શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
  3. ગુજરાત ચૂંટણી 2022ના લોકપ્રિય ચેહરા
Written By
Last Updated :નવી દિલ્હી. , શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (18:41 IST)

HARDIK PATEL - કેવી રીતે એક બેરોજગાર યુવકે રાતોરાત લાવ્યો રાજકીય ભૂકંપ, જાણો હાર્દિક પટેલની રાજકીય સફર

મજબૂત કદના સામાન્ય દેખાતા હાર્દિક પટેલના ચહેરા પર ચોક્કસપણે એક ખાસ વાત છે, તે છે તેનો જબરદસ્ત આત્મવિશ્વાસ. સત્ય કહેવાની હિંમત છે. આટલું મોટું આંદોલન ઉભું કરવાનું કૌશલ્ય જે સારા સારા લોકોના વશની વાત નથી. થોડાં વર્ષો પહેલાં તેમણે ગુજરાતમાં જે કંઈ કર્યું તે સ્વપ્ન કરતાં ઓછું ન હતું. વર્ષ 2015માં ગુજરાતમાં જે રીતે પાટીદાર પટેલોના આંદોલને સમગ્ર રાજ્યને ઘેરી લીધું હતું તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. તે માત્ર એક અદ્ભુત ચહેરો હતો, જે યુવાન હતો, બેરોજગાર હતો, ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવ્યો હતો. ઉંમર માત્ર 20 વર્ષની હતી.
 
તમે જ વિચારો, આ ઉંમરમાં એક યુવાન કેવી રીતે એવું મોટું આંદોલન કરી શકે કે રાજ્યની સાથે કેન્દ્ર સરકાર પણ હચમચી જાય. એ ચહેરો દેશનો પ્રખ્યાત ચહેરો બની જાય. જ્યારે તેઓ બોલતા ત્યારે હજારો પટેલો તેમની પાછળ ઊભા રહેતા. વર્ષ 2015માં અમદાવાદમાં હાર્દિક પટેલની રેલી ખરેખર ઐતિહાસિક હોવાનું કહેવાય છે. જો કે આ પછી તેના પર ઘણા આરોપો પણ લાગ્યા હતા. અનેક કાયદા તોડવાના કેસ થયા, પરંતુ હાર્દિક પટેલ એવો કરિશ્મા બની ગયો હતો, જેને રોકવો અસંભવ લાગવા લાગ્યું હતું.
 
આજે એ જ હાર્દિક પટેલ કોંગ્રેસ નેતૃત્વથી ભારે નારાજ છે. તેમની નારાજગીમાં, તેમણે કોંગ્રેસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કાં તો તેમના માટે વાસ્તવિકતામાં કોઈ ભૂમિકા નક્કી કરે અને તેમને આગળ લાવે, નહીંતર તે પોતાનો બીજોઇ રસ્તો જુએ. જો કે, હાલમાં કોંગ્રેસની જે હાલત છે, તેના લીધે દરેક રાજ્યમાં સમાન સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક નેતાઓ નારાજ છે અને હાઈકમાન્ડને સીધો પડકાર ફેંકી રહ્યા છે.
 
તેમાં કોઈ શંકા નથી કે 2017ની ગુજરાત ચૂંટણીમાં તેમણે કોંગ્રેસ માટે જોરદાર પ્રચાર કર્યો હતો અને ભાજપ સામે પણ મોટો પડકાર ઉભો કર્યો હતો. એવું માનવામાં આવતું હતું કે તે ચૂંટણીમાં કોંગ્રેસે જીતેલી સીટોની સંખ્યામાં પણ હાર્દિકની ભૂમિકા હતી. જો કે ત્યારબાદ 17 ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગુજરાતમાં ફરી ચૂંટણી આવવાની છે. આ વર્ષના અંતમાં રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગઠબંધન શરૂ થઈ ગયા છે.
 
કેવી રીતે અહીં પહોંચ્યા
એક અનુભવી નેતાની જેમ હાર્દિકે યોગ્ય સમયે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિકની નારાજગીના કારણો છે. જેનો આગળ ઉલ્લેખ કરીશું, ચાલો જોઈએ કે હાર્દિકે રાજકારણમાં આવ્યા વિના કેવી રીતે પાટીદાર પટેલોનું મોટું આંદોલન શરૂ કર્યું હતું. તે અહીં કેવી રીતે પહોંચ્ય?
 
સામાન્ય પરિવારમાં એન્ટ્રી
હાર્દિકનો જન્મ 20 જુલાઈ 1993ના રોજ ગુજરાતના વિરમગામમાં થયો હતો. તેઓ હવે 28 વર્ષના છે પરંતુ રાજકીય પરિપક્વતામાં તેમની પાસે કોઈ જવાબ નથી. ટૂંકા ગાળામાં તેણે રાષ્ટ્રીય સ્તરે એક મોટી ઓળખ બનાવી છે. તેના પિતા સબમર્સિબલ પંપ લગાવવાનો નાનો ધંધો કરતા હતા. હાર્દિક પણ સ્કૂલમાં અભ્યાસ કરીને ઈન્ટર પાસ કર્યા બાદ પિતાને બિઝનેસમાં મદદ કરતો હતો. કુટુંબ સામાન્ય આવક ધરાવતું હતું. ધંધાની સાથે પિતા પણ કોંગ્રેસના કાર્યકર હતા.
 
કોલેજમાં થઇ લીડર બનવાની શરૂઆત
અભ્યાસમાં તે સામાન્ય વિદ્યાર્થી હતા. તેમને ક્રિકેટ પ્રત્યે ઘણો પ્રેમ હતો. તે જનૂની પણ હતો. તેઓએ જે વિચાર્યું તે કર્યું. તેમના નેતા બનવાની શરૂઆત 2010માં થઈ હતી. અમદાવાદ ભણવા ગયા, ત્યાં તેમણે સહજાનંદ કોલેજમાં ચૂંટણી લડવાનું નક્કી કર્યું. મહામંત્રી પદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. રાજકીય કીડો અહીંથી તેમના જીવનમાં ખરા અર્થમાં પ્રવેશ્યો.
 
સરદાર પટેલ જૂથમાં જોડાયા અને છોડવું પડ્યું
ત્યારબાદ તેઓ પટેલોના પ્રભાવશાળી સંગઠન સરદાર પટેલ ગ્રુપમાં જોડાયા. આ પાટીદાર પટેલોનું યુવા સંગઠન છે. એક મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમને વિરમગામ જિલ્લા એકમના વડા બનાવવામાં આવ્યા. જો કે, પાછળથી તેને આ જૂથના વડા સાથે મતભેદો થયા અને તેણે છોડવું પડ્યું. પરંતુ તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવવાનો જ હતો જે તેનું જીવન બદલી નાખશે.
 
આ એવો વળાંક હતો જેણે હાર્દિકને ઓળખ આપી
વર્ષ 2015માં તેની બહેનને ખૂબ સારા નંબર આવ્યા બાદ પણ શિષ્યવૃત્તિ મળી ન હતી. તેને ખબર પડી કે તેની બહેનના મિત્રના નંબર ખૂબ ઓછા હોવા છતાં, તેને શિષ્યવૃત્તિ મળી કારણ કે તે OBC એટલે કે અન્ય પછાત વર્ગમાંથી આવે છે. અહીંથી જ તેમણે પાટીદાર પટેલોને ઓબીસીમાં પણ અનામત આપવા માટે આંદોલન કરવાનો નિર્ણય લીધો હતો.
 
શરૂઆતમાં તેમના આ આંદોલન વિશે જેણે પણ સાંભળ્યું તેણે એક કાનેથી સાંભળ્યું અને બીજા કાનેથી નિકાળી દીધું, પરંતુ હાર્દિક તેની આદત મુજબ આ બાબતમાં અડગ હતા અને ખચકાટ વિના કંઈક કરવા માંગતા હતા.
 
પાટીદાર અનામત આંદોલન શરૂ થયું
તેમણે પાટીદાર અનામત આંદોલન સમિતિની રચના કરી. તેઓ ભાષણો આપવા લાગ્યા કે શા માટે પાટીદાર પટેલોને સરકારી નીતિઓનો લાભ મળતો નથી. તેમને પણ ઓબીસીમાં સમાવીને અનામત આપવી જોઈએ. લોકો આ સમિતિમાં જોડાવા લાગ્યા. પાટીદાર પટેલોની અંદર એક આગેવાન અને ઉત્સાહ હતો. પહેલા તેમને તેમના જિલ્લામાં આડેહાથે લેવામાં આવ્યા અને પછી તેમના પાટીદાર અનામત આંદોલનની ચર્ચા આજુબાજુના જિલ્લાઓમાં થવા લાગી.
 
જોતજોતાં આ આંદોલન ગુજરાતમાં ફેલાઈ ગયું
જુલાઈ 2015થી તેમનું આ આંદોલન ગુજરાતમાં એક મોટું આંદોલન બની ગયું હતું. ગુજરાતના દરેક જિલ્લામાં પાટીદાર પટેલો મોટી સંખ્યામાં આ આંદોલનમાં ભાગ લઈ રહ્યા હતા. પહેલા તો ગુજરાતની ભાજપ સરકારે હાર્દિક અને તેના આંદોલનને હળવાશથી લીધું હતું. તેઓને લાગ્યું કે ફૂસ્સ થવામાં લાંબો સમય નહિ લાગે, પણ એવું થવાનું ન હતું. હાર્દિક રાજ્યમાં દરેક જગ્યાએ સતત રેલીઓ કરી રહ્યો હતો અને પાટીદાર લોકોને તેમના નવા નેતાને જોઈને ગર્વ થતો હતો. 
 
અમદાવાદની રેલી અભૂતપૂર્વ હતી
ખાસ કરીને 25 ઓગસ્ટ 2015 ના રોજ, જ્યારે તેમણે અમદાવાદના જીએમજીસી ગ્રાઉન્ડ ખાતે રેલી યોજી, ત્યારે તે અભૂતપૂર્વ સભામાં ફેરવાઈ ગઈ. ચારે બાજુથી પાટીદાર પટેલો તેમાં પહોંચ્યા. યુવાનથી લઈને વૃદ્ધ સુધી દરેક ઉંમરના લોકો પહોંચ્યા. આ એટલી મોટી સંખ્યા હતી કે ગુજરાત સરકારને સમજાયું કે આ આંદોલન બહુ મોટું થઈ ગયું છે અને થઈ પણ ચૂક્યું હતું.
 
કેસ નોંધાયા પરંતુ રાષ્ટ્રીય સ્તરે જાણીતા બન્યા
જો કે આ વિશાળ રેલી બાદ ગુજરાતમાં હિંસા, તોડફોડ પણ શરૂ થઈ ગઈ હતી. રોષે ભરાયેલા પાટીદાર પટેલોએ ઘણી જગ્યાએ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે ગુજરાતમાં અનેક શહેરોમાં કર્ફ્યુ લગાવવો પડ્યો હતો અને સેનાને બોલાવવી પડી હતી. હાર્દિક પર રાજદ્રોહથી લઈને અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. એકંદરે, તે યુવાન 20 વર્ષીય હાર્દિક પટેલ રાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત બન્યો. અખબારોથી લઈને ટીવી સુધી દેશભરમાં તેમની જ ચર્ચા હતી.
 
હાઈકોર્ટે સજા ફટકારી
25 જુલાઈ 2018 ના રોજ, ગુજરાત હાઈકોર્ટે તેને રમખાણો, બળવો, મિલકતને નુકસાન પહોંચાડવા માટે દોષિત ઠેરવ્યા અને 50,000 રૂપિયાના દંડ સાથે બે વર્ષની જેલની સજા ફટકારી. તેમના પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે તેઓ અત્યાર સુધી ચૂંટણી લડી શક્યા નથી. આ સજા વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. 12 એપ્રિલ 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવી દીધી હતી. મતલબ કે તે ચૂંટણી લડી શકે છે.
 
કોંગ્રેસથી કેમ નારાજ છે?
હાર્દિકે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને જોરદાર સમર્થન આપ્યું હતું. તેમની સામે લડ્યા. જે બાદ તેઓ પોતે કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે કોંગ્રેસે તેમને છેલ્લા બે વર્ષથી ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. જોકે, હાર્દિકે આરોપ લગાવ્યો છે કે પાર્ટી તેના કોઈપણ નિર્ણયમાં તેને સાથે લેતી નથી અને તેને મીટિંગમાં પણ બોલાવવામાં આવતી નથી.
 
શું હવે લક્સરી લાઇવ જીવે છે?
જોકે એક જમાનામાં હાર્દિક પહેલા જેવું સાદગીભર્યો જીવન જીવતો હતો, હવે તેની જીવનશૈલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમના બે સાથીદારો કેતન પટેલ અને ચિરાગ પટેલે તેમના પર પટેલ અનામત આંદોલનમાં મળેલા ફંડનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, હાર્દિકના પરિચિતો કહે છે કે હવે તે લક્ઝરી લાઈફ જીવવા લાગ્યો છે.
 
કોંગ્રેસ પ્રત્યે નારાજગી કેમ વ્યક્ત કરી રહ્યા છે?
જોકે સમગ્ર મામલો કોંગ્રેસમાં તેની પકડ મજબૂત કરવાનો છે અને આ વર્ષના અંતમાં ગુજરાત રાજ્યની ચૂંટણી પહેલા પોતાને મુખ્ય ભૂમિકામાં જોવાનો છે. એક સમયે તેઓ ખુદ પાટીદાર પટેલોની સંસ્થા ખોડલગ્રામ ટ્રસ્ટના વડા નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા માંગતા હતા. હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે નરેશ કોંગ્રેસમાં જોડાઈ શકે છે એટલું જ નહીં તેઓ કોંગ્રેસનો સીએમ ચહેરો પણ બની શકે છે. આ બાબત હાર્દિકને પરેશાન કરી રહી છે. આથી તેઓ ખાતરી કરવા માંગે છે કે કોંગ્રેસમાં તેમની ભૂમિકા કેવી અને કેટલી રહેશે. અન્યથા તેઓ પોતાનો બીજો રસ્તો પણ જોઇ શકે છે. 
 
નરેશ પટેલ પાટીદાર પટેલોમાં લેઉઆ પટેલ છે, જેમની સંખ્યા અને પ્રભાવ વધુ છે. હાર્દિક કડવા પટેલ છે. અત્યાર સુધી પાટીદાર પટેલ ભાજપના મુખ્ય મતદાર હતા પરંતુ હવે તેઓ પણ કેટલાક કિસ્સામાં ભાજપથી નારાજ હોવાનું કહેવાય છે.