Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru nanak- ગુરુ નાનક પર નિબંધ

Updated: શનિવાર, 15 એપ્રિલ 2023 (11:35 IST)
ગુરુ નાનક દેવ શીખ ધર્મના સ્થાપક અને પહેલા ગુરુ હતા. તેઓ એક આધ્યાત્મિક ગુરુ, કવિ અને સમાજ સુધારક હતા. .
ગુરુ નાનક સમાજમાંથી જ્ઞાતિવાદને દૂર કરીને દરેક મનુષ્ય એક સમાન હોવાના વિચારને પ્રાધાન્ય આપ્યું હતું.
તેમણે એક ઇશ્વરની ઉપાસનાને મહત્ત્વ આપ્યું. તેમણે પોતાનો સંદેશ ગુરુબાની તરીકે નોંધીને પોતાના શ્રદ્ધાળુઓ સુધી પહોંચાડ્યો હોવાનું મનાય છે.
 
શીખ ધર્મમાં ઈશ્વર માત્ર એક જ છે એવું માનવામાં આવે છે અને તેમાં શીખ ધર્મના દશેય ગુરૂઓની જન્મ જયંતિને હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવે છે. તેમાં પણ શીખ ધર્મના પહેલા ગુરૂ એવા ગુરૂ નાનકસાહેબની જયંતિનું વિશેષ મહત્વ છે. ગુરૂઓનો જન્મ દિવસ ગુરૂ પૂરબ તરીકે પણ ઓળખાય છે. 
 
શીખ ધર્મના સંસ્થાપક ગુરૂ નાનકદેવનો જન્મ 1469 કારતક સુદ પૂનમની તિથિએ લગભગ એક વાગીને ચાલીસ મિનીટે પાકિસ્તાનના શેખુપુરા જીલ્લાના રાય ભોઈ દી તલવંડી ખાતે થયો હતો. તેમના જન્મ દિવસના ઉપલક્ષ્યમાં દર વર્ષે કાર્તક સુદ પૂનમના દિવસે ગુરૂ નાનક જયંતિ મનાવવામાં આવે છે. 
 
તેમનો જન્મ રાત્રિના સમયે થયો હોઈ ગુરૂ નાનક જયંતિની રાત્રે જાગરણ કરવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટીએ આ તહેવારને શીખોનો સૌથી મહત્વનો તહેવાર માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ રાત્રે કિર્તન અને સત્સંગ કરે છે. 
ગુરૂ મહારાજના પ્રકાશ (જન્મ) સમયે ફૂલોનો વરસાદ કરે છે તેમજ ફટાકડા ફોડે છે અને સામૂહિક પ્રાર્થના કરે છે. પ્રભાતકાળમાં શ્રદ્ધાળુઓ સ્નાનાદિ કરીને પાંચ વાણીનો 'નીત નેમ' એટલે કે દૈનીક પ્રાર્થના કરીને ગુરૂદ્વારા સાહેબમાં ગુરૂ નાનકદેવજીને વંદન કરે છે. 
 
આ દિવસે પોતાની મહેનતની કમાણીનો દસમો ભાગ ગરીબો અને ધાર્મિક કાર્યોમાં અર્પણ કરવાનો તેમજ લંગરમાં જઈને સેવા કરવાનો ખાસો મહિમા છે. 
ગુરૂ નાનકદેવજીએ નીષ્ઠાવાન શીખ લોકોને ત્રણ નિયમોનું પાલન કરવાનું કહ્યું છે. એ ત્રણ નિયમો છે ઈશ્વરની આરાધના, મહેનતની કમાણી અને ગરીબોને દાન. 
 
ગુરૂ નાનકજયંતિના બે દિવસ પહેલા ગુરૂદ્વારાઓમાં ગુરૂ ગ્રંથ સાહેબનો અખંડ પાઠ કરવામાં આવે છે.

 
ગુરુ નાનકને સમગ્ર વિશ્વમાં શીખોના પ્રથમ ગુરુ તરીકે પૂજવામાં આવે છે. કૃપા કરીને જણાવો કે તે ઘણી ભાષાઓના જાણકાર હતા અને તેમણે વિશ્વના વિવિધ સ્થળોની યાત્રા પણ કરી હતી. તો ચાલો જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
 
પોતાના 20 રૂપિયાથી સાધુઓને ભોજન કરાવ્યું હતું
ગુરુ નાનક અયોધ્યા ગયા હતા
પોતાના 20 રૂપિયાથી સાધુઓને ભોજન કરાવ્યું હતું
કહેવાય છે કે જ્યારે નાનક દેવ નાના હતા ત્યારે તેમના પિતા કલ્યાણદાસે તેમને 20 રૂપિયા આપીને વેપાર કરવા મોકલ્યા હતા. પરંતુ જ્યારે નાનક પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે તેમને રસ્તામાં કેટલાક ભૂખ્યા સાધુ મળ્યા, ત્યારે નાનક દેવે કંઈપણ વિચાર્યા વિના, તેમના પિતા દ્વારા આપવામાં આવેલા 20 રૂપિયાથી તે સાધુઓને ખવડાવ્યું.
 
 

વધુ જુઓ..

નેપાળમાં આવેલા પુરમાં ઓછામાં ઓછા 105 ભારતીય પર્યટક થયા ગુમ, હેલ્પલાઈન નંબર જાહેર

31 ઓગસ્ટ સુધી દેશમાં ચોમાસુ સક્રિય રહેશે! 25 રાજ્યોમાં ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી

Gold-Silver Price- સોનાના ભાવ સ્થિર રહ્યા, ચાંદીના ભાવમાં વધારો, તપાસો...

કર્નાટકની ભૂતનાલ તળાવમાં એકસાથે 6 મૃતદેહ મળતાં ચકચાર, 4 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ

પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન બે મહિલા કોન્સ્ટેબલને થયો પ્રેમ, હવે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી

વધુ જુઓ..

Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા

ગુજરાતી જોક્સ - રક્ષાબંધનમાં ખૂબ હસાવશે આ જોક્સ

ફૂલ કાજળી વ્રતની કથા

રક્ષાબંધન પર ગુજરાતી ફિલ્મ ગીત - Raksha Bandhan 2026 Gujarati Songs

રક્ષાબંધન પર બહેનને શું ગિફ્ટ આપશો? 2,000ના બજેટમાં 5 યુનિક ગિફ્ટ આઈડિયા

આગળનો લેખ
Show comments