શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 1 જૂન 2016 (16:50 IST)

તો આ રીતે વધશે અથાણાંનો સ્વાદ

મોટાભાગે અથાણું પડ્યુ પડ્યુ ખરાબ થઈ જાય છે. તો જાણો આ ટિપ્સ અને બનાવો લાંબા સમય સુધી તાજુ રહે તેવુ અથાણું... 
 
આટલી ટિપ્સ અજમાવો 
 
- લીંબૂનુ અથાણુ નાખતી વખતે તેમા થોડી દળેલી ખાંડ છાંટી દેશો તો મીઠાના દાણા નહી પડે અને તેનો સ્વાદ પણ વધી જશે.  અથાણાનો સ્વાદ તાજો રહેશે. 
- કેરીનુ અથાણુ બનાવતી વખતે ફાંકમાં મીઠુ-હળદર લગાવતી વખતે તેના પર 1-2 ચમચી દળેલી ખાંડ ભભરાવી દેવાથી બધી ફાંકો પાણી છોડશે અને અથાણાંનો રંગ પણ સરસ આવશે. 
- કેરીના ગળ્યા અથાણામાં થોડો આદુનો રસ મિક્સ કરી દેવાથી આ વધુ ટેસ્ટી અને ચટપટુ બનશે. 
-લીંબૂનુ અથાણું જો ખરાબ થવા માંડે તો તેને કોઈ વાસણમાં કાઢીને લીંબૂના ફૂલ નાખીને પકાવી લો. અથાણુ ફરીથી નવુ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ પહેલા જેવો જ લાગશે. 
- આખુ કેરીનુ અથાણું, અનાનસનુ અથાણું, મિક્સ વેજ અથાણું, ગળી કેરીના અથાણામાં આખી રાઈ નાખવાથી તેનો સ્વાદ અને રંગ બંને વધી જાય છે. 
- અથાણું સ્વાદિષ્ટ બને અને તેનો રંગ પણ એવો દેખાય કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. આ માટે અથાણાના મસાલામાં સરસિયાનું તેલ ગરમ કર્યા વગર જ નાખી દો. 
- કાકડી, ગાજર અને મરચાના અથાણામાં નીંબૂના ફુલ, ખાંડ અને મીઠુ નાખીને બનાવવાથી તેનો સ્વાદ વધી જશે.