સહનશીલતા
|
એ દિવસે પણ મોટી વહુ આખા ઘરનો કચરો મકાનની બહાર ખૂણામાં જ નાખ્યો તો દીનદયાલજીએ રોજની જેમ વહુને ફરી ટોકી હતી 'બેટા, થોડી આગળ જઈને કચરો કચરા પેટીમાં જ નાખી આવતી.
સહન કરવાની પણ સીમા હોય છે. તેથી પુત્ર અને વહુ એક દિવસ તેમને વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા.
પરંતુ પુત્ર અને વહુ હજુ પણ ખુશ નહોતા. હવે તો જો કે બાબુજીને સહન નહોતા કરવા પડતા, ન તો કચરો દૂર ફેંકવા જવુ પડતુ હતુ, પરંતુ હવે તો આખી કોલોનીની દુર્ગંધ સહન કરવી પડતી હતી, કારણ કે હવે તેમના ઘરના ખૂણા પર આખા મોહલ્લાનો કચરો એકઠો થવા જો માંડ્યો હતો.