શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: શુક્રવાર, 24 ડિસેમ્બર 2021 (18:55 IST)

Astro Tips 2022 : સૌભાગ્ય મેળવવા માટે નવા વર્ષ થી અઠવાડિયાના 7 દિવસ કરો 7 જુદા જુદા ઉપાય

અઠવાડિયાના દરેક દિવસની આપણા જીવન પર ઘણી અસર પડે છે. દરેક દિવસ કોઈને કોઈ ગ્રહ સાથે સંબંધિત છે. તે દિવસની ગુણવત્તાને સમજીને આપણે આપણાં ઘણાં કામો કરી શકીએ છીએ. આપણને સારી સફળતા મળી શકે છે. પરંતુ વિપરીત કામ કરીને સફળતા મેળવી શકતા નથી. આવો જાણીએ દરેક દિવસ પ્રમાણે તમે કયા ઉપાયો કરી શકો છો.
 
સોમવાર માટે ટિપ્સ - સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે. તમારે સોમવારની શરૂઆત ભગવાન શિવના આશીર્વાદ લઈને કરવી જોઈએ. સવારની શરૂઆત શિવલિંગ પર જળ ચઢાવીને કરી શકો છો. ફાઈનેંસમાં કામ કરવા અને નવા કરિયરની શરૂ કરવા માટે સોમવારનો દિવસ શુભ છે. જો તમે યોગ્ય કેરિયર પથ પસંદ કરવામાં ભ્રમિત છો તો તમે આ માટે જ્યોતિષ ઉપાય અપનાવી શકો છો. સોમવારે સફેદ વસ્ત્ર ધારણ કરો અને કાળા રંગથી દૂર રહો. જ્યોતિષ મુજબ સફેદ રંગ તમારે માટે સૌભાગ્ય લઈને આવે છે. 
 
મંગળવાર માટે ટિપ્સ
મંગળવાર ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે લાલ વસ્ત્રો પહેરો. આ ઉપાય તમારા જીવનમાં આવતા અવરોધો પણ દૂર કરશે અને તમને પડકારોનો સામનો કરવાની ક્ષમતા આપશે. જો કોઈ કારણસર તમે મંગળવારના દિવસે લાલ કપડા પહેરી શકતા નથી તો લાલ ફૂલ સાથે લઈ જાઓ. તેનાથી તમારું ભાગ્ય વધશે. મંગળવારે ઘરની બહાર નીકળતા પહેલા કોઈપણ રૂપમાં ધાણાનું સેવન કરો. આમ કરવું શુભ માનવામાં આવે છે.
 
બુધવાર માટે ટિપ્સ 
 
બુધવારના દેવતા ભગવાન ગણેશ છે. આ દિવસ લીલા રંગના કપડા પહેરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થશે અને તમારા જીવનના અવરોધો અને સમસ્યાઓનુ સમાધાન થશે. જો તમે બુધવારના દિવસે લીલા રંગના કપડા ન પહેરી શકો તો તમારા ખિસ્સામાં લીલા રંગનો રૂમાલ મુકો. સવારે ગણેશજીને મોદકનો ભોગ લગાવો. બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર ચઢાવવાથી તમારા બધા દુખ અને કષ્ટોથી મુક્તિ મળી જાય છે. તેનાથી તમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે. 
 
 
ગુરૂવાર માટે ટિપ્સ 
 
ગુરૂવારના દેવતા વિષ્ણુ છે. એક સફળ યાત્રા માટે ગુરૂવારનો દિવસ સારો છે. તેનાથી તમારી યાત્રા ફળદાયી રહેશે. ગુરૂવારનો રંગ પીળો છે. જ્યોતિષ મુજબ આ દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવા જોઈએ. 
 
શુક્રવાર માટે ટિપ્સ 
 
શુક્રવારના દિવસે ધનની દેવી લક્ષ્મીનો થાય છે. જ્યોતિષ મુજબ આ દિવસે ધન સંબંધી તકો માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે મા લક્ષ્મીનો આશીર્વાદ લેવા માટે મંદિર જવુ જોઈએ. આ દિવસે  તમે મા લક્ષ્મીને કમળ કે ગુલાબી રંગના ફુલ અર્પિત કરવા જોઈએ. સૌભાગ્ય માટે તમે ઘર કે કાર્યસ્થળ પર ફુલ મુકી શકો છો. આ ઉપરાંત ગુલાબી રંગના વસ્ત્ર ધારણ કરવાથી માતા પ્રસન્ન થશે. ઘરેથી નીકળતા પહેલા દહી જરૂર ખાવ. 
 
શનિવાર માટે ટિપ્સ
 
શનિદેવ શનિદેવના સ્વામી છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે આ દિવસે કાળા રીંગણ ચઢાવો. આ તમને તમારી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરશે. આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય પણ વધશે. આ દિવસનો મહત્તમ લાભ મેળવવા માટે શનિવારે ઘરની બહાર નીકળતા પહેલા ઘીનું સેવન કરવું જોઈએ.
 
રવિવાર માટે ટિપ્સ 
સૂર્ય રવિવારના દેવતા છે. જો તમે તમારા જીવનમાં કોઈ વિવાદ કે સંઘર્ષનો સામનો કરી રહ્યા છો તો તેને ઉકેલવા માટે આ સૌથી સારો દિવસ છે. રવિવારના દિવસે કરવામાં આવેલી યાત્રાનુ સકારાત્મક પરિણામ મળે છે. રવિવારના દિવસે ઘરમાંથી બહાર નીકળતા પહેલા પાન ખાઈ લો. રવિવાર માટે સફેદ રંગ અનુકૂળ હોય છે. રવિવારના દિવસે આ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ.