સંબંધિત સમાચાર
- Surat News - 2 હજારની નોટ પર પ્રતિબધ થતા જ બે દિવસમાં જ બેંકમાં જમા થયા રૂ.450 કરોડ
- એક બાજુ RBIએ 2,000 રૂપિયાની નોટ બંધ કરવાનો આદેશ રજુ કર્યો, બીજી બાજુ Zomato પર ગેમ થઈ ગઈ
- એક વધુ નોટબંધી ? RBI એ 2000 નોટ પર લેવાયો મોટો નિર્ણય, આ તારીખથી બદલી શકાશે કરંસી
- ટ્વીટર પર હવે પોસ્ટ થશે 2 કલાકનો વીડિયો
- Jio BP Launches New Diesel - માર્કેટ કરતા ઓછી કિમંતમાં મળશે આ ડિઝલ, દરેક ટ્રક પર બચશે વાર્ષિક 1.1 લાખ રૂપિયા
2000 Rupee Note : પિંક કરેંસી પર સર્જીકલ સ્ટ્રાઈક કેમ ? જાણો તેના પાંચ ફાયદા
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે એક મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે તે 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર લઈ રહી છે. જો કે, તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. લોકો 23 મેથી 30 સપ્ટેમ્બરની વચ્ચે બેંકોમાં જઈને આ નોટો જમા અથવા બદલી શકે છે. હવે સવાલ એ છે કે આરબીઆઈએ આ પિંક કરન્સી (Pink Currency) પર સર્જિકલ સ્ટ્રાઈક શા માટે કરી? 2000ની આ નોટોને ચલણમાંથી બહાર કરવાનો નિર્ણય કેમ લેવામાં આવ્યો? ચાલો જાણીએ કે જો 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ જાય તો શું ફાયદો થશે.
1. કાળા ધન પર મોટાભાગે લાગી જશે રોક
આરબીઆઈના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર આર ગાંધી(R Gandhi)નુ કહેવુ છે કે 2,000 રૂપિયાની નોટની નોટબંધીથી કાળાં નાણાં પર અંકુશ લાવવામાં ઘણો ફાયદો થશે. ગાંધીએ કહ્યું કે લોકો આ 2000 રૂપિયાની નોટોનો સંગ્રહ કરી રહ્યા છે. જ્યારે 2000 રૂપિયાની નોટ ચલણમાંથી બહાર થઈ જશે ત્યારે લોકો તેનો કાળા નાણા તરીકે ઉપયોગ કરી શકશે નહીં. આનાથી કાળા નાણા પર ઘણા અંશે અંકુશ આવશે. 2016માં નોટબંધીના સમયે ગાંધી આરબીઆઈમાં મુદ્રા વિભાગના પ્રમુખ હતા.
2. ઓનલાઈન પેમેંટમાં થશે વધારો
જે લોકો પહેલા 2000ની નોટમાં મોટી ચુકવણી કરતા હતા, તેઓ હવે ઓનલાઈન પેમેન્ટ (Online Payment)નો રસ્તો અપનાવશે. 2000ની નોટ ચલણમાંથી બહાર થયા બાદ ઓનલાઈન પેમેન્ટમાં વધારો થશે. 2016માં નોટબંધી બાદ પણ ઓનલાઈન પેમેન્ટમાં મોટો ઉછાળો આવ્યો હતો.
3. ત્રણ લાખ કરોડ રૂપિયા બહાર આવશે
ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ(Krishnamurthy Subramanian) એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શનિવારે જણાવ્યું હતું કે આ પગલાથી રૂ. 2,000ની નોટોમાં સર્કુલેટ થઈ રહેલી રૂ. 3.6 લાખ કરોડની કરન્સીના મોટા ભાગને બહાર કાઢવામાં મદદ મળશે. કૃષ્ણમૂર્તિએ કહ્યું, “અમે મોટાભાગના દરોડા દરમિયાન જોયું કે લોકોએ રૂ. 2,000ની નોટોમાં જંગી કાળું નાણું છુપાવ્યું હતું. 2000ની નોટ હવે વ્યવહારમાં ખૂબ જ ઓછી વપરાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે કાળું નાણું જમા કરવા માટે થાય છે. 80-20નો નિયમ જણાવે છે કે 80 ટકા લોકો પાસે રૂ. 2,000ની નોટ છે જે કુલ સર્ક્યુલેશનનો માત્ર 20 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે કાળું નાણું જમા કરનારા 20 ટકા લોકો પાસે 80 ટકા રકમ (રૂ. 3 લાખ કરોડ) છે.
4. લોકો ઘરમાં રોકડ મુકતા બચશે
ભારત સરકારે કાળાં નાણાં પર અંકુશ લગાવવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કડક પગલાં લીધાં છે. પછી તે 2016ની નોટબંધી હોય કે હવે ચલણમાંથી 2000ની નોટો પાછી ખેંચવાની. આવી સ્થિતિમાં, લોકો હવે મોટા પ્રમાણમાં રોકડ તેમના ઘરોમાં રાખવાથી ડરશે. તેની સીધી અસર એ થશે કે કાળા નાણામાં ઘટાડો થશે.
5. સરકારને મળશે વધુ ઈનકમ ટેક્સ
2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ મૂકવાનો એક ફાયદો સરકારને આવકવેરો (Income Tax) વધારવાના રૂપમાં મળી શકે છે.ટેક્સની જવાબદારી ટાળવા લોકો હાલમાં રોકડમાં ચૂકવણી કરે છે. 2,000ની નોટોએ રોકડમાં મોટી ચુકવણી કરવાનું સરળ બનાવ્યું. પરંતુ 200, 100 અને 500 ની નોટોમાં મોટી ચુકવણી કરવી એક મુશ્કેલી બની શકે છે. આવી સ્થિતિમાં આ લોકો ઓનલાઈન પેમેન્ટનો માર્ગ અપનાવી શકે છે. આના કારણે પેમેન્ટ રેકોર્ડમાં રહેશે અને લોકો ટેક્સની જવાબદારીમાંથી છટકી શકશે નહીં.
