સંબંધિત સમાચાર
- Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર
- Arjun Ni Chaal: અર્જુનની છાલ કઈ બિમારીમા ઉપયોગી છે ?
- દૂધ, દહી કે છાશ, ઈમ્યુનિટી વધારવા માટે શું છે બેસ્ટ ?
- What Is Kefir Drink - કેફિર પીણું શું છે? તે સુપરફૂડ્સની યાદીમાં શામેલ છે અને વિટામિન્સ અને ખનિજોનો ભંડાર છે.
- એકલા હોય અને હાર્ટ અટેક આવે તો શું કરવું જોઈએ, આવો જાણો આવી સ્થિતિમાં કઈ મેડિકલ ટીપ્સ બચાવશે તમારો જીવ
શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ
આજની ફાસ્ટ લાઈફસ્ટાઇલ માં મોડે સુધી જાગવું સામાન્ય બની ગયું છે. મોબાઈલ ફોન, ઓટીટી પ્લેટફોર્મ અને કામનું દબાણ વધતા લોકોના ઊંઘના સમયને ઘટાડી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી ઊંઘ સીધી તમારા વજન પર અસર કરે છે? સતત મોડા સુધી સૂવાથી વજન ઘટાડવાનું ધીમું થઈ શકે છે અને સ્થૂળતાનું જોખમ વધી શકે છે.
ઉંઘની કમી અને મેટાબોલીજ્મ પર અસર
જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતા, ત્યારે આપણા શરીરનું મેટાબોલીજ્મ પ્રભાવિત થાય છે. ઊંઘનો અભાવ કોર્ટિસોલનું સ્તર વધારે છે, જેના કારણે ફેટ સ્ટોરેજ વધી શકે છે. વધુમાં, ઇન્સ્યુલિન સેન્સેટીવીટી પણ ઘટે છે, જેના કારણે શરીર શુગરનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. આનાથી વજન વધી શકે છે, ખાસ કરીને પેટની ચરબી વધવાનું કારણ બની શકે છે
ભૂખ કંટ્રોલ કરનારા હાર્મોન પર પ્રભાવ
મોડી રાત સુધી જાગવાથી આપણા ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સ પર પણ અસર પડે છે. ઊંઘનો અભાવ ઘ્રેલિન (ભૂખ ઉત્તેજિત કરનાર હોર્મોન) નું સ્તર વધારે છે અને લેપ્ટિન (ભૂખને નિયંત્રિત કરનાર હોર્મોન) નું સ્તર ઘટાડે છે. આનાથી ભૂખ વધે છે અને ઘણીવાર મીઠાઈઓ, તળેલા ખોરાક અથવા જંક ફૂડ ખાવાની ઈચ્છા થાય છે. જે લોકો મોડી રાત સુધી જાગે છે તેઓ ઘણીવાર અનહેલ્થી સ્નેકીંગ કરે છે, જે કેલરીનું સેવન વધારે છે અને વજન ઘટાડવું મુશ્કેલ બનાવે છે.
મોડી રાત્રે ભોજન કરવું કેમ નુકશાનદાયી ?
જે લોકો મોડા સુધી જાગતા રહે છે તેઓ ઘણીવાર રાત્રે ભારે ભોજન લે છે. રાત્રે શરીરની કેલરી બર્ન કરવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી હોય છે, જેના કારણે મોડી રાત્રે ખાધેલું ખોરાક ચરબી તરીકે સંગ્રહિત થઈ શકે છે. નિષ્ણાતો સૂવાના સમયના ઓછામાં ઓછા 2-3 કલાક પહેલા રાત્રિભોજન ખાવાની અને હળવું અને સંતુલિત ભોજન લેવાની ભલામણ કરે છે.
સર્કેડિયન રિધમ્સ અને વજન વચ્ચેનો સંબંધ
આપણા શરીર એક જૈવિક ઘડિયાળ અનુસાર કાર્ય કરે છે, જેને સર્કેડિયન રિધમ કહેવાય છે. જ્યારે આપણે સતત મોડા સૂઈએ છીએ અને ઊંઘનો સમય અનિયમિત રાખીએ છીએ, ત્યારે આ રિધમ ડીસ્ટર્બ થાય છે. આ હોર્મોનલ અસંતુલન તરફ દોરી શકે છે, જે વજન ઘટાડવા પર અસર કરી શકે છે. વજન વ્યવસ્થાપન માટે નિયમિત સૂવાનો સમય અને જાગવાનો સમય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.