ભાવનાઓ અને વિચાર મુકવામાં મદદ મળે છે. 
 
5. બાળકોના વિચારોને સમજવાની પરખ - હંમેશા જરૂર નથી હોતી કે ઈમોશનલ બાળકોના દરેક વિચાર અને ભાવનાને સાચી સમજવામાં આવે. પણ છતા પણ તમારે બાળકોની ભાવનાઓને અને વિચારોનુ યોગ્ય મૂલ્યાંકન કરવુ જોઈએ. આવામાં તમારા બાળકોને ધૈર્યથી સમજાવવા જોઈએ. 
 
6. તમારી સાથે બાળકો પણ રહેશે ખુશ - જો તમારા બાળકો પોતાની ખુશીથી કામ કરશે અને જો તમે તેના કામથી ખુશ થશો તો તે પણ ખુશ રહેશે. જો તમે નારાજ થશો તો તમારુ બાળક પણ નારાજ જ રહેશે. તેથી આવા બાળકો સાથે પ્રેમથી વાત કરવી જોઈએ.
 
7. બાળકોને પોતાનો નિર્ણય લેવા દો - ઈમોશનલ બાળકોને તેમનો નિર્ણય જાતે જ લેવા દો જેથી તેઓ હેલ્ધી રહે. જો તેનો નિર્ણય ખોટો પણ લે છે તો પણ તમે હંમેશા તેમની સાથે રહો. આવુ કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધશે અને તેઓ પોતાના સારા-ખરાબ વિશે જાણી શકશે.

વધુ જુઓ..

આઈફોનના ચક્કરમાં પૂરો પરિવાર મોતને ભેટ્યો, દીકરો પહાડ પરથી કુદી પડ્યો, તેને બચાવવાના ચક્કરમાં પિતા પડી ગયા, આધાતમાં માતા પણ કુદી પડી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 22 ઓગસ્ટ , 20226

પૂરમાં ઘાયલ 53 વર્ષીય હાથી "જોયમોતી" ને સારવાર માટે વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી, ભારતમાં આ પ્રકારનું પ્રથમ બચાવ કાર્ય

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, તેને 14,000 રૂપિયા ઓછા ભાવે ખરીદવાની તક

પાટણમાં 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત, 210 કેન ભેળસેળિયું તેલ પણ મળી આવ્યું; 2 વર્ષથી કાર્યરત ફેક્ટરી

વધુ જુઓ..

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments