Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Tips - મૉનસૂનમાં બેડરૂમનું આ રીતે કરો ડેકોરેશન

શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (09:53 IST)
વરસાદની ઋતુમાં આરામદાયક બેડરૂમથી સારી કદાચ જ બીજુ કોઈ સ્થાન હશે. તેથી જરૂરી છે કે ઋતુને ધ્યાનમાં રાખતા તમારા રૂપમાં ફેરફાર લઈ આવો. જેથી તમે ઋતુનો આનંદ ઉઠાવી શકો. 
 
1. વાઈબ્રેટ કલર્સ - બેડરૂમમાં સૌથી ખાસ સ્થાન બેડનું હોય છે.  આ વાતને માની લેવી સારી છે. આ ઋતુમાં ઠંડક ભળી ચુકી હોય છે. તેથી જરૂરી છે કે આ સ્થાન ગરમાહટનો અહેસાસ કરાવનારુ હોય. બેડ પર તેથી પણ વિશેષ ધ્યાન દેવુ જરૂરી છે. કારણ કે વાદળોને કારણે અંધારાનો અહેસાસ આ દિવસોમાં કંઈક વધુ જ થાય છે. તેથી બેડ શીટ્સના રંગ લાઈટ હોવા જોઈએ. વાઈબ્રેટ કલર્સથી પણ વાતાવરણમાં ગરમી વધશે. યલો, ગ્રીન અને ઓરેંજ કલર્સને આ ઋતુ માટે સહેલાઈથી પંસદ કરી શકાય છે.  બેડરૂમમાં મુકેલા કુશન પણ આ જ રીતે ચટખ રંગના હોવા જોઈએ. 

2. વ્હાઈટને કરો એવોઈડ - આ વાતનુ ધ્યાન રાખો કે ચાદરનો કલસ વ્હાઈટ કે વ્હાઈટ બેઝ બિલકુલ ન હોય. તેમને સાફ કરવામાં સમસ્યા તો થાય જ  છે સાથે જ તેનાથી વાતાવરણ ક્યારેક ભારે અનુભવાય છે. 

3. સેંટેડ કૈડલ્સ - સેંટેડ કેંડલ્સને આ રૂમમાં સ્થાન આપો. તેનાથી ભેજની ગંધ દૂર થવા ઉપરાંત વાતાવરણ જીવંત પણ થઈ જશે.  આ રીતે તમે વરસાદમાં થનારા પાવર કટથી પણ વધુ પરેશાન નહી થાવ.  સાઈડ ટેબલ્સ કે કૉફી ટેબલ પર તેને મુકી શકાય છે. 

4. પારદર્શી પડદા - આ જ સમય છે કે જ્યારે પડદાને પારદર્શી કરી શકાય છે.  પારદર્શી પડદાથી સૂરજની ઓછી રોશની પણ રૂમમાં ભરપૂર અનુભવાય છે.  લાઈટ કલર પસંદ કરશો તો ફરક જાતે જ અનુભવશો. ભારે પડદાંમાં ભેજની સમસ્યા થાય છે. આ માટે તેમને સાચવીને પેટીમાં મુકી દેવા જ યોગ્ય છે. 

વધુ જુઓ..

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને બનાવ્યા ઉમેદવાર

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments