Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home tips: કાપેલા ફળોને ફ્રેશ રાખવાની ટીપ્સ

આદર્શ રૂપે ક્યારેય ફળોને લાંબા સમય સુધી કાપેલા ન રાખવા જોઇએ. પણ ક્યારેક એવું કરવું પણ પડે તો તેની તાજગી માટે તમે કેટલીક સાવધાની ચોક્કસ રાખી શકો છો. આવા મામલામાં તમે નીચેની રીતો અપનાવીને કાપેલા ફળોને લાંબો સમય સુધી તાજા રાખી શકો છો. 

જેમ કે, 
 


સફરજન - જો તમે સફરજન કાપો છો અને તેને લાંબા સમય સુધી તાજા રાખવા ઇચ્છો છો તો તમારે કેટલીક સાધારણ બાબતોને અનુસરવી પડશે. જેમ કે, સફરજનનો ટૂકડો લઇ તેને પાર ઍપલ સાઇડર વિનેગર લગાવી દો અને તેને કન્ટેનરમાં મૂકી દો. જો ઍપલ સાઇડર વિનેગર નથી લગાવવું કે તે ઉપલબ્ધ નથી તો અન્ય કોઇ સરકાનો પ્રયોગ કરો. તે સફરજનને લાંબા સમય સુધી તાજા રાખશે. તમે લીંબુના રસનો પણ ઉપયોગ કરી શકો છો.



એવાકાડો -  એવાકાડોને કાપીને તેના પર લીંબુનો રસ મિક્સ કરો અને તેને ફ્રિઝમાં કોઇ એર ટાઇટ કન્ટેનરમાં રાખી દો. આનાથી એવાકાડો લાંબા સમય સુધી બિલકુલ ફ્રેશ રહેશે. 



\ જામફળ -  જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણ કે તેમાં આયર્નના તત્વ બહુ વધારે હોય છે. કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં નડે. 


જામફળ -  જામફળને કાપીને રાખવામાં આવતા તે જલ્દી ભૂરા પડી જાય છે કારણ કે તેમાં આયર્નના તત્વ બહુ વધારે હોય છે. કાપેલા જામફળના પીસ પર તમે લીંબુનો રસ છાંટીને રાખશો તો આ સમસ્યા નહીં નડે. 




પપૈયું -  એક સાફ રેપિંગ શીટમાં કાપેલા પપૈયાના ટૂકડાને રાખો અને ત્યારબાદ ફ્રિઝમાં મૂકો. આનાથી પપૈયું લાંબા સમય સુધી તાજુ રહેશે. 

લીંબુ -  લીંબુને કાપ્યા બાદ તેને એક પોલીથીન બેગમાં રાખો અને બાંધી દો. આનાથી થોડા દિવસો માટે લીંબુનો રસ જળવાઇ રહેશે. 

તરબુ ચ -  કાપેલા તરબુચના ટૂકડાંને એક પ્લાસ્ટિકની પોલીથીનમાં રાખી દો, આનાથી તે તાજા રહેશે. 

અનાનસ -  જો તમે અનાનસના ટૂકડાંને કોઇ પ્લાસ્ટિકની પોલીથીનમાં બાંધી રાખશો તો આના કાપેલા ટૂકડાં ઘણાં દિવસો સુધી ફ્રેશ રહેશે.

વધુ જુઓ..

મુઝફ્ફરપુર - બ્રહ્મપુરાના પ્રસાદ હોસ્પીટલમાં આગ, ICU માં દાખલ દર્દીઓનું દમ ઘૂંટવાથી મોત

કુવૈત એરપોર્ટ પર ઈરાની હુમલામાં ભારતીય નાગરિકનું મોત; ગલ્ફ ક્ષેત્રમાં તણાવ વધ્યો, હુમલા બાદ કતરમાં તણાવ વધ્યો

જો તમે એરપોર્ટ પર રીલ બનાવો છો કે સેલ્ફી લો છો, તો તમારો ફોન જપ્ત થઈ શકે છે. DGCA એ નવા, કડક નિયમો લાગુ કર્યા છે.

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 1808 મુખ્ય શિક્ષકોની તાત્કાલિક કરાશે ભરતી

અમિત શાહના આદેશથી ગુજરાતમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ': અમદાવાદ-ગાંધીનગરમાંથી 170 થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -4 જૂન 2026

માલપુઆ બનાવવાની સરળ ગુજરાતી રેસીપી

પુરુષોત્તમ માસની કથા આધ્યાય - 8 | અધિક માસ અધ્યાય આઠમો - સાસુ-વહુની કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3 જૂન 2026

Vibhuvan Sankashti Chaturthi 2026: 3 વર્ષમાં એકવાર રાખવામાં આવે છે વિભુવન સંકષ્ટી ચતુર્થીનું વ્રત, ગણેશજીને જરૂર ચઢાવો તેમની પ્રિય વસ્તુઓ, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments