સંબંધોમાં મીઠાશ લાવો
|
* ફેંગશુઈમાં એવી માન્યતા છે કે આપણી આજુબાજુ ઉર્જાનો અનંત સ્ત્રોત છે. આ ઉર્જા સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની હોય છે. આ ઉર્જા વડે જીવનનો દરેક પહેલું પ્રભાવિત થાય છે. સંબંધોમાં અને દામ્પત્ય જીવન પર પણ આની અસર પડે છે. ફેંગશુઈ નકારાત્મક ઉર્જાને ખત્મ કરીને સકારાત્મક ઉર્જાને વધારે છે.
* ફેંગશુઈમાં ઘરના દક્ષિણ-પશ્ચિમ રૂમને મધુર સંબંધો માટે સક્રિય માનવામાં આવે છે. એટલા માટે આ ખંડમાં સકારાત્મક ઉર્જાને સક્રિય અને નકારાત્મક ઉર્જાને નિષ્ક્રિય કરવા માટે તમે જે કોઈ પણ પ્રયત્ન કરશો તે ખુબ જ ઝડપથી ફળદાયી સાબિત થશે.
* તમારા પલંગને બારીની સાથે અડાળીને ન રાખશો. આનાથી સંબંધોમાં તણાવ ઉત્પન્ન થાય છે અને એકબીજાને મદદ કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે છે. જો આવુ શક્ય ન હોય તો તમારા ઓશિકાની અને બારીની વચ્ચે પડદો જરૂર રાખો. નકારાત્મક ઉર્જા સંબંધો પર અસર નહી કરી શકે.